પિતાની હયાતીમાં પુત્રીએ ભાગ જતો કર્યો હતોઃ મૃત્યુ બાદ હક માંગ્યોઃ દાવો જતો કર્યો હોય છતાં વારસાઈની જમીનમાંથી પુત્રીનો હક રદ થતો નથી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે પિતાની વારસાગત સંપત્તિમાં પુત્રીના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી પુત્રી પોતે સ્વૈચ્છિક રીતે પોતાના હિસ્સાનો ત્યાગ ન કરે, ત્યાં સુધી પિતાની મિલકતમાં તેના હક્કનો અંત આવતો નથી.
આ કેસ અમદાવાદના ચેનપુર ગામની વારસાગત ખેતીની જમીન સાથે જોડાયેલો છે. એક પુત્રીએ તેના પિતાની મિલકતમાં પોતાના આઠમા ભાગના હિસ્સા માટે દાવો કર્યો હતો. અગાઉ ટ્રાયલ કોર્ટે ‘ઘણો સમય વીતી ગયો છે’ તેમ કહીને પુત્રીનો દાવો રદ કર્યો હતો, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે મહત્વના મુદ્દાઓ નોંધ્યા:
અરજદાર પુત્રીના જણાવ્યા અનુસાર, તેણે પરિવારની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી પરિવારે સંબંધો તોડી નાખ્યા હતા.
અરજદાર પક્ષે દલીલ કરી હતી કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સિવિલ જજે કોઈ પણ ટ્રાયલ ચલાવ્યા વિના એકતરફી રીતે દાવો ફગાવી દીધો હતો. હાઈકોર્ટે હવે આ દાવાને પુનઃસ્થાપિત કરવાનો અને શક્ય તેટલી ઝડપથી તેનો નિકાલ લાવવાનો આદેશ આપ્યો છે.

