Hevy Rain in Mendarda: જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ક્યાં કેટલો ખાબક્યો વરસાદ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ…
Author: gujarat
IMD Gujarat Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત,…
Ahmedabad Crime: અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ કર્યો હુમલો મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી…
રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧.૪૮ લાખ કરોડના મૂડીરોકાણ સાથે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ. ૧,૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી,જેનાથી રાજ્યમાં અંદાજિત ૪,૧૩૬ જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં…
શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજનના ઉપક્રમમાં સોમનાથ દાદાના દર્શને શ્રી ભૂપેન્દ્ર પટેલસોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીસોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશેઆગામી એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છેવડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “પોષણ ભી પઢાઈ ભી” મંત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાકાર કર્યુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ,ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ શ્રાવણ માસના…
ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યાખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે વિવિધ રોગ-જીવતના વ્યવસ્થાપન માટેના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ,ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળ સહિતના રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:·ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુદાને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર બે લગાડવા,રોજ ફુદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ…
ફોટો –એર ઈન્ડિયા એક્સપ્રેસનું નવુ એરક્રાફ્ટ ગુજરાતના બાંધણીથી પ્રેરિત લિવરીથી શણગારેલું ટેલ્સ ઓફ ઇન્ડિયા પહેલના ભાગ રૂપે ઉડાન ભરે છે, જે આ પ્રદેશના રંગો, રિવાજો અને કાલાતીત વાર્તાઓને જીવંત બનાવે છે.એરઈન્ડિયાએક્સપ્રેસનું58સ્થળોમાંનેટવર્કવિસ્તરિતથયું,અમદાવાદ,ચંદીગઢ,દહેરાદૂનનોઉમેરોનેશનલ, 14ઓગસ્ટ, 2025: 116 વિમાનોના કાફલા સાથે દેશની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન તરીકેની સ્થિતિને મજબૂત બનાવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ તેના નેટવર્કમાં ત્રણ નવા શહેરો – અમદાવાદ, ચંદીગઢ અને દહેરાદૂનના ઉમેરા સાથે તેની હાજરીનો વિસ્તાર કરી રહી છે. પ્રથમ તબક્કામાં, એરલાઇન 1 સપ્ટેમ્બર, 2025થી આ શહેરોને તેના બેંગલુરુ હબ સાથે જોડશે. ફ્લાયર્સ એર ઇન્ડિયા એક્સપ્રેસની એવોર્ડ વિજેતા વેબસાઇટ airindiaexpress.com અને અન્ય બુકિંગ ચેનલ્સ પર આકર્ષક ભાડા (રૂ. 4100થી શરૂ થતી એક…
Gujarat Pradesh Congress President appointment: ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જેમ, હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં પણ વિલંબ થવાની શક્યતા છે. આગામી થોડા મહિનામાં રાજ્યમાં યોજાનારી શહેરી વિસ્તારોની ચૂંટણીઓ વર્તમાન પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ હાઇકમાન્ડ ઉપપ્રમુખની ચૂંટણી અને ત્યારબાદ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. ઉપપ્રમુખ પદ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ વિચારવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી શક્યતા છે કે ભાજપ થોડા વધુ મહિનાઓ માટે ગુજરાતમાં તેના સૌથી સફળ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને જવાબદારી સોંપી શકે છે. નવસારીના સાંસદ અને…
અમદાવાદ સ્કૂલ બોર્ડ દ્વારા ‘એલ્યુમની કનેક્ટ સ્કીમ’ લોન્ચ –IIT ગાંધીનગરના સહયોગથી મ્યુનિસિપલ શાળાના તમામ શિક્ષકોને ૩૦ કલાકની CPD (Continuous Professional Development) તાલીમ અપાશેઅમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને પદાધિકારીઓના માર્ગદર્શનમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા ‘ ૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’ ની પસંદગી કરીને શાળા પરિવારને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાશે. આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલને આગળ ધપાવતાં નવા પ્રયોગરૂપે આઈ.આઈ.ટી. ગાંધીનગર સાથેના સહયોગથી તાલીમ કાર્યક્રમો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડતી “એલ્યુમની…
Gujarat IPS Officer Transfer : લાંબા સમયથી નહીં પરંતુ મહિનાઓથી જેમની બદલી ટ્રાન્સફરની અટકળો કરવામાં આવતી હતી તેવા ગુજરાત રાજ્યમાં IPS કેડરમાં આજે સોમવારે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 105 IPS અને સ્ટેટ પોલીસ સર્વિસના ઓફિસર્સને બદલી નાખવામાં આવ્યા છે. સોમવારે બપોર બાદથી જ ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં હલચલ થઈ રહી હોવાનો પત્રકારોના વોટ્સએપ ગ્રુપમાં દાવાઓ થઈ રહ્યાં હતા. જે ફાઈનલી આજે સાચા પડયા છે. જે રીતે લાંબા સમય બાદ અને ખાસ્સી એવી ગડમથલ પછી IPS અધિકારીઓને બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને જોતા ગુજરાત રાજ્યમાં, ભાજપની સત્તામાં પોલીસ અધિકારીઓનું કેટલું અને શા માટે આટલું બધું મહત્વ રહેલું છે તે…
