કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રતપ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશેઆણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી એટીક ખાતે શુભારંભ કરવામાં…
Author: gujarat
(એજન્સી)અંબાજી, વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આવતા લાખો માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંદિરના સુવર્ણ શિખરની સુરક્ષા અને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને, હવેથી શિખર પર વધુમાં વધુ ૫ મીટર લંબાઈની જ ધજા ચઢાવી શકાશે.આ નવા નિયમનો અમલ આગામી પહેલી જાન્યુઆરી ૨૦૨૬ થી કરવામાં આવશે. ધજા ચઢાવવા માટે ભક્તોએ પૂર્વનિર્ધારિત ઓનલાઈન અથવા ઓફલાઈન સ્લોટ બુક કરાવવાના રહેશે.મંદિર વહીવટીતંત્ર અને ટેકનિકલ નિષ્ણાતોના સર્વેક્ષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરના મુખ્ય શિખર પર રહેલા ધ્વજદંડને આશરે ૧૫ વર્ષ પૂર્ણ થયા છે.ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક સ્તરે ચઢતી ૫૦થી ૬૦ ધજાઓના વજન અને પવનના…
અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ-૧૦ લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ(તમામ તસવીરોઃ જયેશ મોદી) (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે ૨૫ જાન્યુઆરી સુધી ચાલશે.આ વખતે ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ ૭૩,૦૦૦ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની…
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાઆર્થિક રીતે નબળા લોકો માટે આશીર્વાદ અને ટેકનોલોજીમાં અગ્રેસર એવી કિડની ઇન્સ્ટિટ્યૂટે પબ્લિક હોસ્પિટલ્સમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યુંગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ 24*7 કાર્યરત રહેતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટરઅમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.*ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.*આ ભવ્ય સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર દેશમાં પબ્લિક…
પ્રથમ વખત સાયબર સિક્યોરિટી અને સેફટી ઓડિટ ફરજીયાત: ધર્મસિંહ દેસાઈ(પ્રતિનિધિ) અમદાવાદ, ૧૯૪૭ થી શરૂ થયેલી AMTSની સફર આજે આધુનિક ટચ સુધી પહોંચી છે. AMTS પોતાના ૭૬ માત્ર વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઇતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે. એએમટીએસ દ્વારા ૨૨૫ ઈલેક્ટ્રિક બસોના ઐતિહાસિક પ્રોક્યુરમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના ચેરમેન ધરમશીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે એએમટીએસ પોતાના 76મા વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઈતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે.૨૨૫ બીઆરટીએસ-સંગત ઇલેકિટ્રક એસી મિડી બસોની ખરીદી એ શહેરને સ્વચ્છ, આધુનિક અને ભવિષ્યલક્ષી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરફ લઈ જતું ઐતિહાસિક પગલું છે.…
નવા વર્ષે દેશનાં ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતા(એજન્સી)નવી દિલ્હી, દેશના ચાર મુખ્ય ધાર્મિક સ્થળો તિરૂપતિ, અયોધ્યા, શીરડી અને વૈશ્નોદેવી ખાતે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ તમામ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને નિયંત્રિત કરવાના પગલાં અત્યારથી લેવાના શરૂ કરી દીધા છે.આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ મંદિરમાં ૩૦ ડિસેમ્બરથી ૧૦ દિવસીય વૈકુંઠ એકાદશી ઉત્સવ શરૂ થવાનો છે. આ દરમિયાન ૧ જાન્યુઆરી એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ પણ આવતો હોવાથી તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા ભીડના મેનેજમેન્ટ માટે…
Gujarat IPS Promotion: ગુજરાતમાં નવા વર્ષના આગમન પર પોલીસ વિભાગના ટોચના અધિકારીઓ જ્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને મોરચે હતા, તે જ સમયે રાજ્ય સરકારે ૧૪ આઈપીએસ (IPS) અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર રિલીઝ કર્યો હતો. ન્યૂ યરની ડ્યુટીમાં વ્યસ્ત અધિકારીઓ માટે નવું વર્ષ સારા સમાચાર લઈને આવ્યું. રાજ્ય સરકારે ૩૧ ડિસેમ્બરે આઈપીએસ વિકાસ સહાયના નિવૃત્ત થયા બાદ ૧૯૯૨ બેચના અધિકારી કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી (DGP) નિયુક્ત કર્યા, ત્યારબાદ અંદાજે પાંચ કલાક પછી મધ્યરાત્રિએ જેવું વર્ષ બદલાયું, સરકારે ૧૪ આઈપીએસના પ્રમોશનની જાહેરાત કરી દીધી. અધિકારીઓ માટે આ ક્ષણ ક્યારેય ન ભૂલી શકાય તેવી બની ગઈ.આ અધિકારીઓ બન્યા ડીજીપીગુજરાત સરકારે અલગ-અલગ રેન્કના ૧૪ અધિકારીઓને પ્રમોટ…
અમનઉલ્લા ગુલામનબી મલેકની અટકાયત કરી ખેતરમાં તપાસ કરતા ત્યાંથી ચાઇના દોરીના કુલ ૨૨૪ નંગ રીલ મળી આવ્યા હતા.(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા માંથી ખેતરમાં પુળા નીચે છુપાવેલ ચાઇનીઝ રીલ રૂ ૮૯ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી બે વ્યક્તિઓને પકડી પાડ્યા છે મળતી માહિતી મુજબ મહુધા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલના સુપરવિઝન હેઠળ પો.સબ.ઇન્સ એસ.આઇ.ડાભી તથા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.આ દરમિયાન બાતમી મળી હતી કે, મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાં અમનઉલ્લા ગુલામનબી મલેકના ખેતરમાં સૂકા પુળાની નીચે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસે બાતમી વાળી જગ્યાએથી અમનઉલ્લા ગુલામનબી…
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ચિઠોડા અને વડાલી પંથકમાં આવેલ કેટલાક મંદિરોમાં ચોરીના ઈરાદે પ્રવેશતી ગેંગના મુખ્ય સૂત્રધારને સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીને આધારે ઝડપી લઈતેની પાસેથી ચાંદીના છત્તર અને રોકડ મળી અંદાજે રૂ.ર૩,૯પ૦ના મુદ્દામાલ સાથે સોમવારે ઝડપી લીધા બાદ પુછપરછ કરતાં મંદિરમાં કરાયેલી ચોરીઓમાં અંબાજીના કુંભારીયામાં રહેતા અન્ય પાંચ શખ્સો સામેલ હોવાની કબુલાત કર્યા બાદ એલસીબીએ પકડાયેલા સૂત્રધારને પ્રાંતિજ પોલીસને હવાલે કર્યો હતો.આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલુ ગામના મંદિરોમાં તાજેતરમાં ચોરી થયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીને એવી બાતમી મળી હતી કેહિંમતનગર મુખ્ય…
(પ્રતિનિધિ)મોડાસા, છેલ્લા કેટલા સમયથી કિસાનોના પ્રશ્નો નો ઉકેલ નિરાકરણ ના આવતા. ના છૂટકે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે વિરાટ કિસાન શક્તિ પ્રદર્શન રાખેલ હોય તેમાં રાજ્યના દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છેતે મુજબ આજરોજ ખેડબ્રહ્મા એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના કાર્યાલયમાં હોદ્દેદારોની મીટીંગ માં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને દરેક ગામમાં મીટીંગ માટેનું આયોજન થયેલ છે અને દરેક ગામમાંથી સાધનની વ્યવસ્થા કરી દરેક ખેડૂતને ઉપસ્થિત રહેવા આહવાન કરેલ છેઆજની મિટિંગમાં તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ શ્રી નારાભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઇ પૂર્વ મામલતદાર શ્રી પ્રકાશ પટેલ પૂર્વ…
