ભારતીય ટીમે 7 ફેબ્રુઆરીથી યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. આ સિવાય સંજુ સેમસન, ઈશાન કિશન, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને હર્ષિત રાણા પણ આ 15 સભ્યોની ભારતીય ટીમનો ભાગ છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા, વિજય હજારે ટ્રોફી 2025-26માં ખેલાડીઓનું પ્રદર્શન તેમની પસંદગીને જજ કરવા માટે એક મહત્વપૂર્ણ માપદંડ બની ગયું છે. T20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા 15માંથી 14 ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. વર્લ્ડ કપ પહેલા વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે જસપ્રીત બુમરાહે વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો ન હતો. આવો વિગતે જણાવીએ કે વિજય હજારે ટ્રોફીમાં ટીમમાં પસંદ કરાયેલા 14 ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું.
રિંકુ સિંહ અને હાર્દિકનું શાનદાર પ્રદર્શન
ચંદીગઢ સામે 106* અને હૈદરાબાદ સામે 67 સહિત અનેક પ્રભાવશાળી ઇનિંગ્સ રમીને રિંકુ સિંહ વિજય હજારે ટ્રોફીમાં સૌથી સફળ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડર વિભાગમાં પુનરાગમન કર્યું, તેણે વિદર્ભ સામે 133 રન અને ચંદીગઢ સામે 75 રન બનાવ્યા અને બોલિંગમાં પણ વિકેટ લીધી. અક્ષર પટેલે પણ આંધ્ર સામે 130 રન અને ઓડિશા સામે 73 રનની શાનદાર ઈનિંગ રમીને તેની બેટિંગ ક્ષમતા સાબિત કરી હતી, જે ટીમ ઈન્ડિયાના લોઅર-મિડલ ઓર્ડર માટે સારો સંકેત છે.
કેપ્ટન સૂર્યાનું ખરાબ ફોર્મ ચાલુ છે
જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ટૂર્નામેન્ટ નિરાશાજનક રહી હતી, જ્યાં તે બે મેચમાં 24 અને 15 રન જ બનાવી શક્યો હતો. મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માએ ચંદીગઢ વિરૂદ્ધ 109 રન બનાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ બંગાળ સામેની મેચ બાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેને સર્જરી કરાવવી પડી હતી, જેના કારણે તેના વર્લ્ડ કપમાં રમવા પર શંકા છે.
અન્ય ખેલાડીઓનું મિશ્ર પ્રદર્શન
શિવમ દુબેએ તેની બોલિંગ (68 રનમાં 4 વિકેટ)થી પ્રભાવિત કર્યું, પરંતુ તેનું બેટિંગ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. એ જ રીતે વોશિંગ્ટન સુંદર પણ બેટ અને બોલ બંનેથી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો ન હતો. વિકેટકીપર બેટ્સમેનોના વિભાગમાં ઈશાન કિશને 125 રન અને સંજુ સેમસને 101 રન બનાવીને પોતાનું ફોર્મ દર્શાવ્યું હતું. બોલિંગમાં અર્શદીપ સિંહે સિક્કિમ સામે 5 વિકેટ લઈને પોતાની ધાર બતાવી હતી, જ્યારે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ સ્પિન વિભાગમાં મહત્વની સફળતાઓ હાંસલ કરી હતી. જસપ્રીત બુમરાહે વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજાના ઈતિહાસને કારણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો, જેથી તે વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફિટ રહી શકે. હર્ષિત રાણાએ પણ પોતાની ઉપયોગીતા પુરવાર કરી પાંચ વિકેટ ઝડપી હતી.
વિજય હજારે ટ્રોફી 2025-26માં T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નીચે મુજબ છે:
• રિંકુ સિંઘ: 106*, 67, 63, 37*, 41, 57*, 37*

