મોડાસા–લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના -શિક્ષકની બેદરકારીથી બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જિલ્લામાં આવેલી મોડાસા–લુણાવાડા રોડ પર રાત્રે બનેલી એક હચમચાવી દેનારી હિટ એન્ડ રન ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ચલાવવામાં આવેલી કારએ બાઈકચાલકને અડફેટે લઈ ભયાનક અકસ્માત સર્જ્યો, જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માત બાદ કારચાલકે બચાવ કરવાની જગ્યાએ બાઈકને પોતાની કારની નીચે ફસાવીને આશરે ચાર થી પાંચ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો.મોડી રાત્રે બનેલી આ ઘટનાનો એક અન્ય કારચાલકે વિડિયો બનાવી લીધો હતો, જે…
Author: gujarat
અધૂરા માર્ગ પર પૂર્ણતા બોર્ડ લગાવવાની કોન્ટ્રાક્ટરની કરામત સામે આવી(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) વિકાસના દાવાઓ વચ્ચે ગોધરા તાલુકાના સાંપા ગામે વાસ્તવિકતાની અલગ જ તસવીર સામે આવી છે. કુંડલા ફળીયાથી સાંપા ગામને જોડતો મુખ્ય માર્ગ હજુ અધૂરો છે, છતાં પણ તેની સામે પૂર્ણતાનો બોર્ડ લગાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ માર્ગનું કામ આશરે એક વર્ષ પહેલાં શરૂ થયું હતું.૨.૨૫ કિમી લાંબા માર્ગમાં માત્ર એકાદ કિલોમીટર જેટલું ડામર રોડ બનાવ્યા પછી કામ અટકી ગયું. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગ પૂર્ણ થયો હોવાનું દર્શાવતા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષ…
સેવા કાર્યોની અડધી સદીઃ આગામી દિવસોમાં સ્કિલ સેન્ટર, વાંચનાલય અને સદાવ્રત ચલાવી સેવા કરવાનું આયોજન(એજન્સી)અમદાવાદ, ‘જનસેવા’ એ જ પ્રભુસેવા’ ઉકિતને મણીનગરના વડીલો સાર્થક કરી રહયા છે. નિવૃત્તિ બાદ નિષ્ક્રીય અને નીરસ બની જીવન પસાર કરવાના બદલે સદવીચાર પરીવારના સિનીયર સીટીઝન ગરીબ દુખીયારા, દર્દીઓ અને નિરાધાર લોકોની સેવામાં સમય વ્યતિત કરી પ્રભુની સેવા કર્યાનો આનંદ અનુભવી રહયા છે.પ૦ વર્ષથી ચાલતા આ ગ્રુપે સેવા કાર્યોની અડધી સદી પુરી કરી છે. તેઓ રોજ સવાર-સાંજ એલ.જી. હોસ્પિટલમાં જઈ દર્દીઓ અને તેમનાસગાંને ભોજન કરાવી દવાનું વિતરણ કરે છે. જે સમાજમાં રહીને ઘડાયા એ સમાજને કઈક પાછું આપવાની લાગણી સાથે મણીનગરના સદવીચાર પરીવારે પ૦ વર્ષથી જરૂરીયાતમંદોની…
સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા ભારપૂર્વક ભલામણ કરી છેજામનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી જીતુ વાઘાણીને એક તાકીદની લેખિત રજૂઆત કરીને, પોતાના સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા ભારપૂર્વક ભલામણ કરી છે.ગાંધીનગર ખાતે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના કાર્યાલયને પાઠવેલા પત્રમાં પૂનમબેન માડમે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે કમોસમી વરસાદે તેમના ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં આવતા જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના…
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમીત્તે -કેવડીયા ખાતે તા.૩૧મી ઑકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી કરાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીરાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરાશે* • *એકતાનગર ખાતે રૂ. ૧,૨૧૯ કરોડના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે*રૂ.૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર ધ મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત તથા ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટનસાયક્લોથોન સ્પર્ધામાં તા. ૧૭ નવેમ્બરે દેશભરના સ્પર્ધકો ભાગ લેશે: સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું…
Arvind Kejriwal: સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં દિલ્હી પૂર્વ CM અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માનએ ભાજપ સરકાર પર કડક પ્રહાર કર્યો. કેજરીવાલે જણાવ્યું કે હવે ગુજરાતમાં BJP સરકારના અંતની શરૂઆત થઈ ગઈ છે.કિસાનો પર દમન અને ખોટા કેસનો આરોપકેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ખેડૂતોના હકો છીનવવામાં આવી રહ્યા છે અને જે પોતાનો હક માગે છે, તેવા 85 ખેડૂતોને ખોટા કેસ લગાવીને જેલમાં મોકલાયા છે. તેમણે કહ્યું કે “સરદાર પટેલની ધરતી આજે રડી રહી છે, કારણ કે અહીંના ખેડૂતો પર લાઠીચાર થાય છે અને ખોટા ગુનાઓમાં ફસાવવામાં આવે છે.”સરદાર પટેલના નામે હુમલોઅરવિંદ કેજરીવાલે યાદ અપાવ્યું…
Jigisha Patel AAP:ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજની આગેવાન તરીકે ઓળખાતી જિગીશા પટેલ હવે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાઈ છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જિગીશા પટેલે પાર્ટી સાથે જોડાઈ. બીજા જ દિવસે તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં પહોંચ્યા અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવી.આ પગલાં પછી ચર્ચા શરૂ થઈ છે કે શું જિગીશા પટેલ ગોંડલમાંથી ચૂંટણી લડશે? — તેમના શબ્દોમાં, “જો પાર્ટી કહેશે તો હું તૈયાર છું.”ગોંડલ : પાટીદાર-ક્ષત્રિય રાજનીતિનું કેન્દ્રગોંડલ બેઠક લાંબા સમયથી ક્ષત્રિય નેતાઓના વચસ્વા માટે ચર્ચામાં રહી છે. અગાઉ અહીં પાટીદાર અને ક્ષત્રિય સમુદાય વચ્ચે અનેક રાજકીય તણાવ સર્જાયા હતા. વર્ષો દરમિયાન અહીં અનેક હત્યાઓના કિસ્સાઓ…
Ø‘એક રાજ્ય – એક પોર્ટલ’ના વિઝન સાથે “સરકાર નાગરિકોના ઘર આંગણે” – “ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ ધ સિટીઝન”નો મંત્ર ચરિતાર્થ કરવાની ભલામણો સાથેનો અહેવાલ.Øસિંગલ સાઈન ઓન સિસ્ટમ-SSOથી નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.થી મળતી થશે.Øરાજ્ય સરકારની સેવાઓ માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો – ‘એકવાર માહિતી આપો – વારંવાર લાભ મેળવો’નો ધ્યેય સાકાર થશે.Øડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવીને રીએક્ટિવથી પ્રો-એક્ટિવ ગવર્નન્સથી નાગરિક કેન્દ્રિત સેવા વિતરણ અમલ કરવા ભલામણ.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ – સિટિઝન ફર્સ્ટના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરીને વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047થી નવો અધ્યાય રચવાનો ધ્યેય…
ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે ૧૪.૮૯ લાખની કરી છેતરપિંડી -૨૫ વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છેગાંધીનગર, ગાંધીનગરના CID ક્રાઇમ ઓફિસરની એક જુનિયર ક્લાર્ક વિરૂદ્ધ બોગસ પ્રમાણપત્રો રજૂ કરી સરકાર સાથે ૧૪.૮૯ લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે.હકીકતમાં અમદાવાદના મણિનગરની રહેવાસી દક્ષા વ્યાસ નામની મહિલાએ પોતાના પોલીસ કોન્સ્ટેબલ પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરી લીધા હતા. જોકે, તેણે સરકારથી આ હકીકત સરકારથી છૂપાવી અને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ રાખ્યું હતું. ૨૫ વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી…
Sardar Patel Family: રાષ્ટ્રને એક કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા દિવસની પૂર્વસંધ્યાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોખંડી પુરુષની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી અને ફોટો પડાવ્યો. આ પહેલી વાર છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી સાથે આખો પરિવાર એક સાથે જોવા મળ્યો છે. નડિયાદમાં જન્મેલા સરદાર પટેલ આણંદના કરમસદ સ્થિત તેમના ઘરમાં ઉછર્યા હતા, પરંતુ ઘણા વર્ષોથી, તેમના પરિવારના સભ્યો દૂર ખાનગી જીવન…
