પાકિસ્તાન સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘નિશાન-એ-ઈમ્તિયાઝ’થી મુંબઈ (અગાઉ બોમ્બે)ના બે પ્રખ્યાત પારસી ડૉક્ટરોને મરણોત્તર સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ ડોકટરોમાં ચિકિત્સક ડો. જલ રતનજી પટેલ અને રેડીયોલોજીસ્ટ ડો. જલ ધબોન-કુનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની ગંભીર ટીબીની બીમારીને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવા બદલ બંને ડોક્ટરોને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર અને એવોર્ડ કમિટીના અધ્યક્ષ અહેસાન ઈકબાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણયની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ સન્માન માર્ચ 2027માં આયોજિત એક સમારોહમાં આપવામાં આવશે.
મંત્રી અહેસાન ઈકબાલના જણાવ્યા મુજબ, બંને ડોકટરોએ તેમના તબીબી વ્યવસાયના શપથનું સંપૂર્ણ નિષ્ઠા સાથે પાલન કર્યું. ઈતિહાસના ખૂબ જ નિર્ણાયક તબક્કે, તેમણે જિન્નાહની માંદગીને જાહેરમાં આવવા દીધી ન હતી.

