પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ સમજૂતી કરાર ભવિષ્યમાં લાંબા ગાળાના કરારનું સ્વરૂપ લેશે. તેમણે મંગળવારે સંસદને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે અમને આશા છે કે આગામી 60 દિવસમાં આ એમઓયુ મહત્ત્વપૂર્ણ સ્વરૂપ લેશે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત થશે. અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી કેટલાક દિવસો સુધી ટેકનિકલ સ્તરની વાતચીત થશે. જેમાં ઈરાનની પરમાણુ સંપત્તિ, બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અને જપ્ત કરાયેલી વિદેશી સંપત્તિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તશેઃ શાહબાઝ શરીફ

