Heart Disease in Gujarat: ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના 60 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ 17174 કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 18% જેટલો વધારો થયો છે, જેના પરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. ગત વર્ષ કરતાં કેસમાં 18%નો ચિંતાજનક વધારો ગુજરાતમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 18 ઓગસ્ટ સુધી હૃદય સંબધિત સમસ્યાના 59,931 કેસ સામે આવ્યા છે. ગયા વર્ષે આ સમયગાળામાં હૃદય સંબંધિત સમસ્યાના 51,453 કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાંથી…
Author: gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ માહોલમાં તિરંગાને સલામી આપી –મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પોરબંદરના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું-:મુખ્યમંત્રીશ્રી:-Øવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા એજન્ડા ફોર ૨૦૩૫Øગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરવાનો સહિયારો સંકલ્પ લઈએØનવા આયામો સિદ્ધ કરવા‘સમૃદ્ધ રાજ્ય,સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર–૨૦૩૫ સરકાર લાવશેમહારાષ્ટ્ર રાજ્ય પોલીસ સહિત ૧૯ પ્લાટૂનના ૬૮૫ જવાનોએ રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ પરેડ દ્વારા સલામી આપીગુજરાત પોલીસના જવાનોએ પ્રસ્તુત કરેલા અશ્વ શો,ડોગ શો,બાઈક શોના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને…
Earthquake in Kutch: કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 10:12 વાગ્યે આ ભૂકપંનો આંચકો અનુભવાયો હતો. વળી બીજી બાજું રાપરમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા મળતી માહિતી મુજબ, ગુરૂવારે (21 ઓગસ્ટ) કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:12 કલાકે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય રાપરમાં રાત્રે 10:19 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિ.મી દૂર હતું. નોંધનીય છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનની માહિતી સામે આવી…
સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા લખવામાં આવ્યો-મહિલા કર્મચારીઓને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બોલાવીને બધા વચ્ચે ઉતારી પાડી, મોઢા પર કાગળ ફેંકવા સુધીની ગેરવર્તણુંક કરે છે. ગુજરાત સરકારમાં સચિવાલય કેડરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.આ કેડરના અધિકારી/કર્મચારી સરળ,સહજ અને સજ્જ્ન હોય એવી સામાન્ય છાપ પ્રવર્તે છે. પરંતુ હવે એવું લાગે છે કે સચિવાલયના કર્મચારી/અધિકારીઓનું નૈતિક સ્તર પણ કદાચ નીચે ઉતરતું જાય છે.તેનો પુરાવો એ છે કે ગાંધીનગર સચિવાલયના પંચાયત વિભાગના કેટલાંક અધિકારીઓ તેમના વિભાગની મહિલા નાયબ સેક્શન ધિકારીઓને હેરાન કરે છે તેવી ફરિયાદ કરતો એક પત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયો છે.આ પત્ર મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ મનોજ દાસ પાસે પહોંચતા એ પણ ચોંકી…
Children Violence: જે ઉંમરે હાથમાં પુસ્તકો રાખવા જોઈએ, તે ઉંમરે બાળકોના હાથ લોહીથી લથપથ છે. ભવિષ્યના સપનાઓથી ભરેલી આંખો લોહીલુહાણ થઈ રહી છે. આવું કેમ છે? અમદાવાદમાં દસમા ધોરણના વિદ્યાર્થીને ચાર ખભા પર અંતિમ વિદાય આપવા માટે લઈ જતી ભીડમાં આ પ્રશ્ન ઉભો થયો હશે. આ તસવીરે દરેક માતા-પિતાને હચમચાવી દીધા છે જે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે શાળાએ મોકલે છે. દસમા ધોરણનો વિદ્યાર્થી રોજની જેમ અમદાવાદના ખોખરા વિસ્તારમાં તેની સાતમા દિવસની શાળામાં આવ્યો હતો. તેને તૈયાર કરીને શાળાએ મોકલનારા માતા-પિતાને ખબર નહોતી કે આ તેના જીવનનો છેલ્લો દિવસ હશે. થોડા દિવસો પહેલા, ધક્કામુક્કી અને ધક્કામુક્કીને લઈને શાળામાં તેનો…
Ahmedabad Seventh day School : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો. આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું…
રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણયબંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાતØસ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001,મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ₹10,001અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ₹15,001નું ઇનામ બંદીવાનના બાળકોને આપવામાં આવશેØરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશેØઆ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશેગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ,આજે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો…
Sevanth School Ahmedabad : અમદાવાદ શહેરશહેરના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીના મૃત્યુની ઘટના બાદ આજે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો-વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરતા અને શિક્ષકો-સ્ટાફ સાથે મારામારી કરતા સ્થિતિ ભારે વણસી હતી. હવે વાલીઓ-સ્થાનિકોથી માંડી વિવિધ સંગઠનોના આક્રોશને જોતા સ્કૂલમાં કલાસરૂમ શિક્ષણ થઈ શકે તેમ ન હોઈ ડીઈઓએ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નહીં બોલાવાય અને ઓનલાઈન શિક્ષણ થશે. DEO સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે.જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન…
Hevy Rain in Mendarda: જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ક્યાં કેટલો ખાબક્યો વરસાદ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ…
IMD Gujarat Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત,…
