શેખ હસીના બાંગ્લાદેશ પરત: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બુધવારે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેઓ ધરપકડ, જેલ અથવા મૃત્યુદંડના ડર છતાં આ વર્ષે ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઑગસ્ટ 2024 માં બાંગ્લાદેશ છોડીને ભારતની રાજધાની નવી દિલ્હીમાં રહેનાર શેખ હસીનાએ કહ્યું કે તે ઘરે પરત ફરવા પર કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છે.
ન્યૂઝ એજન્સી એએફપીને આપેલા ઈમેલના જવાબમાં શેખ હસીનાએ કહ્યું, “મારી હત્યા થઈ શકે છે. મારી ધરપકડ થઈ શકે છે. મને જેલમાં મોકલી શકાય છે. હું મારા ભાગ્યથી સંપૂર્ણપણે વાકેફ છું. તેમ છતાં હું પાછા જવા માંગુ છું કારણ કે મારા દેશના લોકો મને બોલાવી રહ્યા છે.”

