અટલ નેતૃત્વ,અવિરત વિકાસ,સુશાસન થકી સમૃદ્ધ ખેડૂતવર્ષ2026-27માંGETCOદ્વારા₹1000કરોડના અંદાજિત ખર્ચે5 નવા સબસ્ટેશન અને લગભગ1100સર્કિટ કિમી (CKM)ના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના40નવા સબસ્ટેશનો, 4640.73 CKMની ટ્રાન્સમિશન લાઇન્સ તેમજ3927.72 CKMના MVCCકામ માટે રાજ્ય સરકાર દ્વારા₹5000કરોડથી વધુનો ખર્ચ‘માર્ચ2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસેવીજળી મળતી થઈ જશે’ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,સુશાસનનો હેતુ છે ખેડૂતલક્ષી યોજનાઓ અને પહેલો પારદર્શક અને અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચે. ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે,અને ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે,જ્યારે ખેડૂતો સમૃદ્ધ,સુરક્ષિત અને આત્મનિર્ભર હોય. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુદૃઢ સુશાસન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ તમામ ખેડૂતો સુધી સફળતાપૂર્વક પહોંચાડી રહી…
Author: gujarat
શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અસારવા ગામમાં ભવ્ય હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરાયુંઅસારવા વિધાનસભાના સ્થાનિક પ્રશ્નોનો ઝડપી ઉકેલ અને પ્રજાની સુખાકારી એ જનપ્રતિનિધિ તરીકેનો અમારો સંકલ્પ: સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં, અસારવા ગામનાં મુખ્ય દ્વાર પર નવા તૈયાર કરવામાં આવનાર ભવ્ય હેરિટેજ ગેટનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવા આવ્યું હતુ. આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા ગામતળના વિકાસ માટે ફાળવવામાં આવેલા વિશેષ બજેટ અંતર્ગત આ…
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૨૧ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાશેનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિનાગરિકો,સંસ્થાઓ,વિચારકો અને નેતાઓને એક જ મંચ પર લાવીને હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમમાનવ જીવનમાં મનની શાંતિ,સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તા. ૨૧ ડિસેમ્બરના રોજ બપોરે ૨:૩૦ કલાકથી રાજ્યસ્તરીય ધ્યાન કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરના દિક્ષાંત સમારોહનું મહાત્મા…
ઈડર, સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસ શાખામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ઈડર ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ અને હંગામી મહિલા કર્મચારી રૂપિયા ૧.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા.આ સિવાય એક કર્મચારી ફરાર થઇ ગયો હતો. સિગ્રિકેશન કચરાના કામના બિલ મંજૂર કરાવવા માટે લાંચની ત્રણ કર્મચારીએ માગણી કરી હતી.ઇડર તાલુકા પંચાયતમાં આવેલા ગ્રામ વિકાસ શાખામાં હંગામી ધોરણે કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અને ઈડર તાલુકા ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ કલસ્ટર કો ઓર્ડિનેટર જીન્નત બહેન પટેલ અને મેહુલ રાઠોડે સિગ્રેકેશન કચરાના વર્ગીકરણ કામના પેમેન્ટ બાબતે કોન્ટ્રાક્ટર પાસે થયેલા ૧૨ ટકા લેખે રૂપિયા ૧.૨૫ લાખની…
(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલમાંથી હયાત ર્નસિંગ સ્ટાફની એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં ત્રણ ત્રણ મહિના માટે ફાળવણી કરવાનાં આદેશનાં પાલન નહિ કરનારા કર્મચારીઓ અન્ય હોસ્પિટલમાં ફરજ બજાવવા જવા તૈયાર નથી અને સત્તાધીશોને ગાંઠતા નથી. તેમ છતાં તેમની સામે પગલા લેવામાં સત્તાધીશો લાચારી અનુભવી રહ્યાં છે.વી.એસ.હોસ્પિટલનાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વી.એસ.હોસ્પિટલમાં તોડ?ફોડ અને અન્ય કારણોસર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, બીજી બાજુ એલ.જી. અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતાં ર્નસિંગ સહિતનાં સ્ટાફની અછત વર્તાય છે.ત્યારે આઉટર્સોસિંગથી સ્ટાફ લેવાને બદલે સત્તાધીશોએ વી.એસ.નાં ર્નસિંગ અને અન્ય સ્ટાફને ત્રણ ત્રણ મહિના માટે એલ.જી અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવવા જવા મોકલવાનો નિર્ણય લીધો હતો. વી.એસ.હોસ્પિટલમાં ફરજ…
૨૦૨૨માં શહેરના ખાડિયા વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકર રાકેશ ઉર્ફે બોબીની હત્યાના કેસ-મૃતક રાકેશ ઉર્ફે બોબી નમ્રતાના ભાઈઓનો ખાસ મિત્ર હતો.(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૨૨માં શહેરના ખાડિયા વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકર રાકેશ ઉર્ફે બોબીની હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.કોર્ટે તમામ પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ચાર આરોપીઓને કડક સજા સંભળાવી છેઃમોન્ટુ નામદાર (મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત આરોપી) વિશ્વ રામી, જયરાજ દેસાઈ, સુનિલ બજાણિયા,શું હતો હત્યા પાછળનો ૩૦ વર્ષ…
રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, ૧.૨૫ લાખ વકીલોનું મતદાન-અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બારઃસૌથી મોટા આ બારમાં ૯ હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. અહીં ૧૪ બેઠકો માટે ૪૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.(તમામ તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં 19-12-2025 એક મહત્વનો દિવસ રહ્યો. રાજ્યભરના તમામ ૨૮૨ બાર એસોસિએશનની ચૂંટણી શુક્રવારે ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાઈ.વહેલી સવારથી જ હાઈકોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષની ચૂંટણી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને કારણે ખાસ બની રહી છે, કારણ કે પ્રથમ વખત વકીલ મંડળોમાં મહિલા અનામત પ્રથા અમલી બની છે.રાજ્યભરના નાના-મોટા તમામ મંડળો મળીને અંદાજે ૧.૨૫ લાખ…
નોર્થ, વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં પાર્કિગ વ્યવસ્થાથી ટ્રાફિકમાં નોંધપાત્ર સુધારો(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક દબાણ અને ગેરવ્યવસ્થિત ર્પાકિંગની સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોર્થ, વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોન માટે વિસ્તૃત અને આયોજનબદ્ધ ર્પાકિંગ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.અમદાવાદ શહેરની સુધારેલી ર્પાકિંગ નીતિના આધારે તૈયાર કરાયેલો આ પ્લાન અમલમાં આવતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો પ્રવાહ સુચારુ બન્યો છે અને નાગરિકોને રોજિંદા આવન-જાવનમાં મોટી રાહત મળી છે.વર્ષ ૨૦૨૩માં જીપીએમસી એક્ટ, ૧૯૪૯ હેઠળ અમલમાં આવેલી ર્પાકિંગ નીતિના અનુસંધાને એ.એમ.સી. દ્વારા તબક્કાવાર રીતે ર્પાકિંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ નીતિનો મુખ્ય હેતુ શહેરની આયોજન નીતિઓને અનુરૂપ…
હોડીગ્સ પર પોતાની જાહેરાતો પ્રદર્શીત કરી શકશે નહી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.‘જીએમસીની એડવર્ટાઈઝિંગ પોલિસીને પડકારવાનો એજન્સીને અધિકાર નથી ’ -નવી પોલિસી સીજીડીસીઆરના નિયમોથી વિરૂધ્ધ હોવાનું જણાવી એજન્સીઓએ લાઈસન્સ લેવાના બદલે હાઈકોર્ટમાં અરજી કરી હતી(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગાંધીનગર આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલીસી ર૦ર૪ને પડકારતી વિવિધ પીટીશનોમાં સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.જસ્ટીસ મૌના એમ ભટ્ટની કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લાઈસન્સ એગ્રીમેન્ટ કર્યા વિના એજન્સીઓ પાસે આ પોલીસીની પડકારોનો પ્રથમ દૃષ્ટિએ કોઈ કાયદાકીય અધિકાર લોસ રહેતો નથી. આ ચુકાદાને પગલે હવે જાહેરાત એજન્સીઓને ફરજીયાતપણે લાઈસન્સ પ્રક્રિયા પુર્ણ કરવી પડશે. જેનાથી મહાનગરપાલિકાની…
(એજન્સી)અમદાવાદ, નરોડા વિસ્તારમાં ભાડે ડ્રાઈવીગ માટે લીધેલી થાર પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છ.ે એક શખ્સે લકઝુરીયસ મહેન્દ્રા થાર ગાડી એક દિવસના ભાડે લીધા બાદ તેના અન્ય બે સાગરીતો સાથે મળીને ગાડી બારોબાર વેચી દીધી હોવાની આશંકા સાથે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે. પોલીસે રૂ.૧ર લાખની મતાની ગાડી બાબતે ગુનો નોધી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.નિકોલ વિસ્તારની આરતી સોસાયટીમાં રહેતા અને અમરાઈવાડીમાં નોકરી કરતા ર૯ વર્ષીય કૈયુર રામજીભાઈ રબારીએ આ મામલે ફરીયાદ નોધાવી છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છેકે, કેયુરભાઈ તેમના મીત્ર મૌલીકભાઈની મહેનદ્રા થાર પર ગાડી સેલ્ફ ડ્રાઈવીગ માટે ઉપયોગમાં લેતા હતા.ગત…
