Author: gujarat

સુરત, સુરતમાં તહેવારોના ૪૮ કલાકમાં ૩ હત્યાના બનાવ સામે આવ્યા છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં સગીર પુત્રએ જ પિતાની ઘાતકી હત્યા કરી હતી. મહિધરપુરા વિસ્તારમાં સુતેલા યુવકને ઊંઘમાં ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, જ્યારે ડિંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કર્યા બાદ તેને ખેતરમાં પાણીની નીકમાં ફેંકી દેવાયો હતો.૧૮ વર્ષીય રાજા રાઠોડ સરદાર માર્કેટમાં હમાલી કરીને પરિવારને આર્થિક રૂપે મદદ કરતો હતો. ૧૫ ઓગસ્ટની રાત્રે રાજા બે મિત્રો સાથે ગયો હતો અને ત્યાં જ સુઈ ગયો હતો, ઊંઘમાં હતો ત્યારે જ તેની હત્યા કરવામાં આવી હતી.મૃતક રાજાની માતા આશાબેને જણાવ્યું હતું કે, મને હવે માત્ર ન્યાય જોઇએ. મારે બીજું…

Read More

સુરેન્દ્રનગર , રાજકોટ- અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે હોટેલના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી એસએમસીની ટીમે રૂ. ૧.૭૯ કરોડના દારૂની ૧૩,૯૩૧ બોટલો સહિત રૂ. ૨.૦૮ કરોડના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.એસએમસીના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે આવેલ પંચદેવ હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક મળી આવ્યો હતો.જેની તલાસી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની કુલ ૧૩,૯૩૧ બોટલો કિંમત રૂ.૧,૭૮,૬૭,૯૦૦, ટ્રક કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂ.૧૫,૦૦૦, રોકડ કિંમત રૂ.૫,૮૨૫ સહિત કુલ રૂ.૨,૦૮,૯૦,૭૨૫ના મુદ્દામાલ સાથે બે શખ્સો (૧) ધર્મેશ ઉર્ફે ધૃÙવ દિનેશભાઈ સતાપરા રહે.જોરાવરનગર(દારૂ મંગાવનારનો…

Read More

Gujaratis trapped in Myanmar job scam બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં કૉલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા મજબૂર કર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાંથી છૂટીને આવેલા યુવકની પૂછપરછમાં સાયબર ક્રાઇમ સામે અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં જાણવા મળ્યું હતું કે, અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. બેંગકોકથી છૂટકારો મેળવીને પરત આવનાર યુવકે મ્યાનમારના કૉલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને ડરના કારણે સાયબર ક્રાઇમ કરતો હોવાનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે…

Read More

અમદાવાદ, અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના એક પેસેન્જરની બેગમાંથી જીવતો કારતૂસ મળી આવ્યો હતો. જેથી તેની સિક્યુરિટી એજન્સીએ પૂછપરછ કરી હતી. પરંતુ યુવક આ અંગે કંઇ જ જાણતો ન હોવાનું રટણ જારી રાખ્યું હતું.આ મામલે એરપોર્ટ પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વિવેકાનંદ કૈલાસભાઇ યાદવ એરપોર્ટ ખાતે બે વર્ષથી સીઆઇએસએફમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.ગઇકાલે તેઓ નિત્યક્રમ મુજબ પોતાની ડ્યુટીએ પહોંચ્યા હતા. તેમની નોકરીનો સમય પૂર્ણ થઇ ગયો હતો પરંતુ રિલિવર આવ્યો ન હોવાથી તેઓ ત્યાં હાજર હતા. તે સમયે અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના પેસેન્જરોનું બો‹ડગ થઇ રહ્યું હતું. ત્યારે લગેજ…

Read More

ગુજરાતમાં મેઘમહેર, ખેડૂતો ખુશ ખુશાલ -અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાંગાંધીનગર, ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે (૧૬ ઓગસ્ટ) રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. રાજ્યના ૧૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયો હતો. દરમિયાન શનિવારે બપોરના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યોહતો. ભારે વરસાદને પગલે અમદાવાદના ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. આ સિવાય ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.હવામાન વિભાગના…

Read More

અમદાવાદ, ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૨મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમી દ્વારકાના જગત મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાયો છે.ગુજરાત સહિત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્‌યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય…

Read More

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ તેમાં આગ લાગી ગઈ.-લખતર-વઢવાણ વચ્ચે ગમખ્વાર અકસ્માતસુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર-વઢવાણ હાઈવે પર કુમાર ગામ નજીક એક અત્યંત કરૂણ અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામસામે ધડાકાભેર ટકરાતાં એક કારમાં આગ લાગી હતી.આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ૮ સભ્યોના જીવતા ભડથું થઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તેમજ ૨ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં એક પુરૂષ, ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ…

Read More

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત ૧થી ૨ કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ)ના વેચાણની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એટલે કે ૨.૯૭ કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના સરખેજ-સાણંદ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધ કરી રહેલા ભાવનગરના યોગેશ મકવાણા (ઉં.વ. ૩૦) અને અમદાવાદના પિન્ટુ પટેલ (ઉં.વ. ૩૭)ને ઝડપી પાડ્‌યા હતા.જેમાં આરોપી પાસે ૨.૯૭ કરોડની કિંમતની વ્હેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો…

Read More

(એજન્સી)રાજકોટ, ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે.મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્‌સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે. વાવણી બાદ પ્રથમવાર ગોંડલમાં આટલો ધોધમાર વરસાદ થયો છે. સતત વરસતા વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.મેળાનું સંચાલન કરતા સંચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે મેળામાં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ…

Read More