ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન અમ્પાયરોએ ભારતીય કેપ્ટન ઋષભ પંતને બે વખત ચેતવણી આપી હતી. જો પંત આગલી વખતે ભૂલ કરશે તો ભારતીય ટીમને દંડ થઈ શકે છે. આ ઓવરોની વચ્ચે વધુ સમય પસાર કરવા સામે ચેતવણી છે. આ બીજી ચેતવણી ઋષભ પંતને 88મી ઓવરની શરૂઆત પહેલા અમ્પાયર રિચર્ડ કેટલબરોએ આપી હતી. પંતે જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની ઓવરો વચ્ચે ફિલ્ડિંગ સેટ કરવામાં જરૂરી કરતાં વધુ સમય લીધો હતો, જેના કારણે તેને આ ઇનિંગમાં બીજી વખત આ ચેતવણી આપવામાં આવી છે. જો પંત ફરીથી સમય બગાડતો જોવા મળશે તો ભારતીય ટીમને 5 રનનો દંડ થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકાને આ 5 રનની પેનલ્ટીનો ફાયદો થશે કારણ કે આ રન મુલાકાતી ટીમના ખાતામાં ઉમેરાશે.
મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રથમ ટેસ્ટ મેચ ગુવાહાટીના મેદાન પર રમાઈ રહી છે. શુભમન ગિલની ઈજાને કારણે ઋષભ પંત ટીમની કમાન સંભાળી રહ્યો છે.
પંત ભારતીય ટેસ્ટ ટીમનો 28મો અને બીજો વિકેટ કીપર કેપ્ટન છે. ધોની પ્રથમ ભારતીય ફુલ ટાઈમ વિકેટ કીપર કેપ્ટન હતો.

