અમદાવાદ શહેરના મ્યુનિ. કોર્પાેરેટરોની ચૂંટણી હોય કે ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની ભાવિ ચૂંટણી હોય સત્તાના વરવા રાજકારણમાં લોકશાહી મૂલ્યો અને રાજકીય આદર્શાે પર થતાં કુઠારાઘાત કોણ અટકાવશે?!
ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા કેટલાક ઉમેદવારોએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા સાથે તસ્વીરો પડાવી ?! પણ કેટલાક સામે કથિત ફરિયાદનું નિરાકરણ શું ?! અને કયારે ? કઈ રીતે થશે ?!
લોકશાહી વિચારધારા એ એક જીવનની રીતી છે ! માનવીય મૂલ્યો અને સિધ્ધાંતોને ઉજાગર કરતી એ આદર્શ રાજનિતિ પણ છે. પરંતુ ભારતમાં એ સમય હતો જયારે દેશમાં ગાંધી મૂલ્યોનું અને સરદાર પટેલના આદર્શાેનું રાજ હતું ત્યારે સત્તાના રાજકારણમાં નૈતિકતા હતી ! ગુજરાત બાર કાઉન્સિલમાં પણ ગાંધી અને સરદારના મૂલ્યોનું જતન થતું હતું ! આજે કેટલું થાય છે ?! એ તો વકીલ મતદારોએ વિચારવાનું છે ! મહાત્મા ગાંધી વકીલ હતાં !
સરદાર પટેલ પણ વકીલ હતાં ! તે બાર કાઉન્સિલમાં જો ચૂંટાતા હોત તો ભાડા ભથ્થા ના લેતા હોત ! ફકત વકીલોની સેવા જ કરતા હોત ?! અને ગુજરાત બાર કાÂન્સલના રૂપિયાનું ઘણું મોટું જતન થતું હોત બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો સામે કથિત ડીસીપ્લીનરી એકશન કમિટીમાં ફરિયાદો ના પડી હોત ?! તસ્વીર ગુજરાત બા કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યોની છે!
જેમાં શ્રી એ. એ. અન્સારી, શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા તથા કેટલાક સામે કથિત ગેરવર્તનના આક્ષેપોની શાહી હજુ સુકાઈ નથી અને તેમને અપાયેલી નોટિસોનો નિકાલ નથી આવ્યો ! પરંતુ જયારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી મનન મિશ્રા સાથે નવોદિત ચૂંટાયેલા સભ્યોએ જે રીતે તસ્વીરો પડાવી છે આ તસ્વીર વકીલ આલમમાં ભારે ચકચાર જગાવી છે ?! બાર કાઉન્સિલના ચેરમેન શ્રી મનન મિશ્રા તરફ હવે અનેક વકીલોને શ્રધ્ધા અને ભરોસો રહ્યો નથી !
કારણ કે ગુજરાત બાર કાઉન્સિલ હોય કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હોય વકીલ મતદારો કહે છે કે, “સત્તા કે લીયે કુછ ભી કરેંગે ?!” એવો માહોલ જામ્યો છે ! ત્યારે બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા નવોદિત સભ્યો તરફ વકીલ આલમને ઉમ્મીદ અને આશા છે કે, તેઓ ગુજરાત બાર કાઉન્સિલની ગરિમા જાળવશે એટલું જ નહીં ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સર્વ શ્રી નિમિષાબેન ધોત્રે, વંદનાબેન ભટ્ટ, પ્રતિમાબેન જોષી, હિરલબેન પાનવાલા, અમૃતાબેન ભારદ્વાજને માથે વકીલાતની વ્યવસાયિક ગરિમા ઉજાગર કરવાની પણ ભારે જવાબદારી છે તો આ મહિલા પ્રતિનિધિઓની આગામી ભૂમિકા એ ગુજરાત બાર કાઉન્સિલની દિશા અને દશા નકકી કરશે !

અત્રે એ નોંધનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી ચેરમેનને નામે નિવેદન કરતા નથી કે પ્રસિદ્ધિનું રાજકારણ ખેલતા નથી ! કેમ કે તેમને ખબર છે કે તેઓ હાલ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવતા નથી એ કાર્યકારી પદ પર કદાચ હોઈ શકે છે ?! જયારે ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા શ્રી અનિલભાઈ કેલ્લા આજે પણ ગુજરાત બાર કાઉન્સિલના ફાઈનાન્સ કમિટીના ચેરમેન તરીકે નિવેદનો કરે છે ! તેથી કેટલાક વકીલ મતદારો આ મુદ્દા પર નારાજગી વ્યક્ત કરે છે
અને કહેનારા તો ત્યાં સુધી કહે છે કે શ્રી અનિલભાઈ કેલ્લાના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં જવું છે માટે નિવેદનો કરતા ફરે છે ?! પરંતુ હવે શ્રી જે. જે. પટેલ કથિત માતબર રકમના ભાડા ભથ્થાં લીધેલાઓને સત્તાના સૂત્રો ના સોંપવા જોઈએ ! વકીલોના પૈસા બાર કાઉન્સિલના બચાવે એમને જ હોદ્દાઓ આપવા જોઈએ ?! જોઈએ વકીલ આલમની વેદના અને સંવેદનાનું શ્રી જે. જે. પટેલ કેટલું ધ્યાન રાખે છે ??!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, “જે રીતે હું ગુલામ બનવાનું પાસંદ ન કરૂં એ રીતે માલિક બનવાનું પણ પસંદ ન કરૂં”!! અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન કહે છે કે, “સાચો માણસ લડાઈને સ્વીકારશે પણ તેનાથી ભાગશે નહીં”!! મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણી એટલે પાંચ વર્ષ માટે કરેલા કામોનો હિસાબ આપવાનો અવસર ?!
અને લોકો અંતરઆત્માના અવાજને અનુસરીને રાજકીય પક્ષની કામગીરીનું અવલોકન કરવાનો રૂડો અવસર ?! રાજકીય પક્ષોના ઉમેદવારોનું ચારિત્ર્ય તપાસી મત આપવાનો અવસર ?! પરંતુ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ! પરંતુ ગુજરાતમાં ભા.જ.પ.ના ઉમેદવારો પક્ષની પ્રતિષ્ઠા બાજુ ઉપર મુકી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માદીના નામની પ્રતિભા બાજુ પર મુકીને કેટલાક રાજકીય સ્થાપિત હિતો મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણી જીતવા તમામ માનવીય સભ્યતા ગુમાવી રહ્યાનો ચોંકાવનારા કિસ્સિાઓ અખબારોમાં પ્રકાશિત થઈ રહ્યા છે !

