રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-૨૦૨૪થી અત્યાર સુધી ૭ લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.૪૩૭.૩૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે.રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે. જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦ અને કેન્દ્ર સરકાર રૂ.૩,૦૦૦ની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં ૬ માસ…
Author: gujarat
સુરત, સુરતની ફેમિલી કોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ૭ વર્ષની માસૂમ બાળકીની દીક્ષાના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે. દીકરીના માતા અને પિતા વચ્ચે સર્જાયેલા મતભેદો બાદ હવે પરિવારે ફરી એક થવાનો અને દીકરીને હાલ દીક્ષા ન અપાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જૈન સમાજના અગ્રણીઓ અને વકીલોની મધ્યસ્થીથી આ મામલે સમાધાનનો કરાર તૈયાર કરવામાં આવ્યો છે.સુરતમાં રહેતા એક જૈન પરિવારમાં ૭ વર્ષની દીકરીને દીક્ષા અપાવવા બાબતે માતા-પિતા વચ્ચે વિવાદ વકર્યાે હતો. પિતાએ દીકરીની નાની ઉંમર હોવાથી દીક્ષાનો વિરોધ કર્યાે હતો અને ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, આજે ફેમિલી કોર્ટમાં માતાના વકીલ કેતન રેશમવાલા અને પિતાના વકીલ સ્વાતિ…
ગાંધીનગર, હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા)માં સમાવાયેલા ૧૧ જેટલા ગામના નાગરિકો દ્વારા ભારે વિરોધ બાદ છેવટે શહેરી વિકાસ વિભાગે ૧૧ ગામને બાકાત કરવાનો નિર્ણય કર્યા છે.૧૧ ગામના નાગરિકો દ્વારા હુડામાં સમાવેશનો ઉગ્ર વિરોધ કરી વિરોધ કૂચ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, એટલું જ નહીં ગાંધીનગર ખાતે સરકારમાં પણ મીટિંગ કરીને રજૂઆત કરવામાં આવી હતી. તે પછી સરકારે જે ગામ માટે રજૂઆત હતી તેવા ૧૧ ગામને હુડામાં સમાવેશ નહીં કરાય તેવી જાહેરાત કરી છે.સરકારના નિર્ણય સામે છેવટે પ્રજાશક્તિનો વિજય થયો હોવાનું સાબિત થયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વિકસિત વિસ્તારમાં એક એવા હિંમતનગર નગરપાલિકાને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયામાં…
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ વધી રહેલી મુસાફરોની સંખ્યાની સાથે સાથે તકરાર પણ વધી રહી છે. સિક્યોરીટી અને રિક્ષા- કારચાલકો વચ્ચેની તકરાર યથાવત રહી છે ત્યારે જ અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પાસે ગુરુવારે સાંજે કારચાલક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ મામલે સિક્યુરિટી ગાર્ડ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.એરપોર્ટ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારે મોડી સાંજે ગોરખનાથ પાંડે નામનો સિક્યુરિટી ગાર્ડ ડોમેસ્ટિક ટર્મિનલના એરાઈવલ વિસ્તારમાં આવેલા કસ્ટમ નાકા પર ફરજ પર હતા ત્યારે જ એક કારચાલક પૂરઝડપે કાર હંકારી લાવ્યો હતો ત્યારે જ સિક્યુરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ…
અમદાવાદ, આંબાવાડી વિસ્તારમાં વર્ધમાન પેરેડાઈઝ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર નીચે પટકાતા બે શ્રમિકોના મોતની ઘટના બાદ હવે મ્યુનિ. દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવામાં આવી છે.આ ઉપરાંત ચાલુ બાંધકામ પણ બંધ કરાવી દીધું છે. ડેવલપર્સ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના પગલે કડક કાર્યવાહીના ભાગરૂપે રજાચિઠ્ઠી સ્થગિત કરાઈ છે. મ્યુનિ. દ્વારા એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ અપાઈ છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળના ભાગે વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઈઝ નામની રહેણાક સાઈટ ચાલી રહી છે.આ સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે સવારના ૧૦ વાગ્યાથી આસપાસના સમયે પ્લાસ્ટરનું કામ કરતા શ્રમિકો ચોથા માળેથી પટકાયા હતા. પાલખ બાંધીને…
ગાંધીનગર, કલોલમાં બે વર્ષ અગાઉ પરિચિત વ્યક્તિ દ્વારા સગીરાને કારમાં બેસાડીને તેનું અપહરણ કરી છેડતી કરવામાં આવી હતી. જે સંદર્ભે પોકસો એક્ટની કલમ મુજબ ગુનો દાખલ થયા બાદ કલોલની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી હતી.આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ કલોલ વિસ્તારમાં રહેતી સગીરા માય લાઈફ હોસ્પીટલ પાસેથી પસાર થઈ રહી હતી.ત્યારે તેનો પારિવારીક પરિચિત યુવાન વિજય હિરાજી રાઠોડ કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેણીને ઘરે મુકી જવાની વાત કરી હતી. જોકે સગીરાને ઘરે મૂકવાને બદલે કલોલની કે.આઈ.આર.સી…
અમદાવાદ , સાયબર ક્રાઈમ અને સંગઠિત ગુનાખોરીના વધતા વ્યાપ વચ્ચે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી કરોડોની રકમ જેમના ખાતામાંથી વિડ્રો કરવામાં આવી હતી તેવા આરોપી મહિલા રિન્કુ ભાટીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, તપાસના કાગળો જોતા સ્પષ્ટ થાય છે કે ૧.૦૬ કરોડથી વધુની ‘ડિસ્પ્યુટેડ અમાઉન્ટ’ અરજદારે વિડ્રો કરી છે, જે તેમની સીધી સંડોવણી દર્શાવે છે.દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે, જે આર્થિક ગુનાની ગંભીરતા દર્શાવે છે. સાયબર ક્રાઈમ દ્વારા આર્થિક લાભ મેળવવો એ ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ (સંગઠિત ગુનો) ની શ્રેણીમાં આવે છે, જેની ગંભીરતા વધુ છે.…
ઇન્વેસ્ટમેન્ટ જગતના મહારથી વોરેન બફેટની આખરે નિવૃત્તિ -વોરેન બફેટ દુનિયાના દસમા સૌથી ધનિક બિઝનેસમેન છે અને હવે તેમનું સ્થાન ગ્રેગ એબેલ સંભાળશેવોશિંગ્ટન, ઇન્વેસ્ટમેન્ટ જગતના મહારથી વોરેન બફેટે ૯૫ વર્ષની વયે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સાથે બર્કશાયર હેથવેના ઝ્રઈર્ં તરીકેની ૬૦ વર્ષની ઈનિંગનો અંત આવ્યો છે. વારેન બફેટની નિવૃત્તિ દુનિયાભરના શેરબજારો અને કોર્પોરેટ વર્લ્ડ માટે પણ એક યુગના અંત સમાન છે.વિશ્વના સૌથી સફળ રોકાણકાર અને ઓરેકલ ઓફ ઓમાહા તરીકે જાણીતા વોરેન બફેટ દુનિયાના દસમા સૌથી ધનિક બિઝનેસમેન છે. હવે તેમનું સ્થાન ગ્રેગ એબેલ સંભાળશે. વારેન બફેટ છેલ્લા ૬ દાયકાથી બર્કશાયર હેથવેનું સફળતાપૂર્વક સુકાન સંભાળતા હતા. તેમણે કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ…
Gandhinagar Typhoid Outbreak: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રદૂષિત પાણીથી અત્યાર સુધીમાં લગભગ ૧૫ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઘટનાનો પડઘો આખા દેશમાં પડ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતના ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર સામે આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ ઘટના સામે આવ્યા બાદ પાણીની તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર હોસ્પિટલમાં દાખલ મોટાભાગના લોકો આદિવાડા વિસ્તારની સાથે સેક્ટર ૨૪, ૨૬ અને ૨૮ ના રહેવાસી છે. છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારોમાંથી લગભગ ૬૭ લોકો બીમાર પડ્યા છે. એટલું જ નહીં મહાનગરપાલિકાની તપાસમાં ૧૦ સ્થળોએ લીકેજ પણ મળ્યું છે. ઈન્દોરની ઘટના બાદ ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીથી લોકોના બીમાર પડવાની ઘટનાએ ફફડાટ મચાવી દીધો છે.…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષ ૨૦૨૬ના સ્વાગતને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે.ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતુ અને નશો કરીને ફરતા લોકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.ત્યારે ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેરઠેર ૩૧ ડિસેમ્બરની પાર્ટીઓના આયોજન કરવામાં આવતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ આર.એમ.વસાવાની હાજરીમાં પાંચબત્તી સર્કલ,શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.જ્યારે સી-ડિવિઝન પોલીસ…
