અટલ નેતૃત્વ,અવિરત વિકાસ,સુશાસન થકી સમૃદ્ધ ખેડૂત
વર્ષ2026-27માંGETCOદ્વારા₹1000કરોડના અંદાજિત ખર્ચે5 નવા સબસ્ટેશન અને લગભગ1100સર્કિટ કિમી (CKM)ના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના
40નવા સબસ્ટેશનો, 4640.73 CKMની ટ્રાન્સમિશન લાઇન્સ તેમજ3927.72 CKMના MVCCકામ માટે રાજ્ય સરકાર દ્વારા₹5000કરોડથી વધુનો ખર્ચ
‘માર્ચ2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસેવીજળી મળતી થઈ જશે’ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,સુશાસનનો હેતુ છે ખેડૂતલક્ષી યોજનાઓ અને પહેલો પારદર્શક અને અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચે. ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે,અને ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે,જ્યારે ખેડૂતો સમૃદ્ધ,સુરક્ષિત અને આત્મનિર્ભર હોય. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુદૃઢ સુશાસન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ તમામ ખેડૂતો સુધી સફળતાપૂર્વક પહોંચાડી રહી છે,અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે,કિસાન સૂર્યોદય યોજના (KSY),જેના થકી આજે રાજ્યના17,018ગામોને એટલે કે98.66%ગામોને દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ ગુજરાતના19.69લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.
ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની ગુજરાતની સફળતા અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃષિ હિતકારી નીતિઓ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ98ટકા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. જેઓ બાકી છે,તેમને પણ માર્ચ2026સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે અને આ મિશન પૂરું કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રીનો આ એક ખૂબ મોટો નિર્ણય હતો,જે આપણે પૂરો કરી શક્યા એ આપણા સહુ માટે આનંદની વાત છે. ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર સમગ્રતયા બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે.”
*કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેડૂતોને વીજળી આપવામાં આવે છે*
કિસાન સૂર્યોદય યોજના વર્ષ2020માં અમલી કરવામાં આવી હતી,જેનો ઉદ્દેશ ખેડૂતોને સવારના5.00વાગ્યાથી રાતના9.00વાગ્યા સુધીમાં બે સ્લોટમાં (સવારે5.00થી બપોરે1.00વાગ્યા સુધીનો સ્લોટ અને બપોરે1.00થી રાત્રે9.00વાગ્યા સુધીનો સ્લોટ) વીજળી પૂરી પાડવાનો હતો. જોકે,યોજના અમલી બનાવ્યા પછી કૃષિ ક્ષેત્ર માટે વીજ પુરવઠાના સમયપત્રકને સૂર્યપ્રકાશના કલાકોના હિસાબથી વધુ કાર્યક્ષમ બનાવવું જરૂરી જણાયું,
જેનાથી સિંગલ શિફ્ટનો કોન્સેપ્ટ પ્રકાશમાં આવ્યો. આ કોન્સેપ્ટ હેઠળ,ખેડૂતોને સૂર્યપ્રકાશના કલાકો દરમિયાન,ખાસ કરીને સવારે7.00વાગ્યાથી સાંજે5.00વાગ્યા સુધી કૃષિ માટે વીજળી પૂરી પાડવામાં આવે છે. સૌર ઊર્જાને આ રીતે સંકલિત કરવાથી,વધુ માંગના સમયગાળા દરમિયાન ગ્રીડ પરનો ભાર ઓછો થાય છે,જેનાથી કૃષિ માટે વધુ ટકાઉ અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થાય છે.
હાલ આ યોજના હેઠળ રાજ્યના17,018ગામડાઓને (98.66%)દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે,તેમજ રાજ્યના98%સબસ્ટેશનોને ડે-ટાઇમ એટલે કે દિવસના સમયમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાકીના231ગામોને આ યોજના હેઠળ આવરી લેવા માટે બાકીના45રોટેશનલ સબસ્ટેશનોના શિફ્ટિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે,આ યોજના હેઠળ40નવા સબસ્ટેશનો ઊભા કરવા, 4640.73સર્કિટ કિમી (CKM)ની ટ્રાન્સમિશન લાઇનો નાખવા તેમજ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત કરવા માટે3927.72સર્કિટ કિમી (CKM)નીMVCCકામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા₹5353.62કરોડનો કુલ ખર્ચ કરવામાં આવ્યો છે.
*વર્ષ2026-27માં નવા સબસ્ટેશનો ઊભા કરવાની તેમજ ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત કરવાની યોજના*

