છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે સરકારી આંગણવાડી કોઈ મકાનમાં નહીં પણ અહીં તસ્વીરમાં દેખાતી એક ઝૂંપડીમાં ચાલે છે.આ ઝૂંપડી પણ સરકારની નથી,એક કર્મચારીની છે ? આ ઝૂંપડીમાં સડેલા લાકડાની છત પર તાડપત્રી નાખવામાં આવી છે.
ભીંતો કાચી માટીની છે. વાત એવી છે કે છેલ્લા બે વર્ષથી આ આંગણવાડીનું પાકું મકાન બનવાનું છે. એવી વાતો થાય છે પણ એ અંગે નક્કર કશું થતું નથી.એક ચિંતા એવી પણ છે કે આ ઝૂંપડીમાં તાડપત્રી ઢંકાયેલી છત જો ધરાશયી થાય તો શું થાય?
આદિવાસી વિસ્તારના ૧૦ બાળકો આવી જોખમી છત નીચે બેસીને પોતાની પ્રારંભની કેળવણી મેળવી રહ્યા છે.

પાટનગરને લાંછન લગાડે એવો રૂ.૩૦/-લાખની લાંચ લેવાનો કિસ્સો

એટલે અહીં સાચવીને તથા સલુકાઈથી કામ કરવું.આ આમન્યા અને આ ધાક હવે રહી હોય એવું લાગતું નથી.તેનો પુરાવો એ છે ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર પેથા કરમશી પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુ દેસાઈ રૂ.૩૦/-લાખની લાંચ લેતા ઝડપાયા છે. મૂળ તો આ લાંચ રૂ.૨/-કરોડની માંગવામાં આવી હતી. પણ ઉભય પક્ષે ચર્ચા થયાં પછી એ રકમ રૂ.૩૦/-લાખ નક્કી થઇ હતી.
ગુજરાતનુ પાટનગર કે જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી(ને ગૃહમંત્રી પણ) બેસતા હોય એ શહેરમાં વર્ગ-૨નો પોલીસ અધિકારી તેના કોન્સ્ટેબલ સાથે રાખીને આટલી મોટી રકમની લાંચ બિન્ધાસ્ત બનીને અને શરમ વગર માંગી અને લઈ શકે એ સૂચવે છે લાંચિયા અધિકારીઓને કોઈ શરમ કે ડર નડતા નથી.
પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા છે કે નહીં એ નાગરિકોને સમજાતું નથી!

ગુજરાતનું પાટનગર ગાંધીનગર જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.પાટનગરને શણગારવામાં નરેન્દ્ર મોદીએ કોઈ કસર રાખી ન હતી.નરેન્દ્ર મોદીએ સોનાના ઘરેણાં જેવું રૂપાળું બનાવેલું પાટનગર ગાંધીનગર આજકાલ બિસ્માર હાલતમાં છે.

