મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ માહોલમાં તિરંગાને સલામી આપી –મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પોરબંદરના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું
-:મુખ્યમંત્રીશ્રી:-
Øવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા એજન્ડા ફોર ૨૦૩૫
Øગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરવાનો સહિયારો સંકલ્પ લઈએ
Øનવા આયામો સિદ્ધ કરવા‘સમૃદ્ધ રાજ્ય,સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર–૨૦૩૫ સરકાર લાવશે
મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ સહિત ૧૯ પ્લાટૂનના ૬૮૫ જવાનોએ રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ પરેડ દ્વારા સલામી આપી
ગુજરાત પોલીસના જવાનોએ પ્રસ્તુત કરેલા અશ્વ શો,ડોગ શો,બાઈક શોના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૧મી સદીમાં નવી દિશા,નવી ઉર્જા અને વેગ મળ્યા છે,તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે રાજ્યના નાગરિકોને ૭૯મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે,વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે,ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય,સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર ૨૦૩૫’ સરકાર લાવી રહી છે.

