વસોના રામપુરમાં ૪ માસૂમ બાળકીઓ પર હેવાનિયત આચરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામમાં પડોશમાં રહેતી ૭ થી ૧૧ વર્ષની ચાર માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવનાર ૫૪ વર્ષીય નરાધમ ને નડિઆદની સ્પેશિયલ પોક્સો કોર્ટે માનવતા મરી પરવારે તેવી કરતૂતો બદલ તેના કુદરતી જીવનના અંત સુધીની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત રૂપિયા ૧.૫૧ લાખ તો દંડ પણ કર્યો છેઆ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામના કાકરખાડ ફળિયામાં એકલવાયું જીવન જીવતો ચંદ્રકાંત ડાયાભાઈ પટેલ ઉંમર વર્ષ ૫૪ મહેંદી મૂકવાનું અને પેન્ટિંગનું કામ સાથે સંકળાયેલો છે ૧૪ /૧૦/ ૨૪ ના રોજ આ…
Author: gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાયપાસ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભરૂચ નગરપાલિકા,બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને જંબુસર બાયપાસથી મહંમદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું.આ કાર્યવાહી દરમ્યાન પ્રાંત અધિકારી મનીષા માનાણી,પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,પોલીસ સ્ટાફ સાથે જેસીબી અને ટ્રેક્ટર સાથે દબાણ દૂર કરવા માટે પહોંચેલી ટીમે રોડની સાઈડ પર કરવામાં આવેલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવતા લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી.તો કેટલાક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.તો દૂર કરાયેલા દબાણો ફરીથી ઉભા…
(એજન્સી)રાજકોટ, રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં મોબાઈલ ફોનની લત એક માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થઈ છે. સતત મોબાઈલ વાપરવાની આદતને કારણે પિતાએ ઠપકો આપી ફોનનો પાસવર્ડ બદલી નાખતા માઠું લાગી આવતા ૧૨ વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.યુનિવર્સલ સ્કૂલ પાસે રહેતા અને ધોરણ ૭ માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ પિતા ઘરની બહાર ગયા બાદ છતના એંગલમાં સાડી બાંધી આ અંતિમ પગલું ભર્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, ધોરણ ૭માં ભણતો વિદ્યાર્થી શાળાએથી ઘરે આવ્યા બાદ તરત જ મોબાઈલ લઈને બેસી ગયો હતો.રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા રાકેશભાઈએ તેને ભણવા પર ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો…
Øચાલુ વર્ષે ૧૨ હજારથી વધુ ગ્રાહકોની ફરિયાદ સંદર્ભે હકારાત્મક માર્ગદર્શન અપાયુંØગ્રાહક જાગૃતિ અંગે ૨,૫૦૦ જેટલી કન્ઝ્યુમર ક્લબને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૧૯ કરોડથી વધુની નાણાકીય સહાયØગ્રાહકોની સુરક્ષા બાબતે તોલમાપ તંત્ર દ્વારા દરોડા પાડીને વર્ષ દરમિયાન કુલ ૪,૨૫૪ કેસ કરીને રૂ. ૧.૨૫ કરોડની માંડવાળ ફી વસૂલાઈઅટલ નેતૃત્વ,અવિરત વિકાસના મંત્ર સાથે રાજ્યમાં ગ્રાહકોને સુરક્ષા અપાવીને ‘સુશાસન’ની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં તા. ૧૮ થી ૨૪ ડિસેમ્બર-૨૦૨૫ સુધી વિવિધ સ્વરૂપે ‘ગ્રાહક જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરાવવામાં આવી રહી છે. ગ્રાહકો પોતાના અધિકારો માટે સજાગ થાય,ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય,અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત માલ સામે ગ્રાહકોને થતી છેતરપીંડી સામે રક્ષણ…
Gujarat Crime Conference: ગુજરાતના નવા ડીજીપી (DGP) કોણ બનશે? કે.એલ.એન. રાવ કે પછી જી.એસ. મલિક, આ સવાલના જવાબ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓનો એજન્ડા સેટ કરી દીધો છે. ગાંધીનગરમાં બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ હોવો જોઈએ. લોકોનો પોલીસ પર ભરોસો નક્કર બને. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આનો મોટો શ્રેય ગુજરાત પોલીસને જાય છે. જેણે શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખ્યું. સીએમે કહ્યું કે ગુજરાત પોલીસ એઆઈ (AI) સહિત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ તથા સતર્ક પોલીસ બળ ગુનેગારો…
Gujarat IAS transfer list: ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત પહેલા રાજ્ય સરકારે વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કરી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે કુલ ૨૬ આઈએએસ અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કર્યો છે. ૧૯૯૮ બેચના આઈએએસ અધિકારી સંજીવ કુમારને સીએમઓ (CMO) માં નિમણૂક મળી છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ચાર્જ મુખ્ય સચિવ એમ.કે. દાસ પાસે હતો. દાસ ચીફ સેક્રેટરી બનતા પહેલા હોમ સેક્રેટરી હતા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં આ ચાર્જ સંજીવ કુમાર પાસે રહેશે. એટલું જ નહીં,…
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) –કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગના40વર્ષની સિદ્ધિઓનું વિશ્વ સમક્ષ પ્રદર્શનઆગામી10વર્ષમાં15,000જહાજોનું રિસાયક્લિંગ કરવાનો રાજ્યનું મહત્ત્વાકાંક્ષી વિઝનઅમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિ જાન્યુઆરી2026માં રાજકોટ ખાતે યોજાવા જઇ રહી છે,જેમાં ગુજરાત ફરી એકવાર પોતાની દરિયાઈ શક્તિને વિશ્વ સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરવા જઈ રહ્યું છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિકસિત અલંગ – સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ આજે વિશ્વમાં મોટા અને વિશ્વસનીય શિપ રિસાયક્લિંગ હબમાંથી એક ગણાય છે,જે વૈશ્વિક શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં લગભગ32ટકા યોગદાન આપે છે. રાજ્ય સરકારે બનાવેલી નીતિઓ,પારદર્શક વ્યવસ્થા,સુરક્ષા માપદંડો અને પર્યાવરણ માટેની પ્રતિબદ્ધતાઓને કારણે અલંગ આજે ગુજરાતની મેરિટાઈમ…
Ahmedabad Olympics Real Estate Growth: અમદાવાદના ૨૦૩૬ ગ્રીષ્મ (સમર) ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી રજૂ કરવા અને ૨૦૩૦ રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) રમતોની યજમાની હાંસલ કરવા સાથે રિયલ એસ્ટેટ ડેવલપર્સ શહેરમાં મજબૂત લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ જોઈ રહ્યા છે.રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે મોટા રમત આયોજનોથી શહેરના પાયાના માળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને રોકાણના વાતાવરણને નવી મજબૂતી મળશે. ડેવલપર્સના જણાવ્યા અનુસાર, અમદાવાદ પાસે મજબૂત રમતગમતનું માળખું, પૂરતી જમીન, બહેતર રોડ કનેક્ટિવિટી અને ઝડપથી થઈ રહેલો શહેરી વિકાસ છે. આ તમામ પરિબળો રોકાણકારોનો ભરોસો વધારવાની સાથે શહેરને દેશના ભવિષ્ય માટે તૈયાર શહેરોની યાદીમાં આગળ લઈ જઈ રહ્યા છે.મેટ્રો રેલ નેટવર્કનો વિસ્તાર, નવા…
સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર-મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવે છે“આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ ।રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ” અર્થાત સત્ત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે ,જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદ્દગુણ, શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, સ્નિગ્ધ, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે. ગીતાના આ શ્લોકને ચરિતાર્થ ગુજરાત સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી કર્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ થયેલી…
ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો::મુખ્યમંત્રીશ્રી::ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન તેમજ કોમ્યુનિટી આઉટ્રીચ સહિતના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહિ છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજુનિયર આઇપીએસ અધિકારીથી માંડીને સિનિયર આઇપીએસ તમામ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવનાર નવા વિષયો અને બેસ્ટ પ્રેક્ટિસિસને મુક્ત મને સ્વીકારવા અનુરોધ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ થાય અને પ્રજાને પોલીસ સાથે જોડાવામાં કોઈ તકલીફ ન રહે તેવા સંગીન વાતાવરણ નિર્માણ માટે રાજ્ય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ…
