Author: gujarat

જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા પોલીસે કુલ ૧૫.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો-ભુજની રીજેન્ટા હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયુંભુજ, શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રીજેન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે.જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ પોલીસ આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી. ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર…

Read More

આણંદ, વાલીયા તાલુકાના કનેરાવ ગામ તથા વાલીયા ગામના સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂ.૧૦.૮૯ લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અ‹થગ રોડ ચોરી લાખોનું નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા વાલીયા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.મૂળ આણંદના રહેવાસી અને હાલ સુરતના વેલંજા ખાતે રહેતા મૌલિક કુમાર પટેલ વાલીયા ગામની સીમમાં ઉજ્જવલ ટેક્ષ ટાઇલ્સ સોલાર પ્લાન્ટમાં ઈપીસી હેડ તરીકે ફરજ ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વાલીયા ગામની સીમમાં ૧૫ એકરમાં સોલાર પ્લાન્ટ છે.જેમાં તા . ૧૫ જુલાઈના રોજ મેન્ટેન્સ સ્ટાફના માણસો વિઝીટ કરતા ૧૧,૪૮૪ મીટરની લંબાઈ ધરાવતા રૂ.૫.૦૮ લાખના ડીસી કેબલ તથા રૂ.૮૪૬૦ની કિંમતના ૬ નંગ અ‹થગ…

Read More

૬૦ વર્ષીય છાપાના ફેરિયાને અટકાવી તેના ગળા પર છરી મૂકી હતી-પકડાયા પછી આરોપી જેલમાં હતોભુજ, કચ્છના ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લોકઅપમાંથી નાસી છૂટતા પશ્ચિમ કચ્છ પોલીસ દોડતી થઈ છે. મંગળવારે (૧૨ ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બીમારીનું બહાનું કાઢીને આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, ભુજમાં છરીની અણીએ લૂંટ આચરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયા ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લાકઅપમાંથી નાસી ગયો હતો. મંગળવારે (૧૨ ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યે પોલીસના નાક નીચેથી ભાગી ગયો હતો. જ્યારે રાત્રે જમાવાનું આપવા માટે પીએસઓએ લોકઅપ ખોલ્યું ત્યારે આરોપીએ છાતીમાં…

Read More

૧૯૮૦માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારે 2022માં સ્થગિત કરી દીધો હતોવિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલØરાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે,કોઇપણ નવોDPR(ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ)રજૂ કરાયો નથી-ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.Øપાર–તાપી–નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ–૨૦૧૭માં બનેલાDPRબાદ નવો કોઇપણDPRબન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથીરાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ ૨૦૨૨માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ…

Read More

તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે સરકારની લાલ આંખતપાસ દરમિયાન ગેરરીતી કરતા ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ;માંડવાળ ફી તરીકે એકમો પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ વસૂલાયાAhmedabad, જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક,મદદનીશ…

Read More

તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવા માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું રાજ્યભરમાં વિતરણઅમદાવાદ, રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તા.૦૮ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં ૫.૪૫ લાખથી વધુ નાગરિકો, સ્વચ્છતા ડ્રાઈવમાં ૫.૩૭ લાખથી વધુ તેમજ તિરંગા યાત્રામાં ૧૬ લાખથી વધુ એમ કુલ મળીને ૨૬ લાખથી વધુ દેશભક્ત નાગરિકો જનભાગીદારીથી જોડાયા હતા.ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં તિરંગાયાત્રાના આયોજનની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો…

Read More

આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર,વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા,રોચક અનુભવો જાણ્યાનવાચાર સમાન શૈક્ષણિક પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છેતાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે :આદિજાતિ,શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરસરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન,ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકોએ પ્રથમ વખત ચેન્નાઈ ખાતે ઈસરોની મુલાકાત લીધી…

Read More

સરપંચોના નૈતિક અને નવીન વિચારોથી ખીલી ઉઠ્યા ગુજરાતના ત્રણ આદર્શ ગામ-ગુજરાતના 3 સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણઅત્યાર સુધીમાં કુલ ૧૩ રાષ્ટ્રીય પુરસ્કારોનું ગૌરવ પ્રાપ્ત થયું છે સરપંચ ડાઈબેનની દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાના પરિણામે ભીમાસર ગામનેકચ્છના ભીમાસર,ભરૂચના અખોડ અને નવસારીના સુલતાનપુર ગામના સરપંચોએ ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડીઆ ત્રણેય ગામને “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ” અને “ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ”નો દરજ્જો મળ્યોગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે. આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર,ભરૂચ જિલ્લાના…

Read More

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૫રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશેગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશેભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગતો:

Read More

મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ના પ્રમુખ શેફાલી ગુપ્તા બન્યા પ્રેરણા સ્ત્રોત અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને નવી ઊર્જા આપે તે રીતે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO), અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી શેફાલી ગુપ્તાના નેતૃત્વમાં ન્યુ રેલવે કોલોની, સાબરમતી ખાતે “હર રેલ ઘર તિરંગા” રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ આયોજનમાં 2000 થી વધુ રેલવે પરિવારજનો જોડાયા હતા. રેલીની શરૂઆત સાબરમતીના કોમ્યુનિટી હોલથી થઈ હતી અને રેલવે કોલોનીના વિવિધ માર્ગો પરથી પસાર થતાં દેશભક્તિના રંગમાં રંગાયેલા વાતાવરણમાં “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા ગૂંજતા રહ્યા હતા.કાર્યક્રમમાં માનનીય વિધાયક ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.…

Read More