(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલિ ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે.અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફો મારવાનો વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ-ટર્ન આવ્યો હતો.ગઇકાલે ૨૦ ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આ જ યુવતીએ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.જેના વીડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા દાદાગીરી કરનાર…
Author: gujarat
(એજન્સી)સુરત, પીપી સવાણી ગ્રૂપ દ્વારા આયોજિત કોયલડી સમૂહ લગ્નોત્સવમાં પિતા વિહોણી દીકરીઓને આજે પિતૃત્વનો સહારો મળ્યો.જ્યાં લગ્ન માત્ર વિધિ નહીં પરંતુ એક સંવેદનાની ઉજવણી બની ગયા, અબ્રામા ખાતે પીપી સવાણી ગ્રૂપ દ્વારા ભવ્ય કોયલડી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે.શનિવાર અને રવિવાર એમ બે દિવસ ચાલનારા આ સમૂહ લગ્નોત્સવમાં કુલ ૧૩૩ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. જ્યાં સમાજ દીકરીના હાથ પીળા કરવા માટે એકસાથે ઉભો થાય, જ્યાં પિતૃત્વ માત્ર સંબંધ નહીં પરંતુ સંવેદના બને એવા સુરત ના અબ્રામા ખાતે પી.પી.સવાણી ગ્રુપ દ્વારા કોયલી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે ૫૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા.આ સમૂહ લગ્નોત્સવની સૌથી વિશેષ…
વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો, જેમાં તેનું સારવાર દરમિયાન મોત(એજન્સી)ભૂજ, કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. જયંતી ભાનુશાળીના હત્યાનો આરોપી શાર્પ શૂટરની પૂણેની જેલમાં હત્યા કરવામાં આવી છે. ટ્રેનમાં ફાયરિંગ કરનારા ત્રણ પૈકીના એક વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો હતો. જેમાં વિશાલ કાંબલેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેલમાં સૂતેલા વિશાલ ઉપર બે કેદીઓએ ટાઈલ્સથી હુમલો કર્યો હતો.ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરોની પૂછપરછમાં પુનાના વિશાલ કાંબલેનું નામ બહાર આવ્યું હતું. જો કે વિશાલ કાંબલે પૂનામાં ફાયરિંગ અને હત્યા કેસમાં યેરવડા જેલમાં કેદ હતો.…
અમદાવાદના આમ્બલી રોડ સ્ટેશન પર “રેલ કોચ રેસ્ટોરન્ટ” બનાવવામાં આવી રહી છે -જ્યાં નાગરિકોને મળશે મુસાફરી જેવો અનુભવ, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ સુવિધાઓપશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અનોખી પહેલ હેઠળ પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં બેસીને લોકો મુસાફરી કર્યા વિના જ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશેઅને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પરનો રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ રેસ્ટોરન્ટ હશે. પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ, અંધેરી, બોરીવલી, રતલામ અને રાજકોટમાં રેલ કોચ રેસ્ટોરન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છેઆ રેલ કોચ…
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે સરકારી આંગણવાડી કોઈ મકાનમાં નહીં પણ અહીં તસ્વીરમાં દેખાતી એક ઝૂંપડીમાં ચાલે છે.આ ઝૂંપડી પણ સરકારની નથી,એક કર્મચારીની છે ? આ ઝૂંપડીમાં સડેલા લાકડાની છત પર તાડપત્રી નાખવામાં આવી છે.ભીંતો કાચી માટીની છે. વાત એવી છે કે છેલ્લા બે વર્ષથી આ આંગણવાડીનું પાકું મકાન બનવાનું છે. એવી વાતો થાય છે પણ એ અંગે નક્કર કશું થતું નથી.એક ચિંતા એવી પણ છે કે આ ઝૂંપડીમાં તાડપત્રી ઢંકાયેલી છત જો ધરાશયી થાય તો શું થાય?આદિવાસી વિસ્તારના ૧૦ બાળકો આવી જોખમી છત નીચે બેસીને પોતાની પ્રારંભની કેળવણી મેળવી રહ્યા છે.પાટનગરને લાંછન લગાડે એવો રૂ.૩૦/-લાખની લાંચ લેવાનો કિસ્સોએટલે…
Øગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત યુવાન જયેશભાઈ ગોંડલિયાનું અકસ્માત બાદ બ્રેઇન ડેડ તથાઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથીગોંડલિયા પરિવારે અંગદાન કર્યું.Øદર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે,જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે.રાજકોટ પંથકના એક યુવાન જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના હૃદય સાથે બે કિડની,લીવર અને આંખ સહિતનાં અંગોનું દાન કરી દુઃખમાં પણ પરિવારે દાનની મહાનતા બતાવી છે.ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ ગોંડલિયાને તા.18 ડીસેમ્બર ની સવારે અકસ્માત બાદ મગજની ગંભીર ઇજા થવાના કારણે તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ જયેશભાઈના કુટુંબીજનોમાં તેમના ધર્મપત્ની ભાવનાબેન,પુત્ર નિર્ભય,પુત્રી માહી,પિતાશ્રી મનસુખભાઈ,માતાશ્રી લાભુબેન…
ભરવાડ સમાજે બેઠક યોજીને કુપ્રથા બંધ કરીને સુધારાવાદી નિયમો અપનાવ્યા(એજન્સી)અમદાવાદ, રબારી, ઠાકોર, મોદી, સરગરા સમાજ બાદ હવે ભરવાડ સમાજે પણ કેટલાક કુરીવાજો પર પ્રતીબંધ લાદવા અને નવા નિયમો લઅમલી કરવા માટે બેઠક મળી હતી. સમાજના પ્રમુખ વિજય ભરવાડના કહેવા પ્રમાણે આ નિયમો અત્યારથી જ લાગુ કરી દેવાયા છે.અને એટલે હવે જે પ્રસંગે થશે તેમાં ભરવાડ સમાજના દરેક લોકો નવા નિયમનું પાલન કરશે. જુના નિયમ અને ખોટા રીવાજને કારણે કેટલાક પરીવારો આર્થિક બોજો સહન કરી રહયા છે. સામાજીક પ્રસંગમાં ૪ તોલાથી વધુ સોનું ન અપાય તેનું ખાસ ધ્યાન રાખવાની સમાજના અગ્રણીઓએ અપીલ કરી છે.સમાજના અગ્રણીના કહેવા પ્રમાણે ભરવાડ સંસ્કાર સંસ્કૃતિ, શિક્ષણ…
GCCI બિઝનેસ વુમન કમિટીએ “Elevating Health Awareness with Leaders in Medicine” – “Smart Living for Business Leaders” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું હતું.GCCI બિઝનેસ મહિલા વુમન કમિટી દ્વારા, GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી તારીખ 15મીડિસેમ્બર થી 19 મી ડિસેમ્બર, 2025 દરમિયાન પાંચ દિવસીય હેલ્થ સમિટનુંઆયોજન કરવામાં આવ્યું. આ હેલ્થ સમિટનું થીમ હતું: “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન – સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”.સમિટના અંતિમ દિવસે તારીખ 19 ડિસેમ્બર, 2025 ના રોજમુખ્ય વક્તા તરીકે ડો. કેયુર પરીખ, એમડી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને મારેંગો CIMS હોસ્પિટલના ચેરમેન અને ડો. અનિશ ચંદારાણા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મારેંગો CIMS હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા.…
ખેતી અને પશુપાલન સાથે હવે ડ્રોન દ્વારા કરી રહી છે લાખોની કમાણીડીસા, બનાસકાંઠા: ભારત સરકાર અને રાજ્ય સરકારના ‘સુશાસન’ અને ‘લખપતિ દીદી’ અભિયાન હેઠળ ગ્રામીણ ભારતની મહિલાઓ હવે આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી આજે આધુનિક ખેતી અને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે.આશાબેન અગાઉ માત્ર પશુપાલન અને પરંપરાગત ખેતીવાડી સાથે જોડાયેલા હતા. પરંતુ, રાજ્ય સરકારના સ્વસહાય જૂથો (SHGs) અને મહિલા ઉત્કર્ષ યોજનાઓના માધ્યમથી તેમને આધુનિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન મળ્યું. આજે તેઓ ખેતરોમાં ખાતર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.આશાબેને પોતાની સફળતા વિશે…
