ICCએ સોમવારે કહ્યું કે તે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કરવા બદલ કોઈ દંડ નહીં કરે. ICCએ કહ્યું કે આ નિર્ણય BCB અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે એકતા દર્શાવતા 15 ફેબ્રુઆરીએ ભારત સામે વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.
આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે સહમતિ બની છે કે વર્તમાન મુદ્દાના સંબંધમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ નાણાકીય, રમતગમત અથવા વહીવટી દંડ લાદવામાં આવશે નહીં.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “બીસીબીને વિવાદ નિરાકરણ સમિતિ પાસે જવાનો અધિકાર છે.” વર્તમાન ICC નિયમો હેઠળ આ અધિકાર અકબંધ છે.
ICCએ કહ્યું કે તેનો અભિગમ ન્યાયી અને સમાનતાના સિદ્ધાંતો પર આધારિત છે અને સજા કરવાને બદલે મદદ કરવાના સહિયારા ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે. ICC એ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશને 2028 થી 2031 વચ્ચે ICC ટૂર્નામેન્ટની યજમાની કરવાની તક આપવામાં આવશે.
બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતમાં વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કર્યો હતો, જેની જગ્યાએ સ્કોટલેન્ડ રમી રહ્યું છે. ICC એ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશને 2028 અને 2031 ની વચ્ચે ICC ટૂર્નામેન્ટની યજમાની કરવાની તક આપવામાં આવશે. “આઇસીસીની સામાન્ય હોસ્ટિંગ પ્રક્રિયા, સમયરેખા અને ઓપરેશનલ આવશ્યકતાઓને આધિન, ICC મેન્સ વર્લ્ડ કપ 2031 પહેલા બાંગ્લાદેશ ICC ટૂર્નામેન્ટની યજમાની કરશે તેવી સમજણ સાથે સમજૂતી કરવામાં આવી છે.”
ICCએ જણાવ્યું હતું કે આ પગલું “ક્રિકેટનું આયોજન કરવાની બાંગ્લાદેશની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવે છે અને દેશમાં ક્રિકેટના વિકાસને આગળ વધારવા માટે તેના સભ્યોને અર્થપૂર્ણ હોસ્ટિંગની તકો પૂરી પાડવા માટે ICCની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.” ICCના ચીફ એક્ઝિક્યુટિવ સંજોગ ગુપ્તાએ કહ્યું: “બાંગ્લાદેશની ICC T20 મેન્સ વર્લ્ડ કપમાં ગેરહાજરી ખેદજનક છે પરંતુ એક પ્રીમિયર ક્રિકેટ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશ પ્રત્યેની ICCની કાયમી પ્રતિબદ્ધતાને બદલતી નથી.”

