ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રવિવારે ઈડન ગાર્ડન્સની મુશ્કેલ પિચનો મજબૂત બચાવ કરતા કહ્યું કે, દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતની ટેસ્ટ પહેલા આ પિચની જરૂર હતી. કોલકાતા ટેસ્ટમાં જીતવા માટેના 124 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ગંભીરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “એવું નથી કે તે રમવા યોગ્ય ન હતું. આ (પીચ) અમે જે માંગ્યું હતું તે બરાબર હતું અને તે જ અમને મળ્યું. અહીંના ક્યુરેટર (સુજન મુખર્જી) ખૂબ મદદરૂપ હતા. મને લાગે છે કે આ એવી વિકેટ છે જે તમારી માનસિક શક્તિનું મૂલ્યાંકન કરી શકે છે કારણ કે સારું ડિફેન્સ રમતા લોકોએ રન બનાવ્યા છે.
ગંભીરે પોતાની વાતને મજબૂત કરવા તેમ્બા બાવુમા (અણનમ 55) અને વોશિંગ્ટન સુંદર (92 બોલમાં 31 રન)ના ઉદાહરણો આપ્યા. “આ બરાબર પિચ છે જે અમે ઇચ્છતા હતા,” તેણે કહ્યું. તેમાં કોઈ ઉણપ ન હતી. અક્ષર, ટેમ્બા, વોશિંગ્ટન રન બનાવ્યા. જો તમે કહો કે તે ટર્નિંગ વિકેટ છે પરંતુ ઝડપી બોલરોએ પણ ઘણી વિકેટો લીધી છે. ગંભીરે એવી પણ દલીલ કરી હતી કે ભારત ટોસની અસર ઘટાડવા માટે આવી રફ પિચ પસંદ કરે છે.
તેણે કહ્યું, “અમે પહેલા દિવસથી સ્પિનરો માટે મદદરૂપ બને તેવી પિચની માંગ કરીએ છીએ જેથી ટોસ મહત્વપૂર્ણ ન બને. જો અમે ટેસ્ટ જીત્યા હોત તો પિચ વિશે આટલું પૂછવું કે ચર્ચા કરવી મુશ્કેલ હતી. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે કોઈપણ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે છે.” ઈજાગ્રસ્ત કેપ્ટન શુભમન ગીલની સ્થિતિ અંગે અપડેટ આપતા ગંભીરે કહ્યું, “તેની સ્થિતિનો નિર્ણય આજે પણ લેવામાં આવશે.

