સુરેન્દ્રનગર, સરકાર શિક્ષણ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે લીંબડી તાલુકાના ઉમેદપરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી શાળાના પટાંગણમાં હાથમાં સાવરણા લઈને સફાઈ કરતા જોવા મળી રહ્યા છે.વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણની આશાએ શાળાએ મોકલે છે, પરંતુ ઉમેદપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે શારીરિક શ્રમ અને સફાઈ કર્મચારી તરીકેનું કામ લેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગની બેદરકારી ઉઘાડી પડી છે. નવાઈની વાત એ છે કે, આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ…
Author: gujarat
અમદાવાદ, અમરાઇવાડીમાં ચાર શખ્સોએ તમે કેમ અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા ગયા કહી યુવકની બાઇક સહિત બે બાઇકને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. બાદમાં અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને નાસી ગયા હતા.આ અંગે યુવકે ચારેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમરાઇવાડીમાં રહેતા ભાવેશભાઇ સોલંકી શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં નોકરી કરે છે. ગત ૨૧ ડિસેમ્બરે રાત્રિના સમયે તેઓ સોસાયટીના સભ્યો સાથે ઊભા હતા ત્યારે રાહુલ અને ત્રણ અજાણ્યા શખ્સો તલવાર લઇને આવ્યા હતા. તે સમયે રાહુલે ભાવેશભાઇને તમે કેમ અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા ગયા હતા કહીને ઝઘડો કર્યાે હતો.બાદમાં ચારેય શખ્સોએ જોગમાયાનગરમાં…
ગાંધીનગર , ગાંધીનગરના રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી ખાઇ જતાં આરતી નામની યુવતીનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા સહિત અન્ય પાંચ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી.આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગત મુજબ આશારામ ઘનપત પટવા (રહે- સોમનાથ સોસાયટી-૧, કલ્યાણપુરા, કલોલ)ના પત્ની ઉષાબેન, દીકરી આરતી તેમજ કલોલના ઇમ્તિયાજ અંસારી, જાસ્મિન અન્સારી, અંજલીબેન ત્રિવેદી તથા અવતાડે પદમોબન મધુકર રવિવારે રિક્ષામાં બેસી રાંધેજા ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા.ત્યાંથી મોડી સાંજે પરત ફરતી વખતે રાંધેજા ફાટકથી રૂપાલ તરફ જતા રોડ પર રિક્ષા ચાલકે પૂરઝડપે ચલાવતા કાબુ…
નડિયાદ, નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર વયની બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ૮થી ૧૧ વર્ષની ચાર માસુમ બાળાઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી તેમની સાથે અવારનવાર અત્યાચાર ગુજારનાર અને તે ઘટનાઓના બિભત્સ વીડિયો ઉતારનાર આરોપી ચંદ્રકાન્ત ઉર્ફે પેન્ટર ડાહ્યાભાઇ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.આ સાથે જ અદાલતે આરોપીને કુલ ૧,૫૧,૦૦૦ રૂપિયાનો દંડ અને દરેક ભોગ બનનાર બાળકીને ૨,૦૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યાે છે. આ કેસની વિગતો મુજબ ૫૪ વર્ષનો આરોપી ચંદ્રકાન્ત પટેલ રામપુરના કાકરખાડ ફળિયામાં એકલો રહેતો હતો અને મહેંદી મૂકવા તેમજ પેન્ટિંગનું કામ કરતો હતો. તે શાળા છૂટવાના સમયે…
ફ્લાવર શોમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ થશે*ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરાશેઅમદાવાદ, પ્રતિનિધિ, અમદાવાદ શહેરમાં યોજાનાર 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે.આ ફ્લાવર શોને એક જીવંત વાર્તા તરીકે પરિકલ્પિત…
અમદાવાદ મેટ્રો અત્યારે દરરોજ1.6લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક30–40%ની વૃદ્ધિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબિંબિત કરતી અતિ આધુનિક અને આત્મનિર્ભર ભારતના પ્રતીક સમી ટ્રેનનું સ્વાગત કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટમાં કર્યુંશ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઑટોમેશન4 (GOA4)હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ – ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા આ મેટ્રો ટ્રેન ધરાવે છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઈન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ શનિવારે આપી હતી.કલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું.…
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ૭માં વાર્ષિક દિક્ષાંત સમારંભમાં સહભાગી બનતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીજ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ના વિકાસની સાથે સમાજ અને માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી૧૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની ડિગ્રી મેળવીપંચમહાલના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ૭મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની તથા સમાજ સુધારક શ્રી ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે,શ્રી ગુરુ…
AMC ની પ્રોપર્ટી ટેક્ષની ઉઘરાણી સામે રેલવેનો AMCને વળતો જવાબ-રેલવેના બિલો પેટેના 3.80 કરોડ બાકી છે તેમાંથી AMCની પ્રોપર્ટી ટેક્ષના 1.60 કરોડ જમા લઈ અમને બાકીના નાણાં ચૂકવો(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્તમાન નાણાંકિય વર્ષના અંતમાં પ્રોપર્ટી ટેક્ષની આવકમાં વધારો થાય તે માટે ૧ જાન્યુઆરીથી ૩૧મી માર્ચ ર૦ર૬ સુધી વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.જયારે બીજી તરફ પ્રોપર્ટી ટેક્ષના મોટા લેણદારો પાસેથી વસુલાત માટે પ્રયાસ ચાલી રહયા છે જેમાં કેન્દ્ર સરકારની એન્જસીઓ પણ સામેલ છે. પરંતુ કેન્દ્ર સરકાર હસ્તકને જ રેલવે વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્ષ કરતા વધુ રકમ લેવાની બાકી હોવાનો પત્ર કમિશનરને લખતા ખળભળાટ મચી…
Grant-in-aid schools policy Gujarat: સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ કાર્ડ કેવી ડિઝાઇનના હશે, ભોજન કેટલું ભવ્ય હશે અને કોન્ટ્રાક્ટ કોને મળશે તે નક્કી કરવા માટે દિવસો સુધી બેઠકો યોજાય છે. પરંતુ જે શિક્ષણ દેશનું ભવિષ્ય ઘડે છે, તે બાબતે એ જ તંત્ર અચાનક નિષ્ક્રિય બની જાય છે. અહીં સમસ્યા નીતિની નહીં પરંતુ પ્રાથમિકતાઓની છે. જ્યાં દેખાડો મહત્વનો બને છે, ત્યાં મૂળભૂત મુદ્દાઓ પાછળ રહી જાય છે.કરદાતાનો પ્રશ્ન અને દેખાવની રાજનીતિકરદાતા તરીકે આપણું કર શિક્ષણ અને આરોગ્યમાં કેટલું વપરાય છે એ પ્રશ્ન પૂછવાને બદલે આપણે પણ દેખાવની રાજનીતિમાં ફસાઈ જઈએ છીએ. પરિણામે પ્રતિનિધિઓને ભવ્ય આયોજન પર કરોડો ખર્ચવાનો ગર્વ થાય છે. આ દરમિયાન…
લક્ઝરી બસ પલ્ટી મારતાં 20 જેટલા સાણંદની કંપનીના મુસાફરો ઘાયલ -સાણંદથી માઉન્ટ આબુ પ્રવાસે ગયેલા મુસાફરોને અકસ્માત નડ્યો –વિરબાબા મંદિર નજીક બન્યો અકસ્માત માઉન્ટ આબુ, રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો હતો. રવિવારે (૨૧મી ડિસેમ્બર) સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ૨૪થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.અહેવાલો અનુસાર, બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક…
