હજુ મને મારો સ્ટાફ પણ મળ્યો નથી. એટલે હું તારું કામ અત્યારે નહીં કરી શકું. તું એક મહિના પછી નિરાંતે આવજે, તારૂં કામ કરી આપીશ.’: કેબીનેટ મંત્રી
ગુજરાતનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યા પછી તા.૨૭ ઓક્ટોબરથી મંત્રીઓએ કાર્યાલયમાં આવવા-બેસવાનુ શરૂ કરી દીધું છે.આ દરમિયાન એક કેબિનેટ મંત્રી પાસે ગ્રામવિસ્તારનો એક ભલોભોળો કાર્યકર આવ્યો અને મંત્રીને ફાળવાયેલા ખાતાને લગતું પોતાનું કામ કરાવી આપવા માટે રજુઆત કરવા લાગ્યો.
તો કેબિનેટ મંત્રીએ તેને હળવાશથી કહ્યું કે ‘એલા ભાઈ તું જાળવ્યો જા, હજુ મને મારો સ્ટાફ પણ મળ્યો નથી. એટલે હું તારું કામ અત્યારે નહીં કરી શકું. તું એક મહિના પછી નિરાંતે આવજે, તારૂં કામ કરી આપીશ.’

આનો અર્થ એ થયો કે સદરહુ કેબિનેટ મંત્રીને પણ ખાતરી છે કે તેઓને તેમનો અંગત સ્ટાફ મળતા એક માસ જેટલો સમય લાગવાનો છે.એટલે આ નવી સરકારના સંદર્ભે એમ કહી શકાય કે નવી સરકાર રચાઇ ગઇ છે પણ ‘ખાટલે મોટી ખોટ એ છે કે ચોથો પાયો જ નથી.’ આ પરથી એવું લાગે છે કે નવી સરકાર અને નવાં પ્રધાનોને સેટ થતાં હજુ એકાદ મહિનાની વાર લાગશે!
ગુજરાતના નવા મંત્રીમંડળની નવાજૂની
ગુજરાતનાં નવાં મંત્રીમંડળની ઉતાવળે થયેલી સોગંદવિધિ પછીના એક દિવસ બાદ આવેલી સળંગ એક અઠવાડિયાની રજાને કારણે નવા મંત્રીઓએ રજાઓ પૂરી થયા બાદ તા.૨૭મી ઓક્ટોબરે પોતાની કચેરીઓમાં સ્થાન લીધું.

એની વિગતો ટૂંકમાં જોઈએ તો(૧) કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ચેમ્બર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફાળવાઇ છે(૨)અગાઉ મુળુભાઇ બેરા જ્યાં બેસતા એ કેબીન જિતુ વાઘાણીને અપાઇ છે
(૩)અગાઉ ભાનુબહેન બાબરિયા જે ચેમ્બરમાં બેસતા એ જગ્યા અર્જુન મોઢવાડિયાને અપાઇ છે.મોઢવાડિયાએ સોમવારે વિધિપૂર્વકની ધાર્મિક પૂજાપાઠ કરાવીને ચેમ્બરમાં પોતાની ખુરશી પર ટેકેદારોની હાજરીમાં સ્થાન લીધું હતું
(૩)જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે એ સ્વર્ણિમ સંકુલ-૨ની તમામ ચેમ્બર ભરાઇ ગઇ છે

