અમદાવાદ, અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના એક પેસેન્જરની બેગમાંથી જીવતો કારતૂસ મળી આવ્યો હતો. જેથી તેની સિક્યુરિટી એજન્સીએ પૂછપરછ કરી હતી. પરંતુ યુવક આ અંગે કંઇ જ જાણતો ન હોવાનું રટણ જારી રાખ્યું હતું.આ મામલે એરપોર્ટ પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વિવેકાનંદ કૈલાસભાઇ યાદવ એરપોર્ટ ખાતે બે વર્ષથી સીઆઇએસએફમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.ગઇકાલે તેઓ નિત્યક્રમ મુજબ પોતાની ડ્યુટીએ પહોંચ્યા હતા. તેમની નોકરીનો સમય પૂર્ણ થઇ ગયો હતો પરંતુ રિલિવર આવ્યો ન હોવાથી તેઓ ત્યાં હાજર હતા. તે સમયે અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના પેસેન્જરોનું બો‹ડગ થઇ રહ્યું હતું. ત્યારે લગેજ…
Author: gujarat
ગુજરાતમાં મેઘમહેર, ખેડૂતો ખુશ ખુશાલ -અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાંગાંધીનગર, ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે (૧૬ ઓગસ્ટ) રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના ૧૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયો હતો. દરમિયાન શનિવારે બપોરના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યોહતો. ભારે વરસાદને પગલે અમદાવાદના ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. આ સિવાય ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.હવામાન વિભાગના…
અમદાવાદ, ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૨મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમી દ્વારકાના જગત મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાયો છે.ગુજરાત સહિત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય…
અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ તેમાં આગ લાગી ગઈ.-લખતર-વઢવાણ વચ્ચે ગમખ્વાર અકસ્માતસુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર-વઢવાણ હાઈવે પર કુમાર ગામ નજીક એક અત્યંત કરૂણ અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામસામે ધડાકાભેર ટકરાતાં એક કારમાં આગ લાગી હતી.આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ૮ સભ્યોના જીવતા ભડથું થઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તેમજ ૨ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં એક પુરૂષ, ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ…
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત ૧થી ૨ કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ)ના વેચાણની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એટલે કે ૨.૯૭ કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના સરખેજ-સાણંદ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધ કરી રહેલા ભાવનગરના યોગેશ મકવાણા (ઉં.વ. ૩૦) અને અમદાવાદના પિન્ટુ પટેલ (ઉં.વ. ૩૭)ને ઝડપી પાડ્યા હતા.જેમાં આરોપી પાસે ૨.૯૭ કરોડની કિંમતની વ્હેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો…
(એજન્સી)રાજકોટ, ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે.મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાવણી બાદ પ્રથમવાર ગોંડલમાં આટલો ધોધમાર વરસાદ થયો છે. સતત વરસતા વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.મેળાનું સંચાલન કરતા સંચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે મેળામાં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માતા અને બાળકી બંનેનું મોત નિપજ્યું છે. પરંતું માતાની તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેવાના વીડિયો હૃદયસ્પર્શી બની રહ્યાં છે.ઉસ્માનપુરા બગીચા પાછળ સાબરમતી નદીમાં એક મહિલાએ પોતાની નાનકડી બાળકીનો હાથ પકડીને પડતુ મૂક્્યું હતું. આ બાદ ફાયર બ્રિગેડને કોલ કરતા ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્્યુ કર્યું હતું.માતાનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું, જ્યારે બાળકીને CPR આપતા તેનો બચાવ થયો. જો કે ઘટનાના કેટલાક કલાક બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માતાએ બાળકી સાથે નદીમાં…
Kalupur Swaminarayan Lalji controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા ભાવિ આચાર્ય અને લાલજીએ તેમની પત્ની સાથે થયેલો કંકાસ પોલીસ ફરિયાદ કરીને જાહેર કરી દીધો છે. લાલજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે, તેઓએ યુવતી સાથે હનિમૂનના નામે આચરેલો ત્રાસ જાહેર થઇ જશે તો બદનામીનો પાર રહેશે નહિ જેથી યુવતીના પત્રના ચાર મહિના બાદ આખરે લાલજીએ બચવા માટે હવાતિયાં મારવાના શરુ કરી દીધા હતા અને પોતાના કાંડ ઉપર પડદો પાડી દેવા માટે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પત્ની સહીત તેના પિતા અને પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હોવાનું લાગી રહ્યું છે. જો કે, આ ફરિયાદ પહેલા યુવતીએ લખેલો એક પત્ર હાલ સોશિયલ…
Devayat Khavad Arrested: ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. સીસીટીવીમાં થયો હતો કેદ મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસે માહિતી મળતાની સાથે તુરંત કાર્યવાહી હાથ ધરી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ, પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી…
