વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ રંગમંચલયક્ષી કલાઓના કાર્યક્રમોનો આખો સ્કેલ બદલી નાખ્યો હતો અને કલાકારોને ભવ્ય પુરસ્કાર અને ભરપૂર સુવિધા આપવાની શરૂઆત કરાવી હતી.
સમૃદ્ધ સાંસ્કૃતિક આયોજનના પાયોનીયર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકકલાકારોને સોમનાથમાં કોઈ સુવિધા આપવામાં નહોતી આવી અને આ કલાકારો જાણે સરકારી અધિકારીઓ તથા ઇવેન્ટ મેનેજરોના ગુલામ કે દાડિયા હોય એવી રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો
તથા અને તે સર્વે ભવ્ય પરંપરાગત કલાકારોને ભોજન માટે, યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ખોલવામાં આવેલા ભંડારાઓમાં, હજારોની ભીડ વચ્ચે,એકાદ કિલોમીટર જેટલી દૂર સુધી પહોંચતી લાઈનમાં ઉભા રાખીને જમાડવા માટે રાહ જોવડાવાઈ હતી અને વેઠિયા કે મજુરોને પણ શરમ આવે એવાં નહાવાના પાણીની પણ સગવડ ન હોય તેવા વંડામા પુરી દેવાયા હતા

અને કડકડતી ઠંડીમાં સવારના પાંચ વાગ્યામાં ચા-નાસ્તો પણ આપ્યા વગર પરફોર્મન્સ માટે સ્ટેજ પર ખડકી દેવામાં આવ્યા હતા.આ અમાનવીય વર્તનથી ગુજરાતના લોકકલાકારો ખૂબ દુભાઈને ભગ્ન હ્ર્દયે પોતાના વતન પરત ફર્યા હતા.
PM નરેન્દ્ર મોદી કરે એમ કરવાનો પ્રયત્ન કરતા ગુજરાતના નેતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતનાં ભા.જ.પ.ના (BJP) નેતાઓ પર એટલી ગાઢ અસર છે કે નરેન્દ્ર મોદી જે પ્રક્રિયા સહજ રીતે કરે છે તે બાકીના નેતાઓ પ્રયત્નપૂર્વક કરે છે.નરેન્દ્ર મોદી ગત અઠવાડિયે સોમનાથ સ્વાભિમાન યાત્રા માટે ગુજરાત આવ્યા ત્યારે તેમણે જે કર્યું તેમનું અનુકરણ કોણે કેવું કર્યું એ જાણવા જેવું છે.

(૧)ઃ-મોદીએ ડમરૂ વગાડ્યું તો મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પણ ડમરૂ વગાડ્યું
(૨)ઃ-મોદીએ ઢોલ વગાડ્યો તો ધારાસભ્ય ભગવાન બારડે પણ ઢોલ વગાડ્યો
(૩)ઃ-ઉદય કાનગડે કરતાલ વગાડી
(૪)ઃ-મોદીના આગમનને વધાવવા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટા પટેલે ગરબા લીધા(ગાયા)

