તમારું ભાગ્ય બદલવું તમારા પોતાના હાથમાં છે… યુપી વોરિયર્સની હરલીન દેઓલે આ સાબિત કર્યું છે. બુધવાર, 14 જાન્યુઆરીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી બેટિંગને કારણે યુપી ટીમ મેનેજમેન્ટે તેને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. તે મેચમાં તેણે 36 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 130.56 હતો. જો કે તેના ગયા બાદ કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. પરંતુ 24 કલાકની અંદર હરલીને મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ વિનિંગ ઈનિંગ્સ રમીને પોતાનું નસીબ ફેરવી નાખ્યું.
ગુરુવાર, 15 જાન્યુઆરીએ યુપી વોરિયર્સનો સામનો હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા MIએ યુપીને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ વખતે હરલીન દેઓલે તેની રમવાની શૈલીમાં થોડો ફેરફાર કર્યો અને સ્ટ્રાઈક રેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હરલીને 39 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 64 રનની અણનમ ઇનિંગ રમી અને તેની ટીમ યુપી વોરિયર્સને WPL જીતવામાં મદદ કરી. 2026ની પ્રથમ જીત અપાવી.
મેચ પછી જ્યારે હરલીન દેઓલને છેલ્લા 24 કલાકમાં નસીબમાં થયેલા બદલાવ વિશે પૂછવામાં આવ્યું તો તે થોડી ભાવુક દેખાઈ. તેણે કહ્યું કે તેણે દિલ્હી કેપિટલ્સ સામે પણ કંઈ ખોટું કર્યું નથી.

