(એજન્સી) વોશિંગ્ટન, ઈરાનની સાથે જંગ ક્્યારે ખતમ થશે? છેલ્લા ૧૦ દિવસથી મિડલ ઈસ્ટમાં વિધ્વંસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સંકટ ત્યારે શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, જેમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થઈ ગયું હતું.
રવિવારે ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તેહરાનની સાથે જંગ ખતમ કરવાનો નિર્ણય નેતન્યાહુ સાથે ચર્ચા-વિચારણા કરી આપસી સહમતિથી લેવામાં આવશે.
નાના ટેલીફોનિક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે તે પણ કહ્યુ કે જો તે અને નેતન્યાહુ દખલ ન આપી હોત તો ઈરાને ઇઝરાયલને ખતમ કરી દીધું હોત. તેમણે કહ્યું- ઈરાન ઇઝરાયલ અને તેની આસપાસની દરેક વસ્તુ ખતમ કરવાનું હતું.. અમે સાથે મળી કામ કર્યું છે. અમે એક એવા દેશને ખતમ કરી દીધો છે, જે ઈઝરાયલને ખતમ કરવા ઈચ્છતો હતો. ઈરાન સામે જંગ ખતમ કરવાને લઈને ટ્રમ્પે કહ્યુ- મને લાગે છે કે આ આપસી છે…. થોડું.. અમે વાત કરી રહ્યાં છીએ.
હું યોગ્ય સમય પર નિર્ણય લઈશ, પરંતુ દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે. તેમનો આ ઈશારો કહે છે કે નેતન્યાહુનું ઇનપુટ તો હશે, પરંતુ અંતિમ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ લેશે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું હુમલા રોકવાનો નિર્ણય કર્યા બાદ પણ ઈઝરાયલ ઈરાન વિરુદ્ધ યુદ્ધ જારી રાખી શકે છે તો ટ્રમ્પે તે સંભાવના પર વાત કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું- મને નથી લાગતું કે તેની જરૂર હશે.
ટ્રમ્પે તે પણ ન જણાવ્યું કે યુદ્ધ ક્્યાં સુધી ચાલશે. પરંતુ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટે શુક્રવારે કહ્યું કે અમેરિકાને આશા છે કે આ લડાઈ ચારથી છ સપ્તાહ સુધી ચાલશે.

