અમદાવાદના કૃષ્ણનગરમાં ગોગા મહારાજના મંદિરમાંથી ૧.૨૦ લાખની મત્તાની ચોરી-પીળા અને કાળા કલરના ટી-શર્ટમાં આવ્યો હતો ચોર(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે.તસ્કરોએ ભગવાનના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને છત્ર મળી કુલ રૂ. ૧.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.કૃષ્ણનગરમાં આવેલી સોસાયટીના ચેરમેન અશોકકુમાર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોર ઈસમે મંદિરમાંથી ગોગા મહારાજની અલગ-અલગ કદની કુલ ૯ ચાંદીની મૂર્તિઓ…
Author: gujarat
(એજન્સી)વડોદરા, વડોદરામાં પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ શહેરમાં આવેલ વિવિધ બ્રિજની મજબૂતાઈ ચકાસવા તથા જરૂર લાગે ત્યાં મેન્ટેનન્સની કામગીરી કરવા પાલિકાએ કામગીરી હાથ કરી હતી.જે અંતર્ગત સર્વે કરાયા બાદ વિવિધ બ્રિજ પર તથા તેની આજુબાજુ જરૂરી મરામતની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકી ત્રણ બ્રિજ પાસે થયેલ મરામતની કામગીરીનો કુલ રૂપિયા ૧.૭૩ કરોડનો ખર્ચ ઇજારદારોએ રજૂ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયા વિના થયેલી કામગીરી બાબતે સ્થાયી સમિતિને જાણ કરવામાં આવી છે.વડોદરા શહેર નજીક પાદરાના મુજપુર પાસે ગત દિવસોમાં ગંભીરા ગામ પાસે ધમધમતો બ્રિજ અજાનક ધરાશાયી થયો હતો જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બાદ રાજ્ય…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો નોંધાયો છે. જેમાં નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સોએ ૭૭ વર્ષીય નિવૃત્ત મેનેજરને ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ૨૦,૫૩,૯૮૬ રૂપિયા પડાવી લીધા છે. ઠગાઈની શરુઆત ત્યારે થઈ જ્યારે વૃદ્ધને અજાણ્યા શખ્સે ફોન કરીને તેમના મોબાઇલ નંબર અને જીયો ફાયબર સર્વિસ બંધ કરવાની ધમકી આપી હતી.ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા કે તેમની સામે વિવિધ ગુનાઓમાં કેસ દાખલ થયો છે, એટલું જ નહીં, ઈડીનો બનાવટી લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર ષડયંત્રના પરિણામે ગભરાયેલા વૃદ્ધે આ મોટી રકમ ટ્રાન્સફર કરી…
વિશ્રામગૃહ બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણયમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૧૪ સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીશ્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પોતાના સ્વજનોની સારવાર માટે દૂર-દરાજના ગામોમાંથી સરકારી જનરલ-સિવિલ હોસ્પિટલ ખાતે આવતા અનેક નાગરિકોને શહેરોમાં રહેવા-જમવાની સુવિધાઓ…
ગુજરાતમાં આઈસીઆઈસીઆઈ બેંકની 580થી વધુ બ્રાન્ચ અને 790થી વધુ એટીએમ તથા કેશ રિસાયક્લિંગ મશીનો (સીઆરએમ)છે.બ્રાન્ચમાં સાતેય દિવસ,ચોવીસે કલાક એટીએમ સેવા ઉપલબ્ધ છેભરૂચ –આઈસીઆઈસીઆઈ બેંકે કસાક ખાતે નવી બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે જે ભરૂચમાં ઝડેશ્વર રોડ પર નેક્સસ બિઝનેસ સેન્ટર ખાતે આવેલી છે. આ બેંકની શહેરમાં પાંચમી બ્રાન્ચ છે અને તે એટીએમ સુવિધા ધરાવે છે.ટ્રસ્ટીન ટેપના મેનેજિંગ ડિરેક્ટર ડો. સુસેનજીત સિંહ મહાપાત્રા,સર્વનમનવિદ્યા મંદિરના ટ્રસ્ટી શ્રીખાંદુપટેલ અને એસએલડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી બી.આર. પટેલે આ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું.આ બ્રાન્ચ વિવિધ પ્રકારના એકાઉન્ટ્સ અને ડિપોઝીટ્સ ઓફર કરે છે,જેમાં સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ,ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ,ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝીટ્સ અને ગોલ્ડ લોન,હોમ…
રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટેEDC ફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ વાન કાર્યરતØઆ મોબાઈલ વાનના કાર્યક્ષેત્રમાં બે ઝોનમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાયાØકેમિકલ ઉદ્યોગો, GIDC, SEZ,ગેસ લીક ઘટના તથા સંભવિત પ્રદૂષિત વિસ્તારોમાં વાનની ભૂમિકા મહત્વનીØવાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગભારત એક ઝડપથી વિકસતો દેશ છે ત્યારે તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એ ફાર્માસ્યુટિકલ,રાસાયણિક,ડાય અને ડાય-ઈન્ટરમીડીએટ્સ,કાપડ,સિરામિક,ધાતુ,રિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે.આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’…
જો માતાપિતા પોતે સ્ક્રીન પર ચોંટી જાય છે, તો બાળકો પાસેથી અપેક્ષાઓ અર્થહીન થઈ જાય છે.AMA દ્રારા “સોશીયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ ઓન યુથ: રોલ ઓફ પેરેન્ટિંગ” વિષય પર વિશેષ વાર્તાલાપનું આયોજન કરાયુંAhmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “સોશીયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ ઓન યુથ: રોલ ઓફ પેરેન્ટિંગ” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અજય તોમર, સભ્ય, એએમએ એક્ઝિક્યુટિવ કમિટી; જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ હેડ – કેડર એક્સલન્સ અને લીડરશિપ ડેવલપમેન્ટ, અદાણી ગ્રુપ; નિવૃત્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગુજરાત કેડર,આઈપીએસ (૧૯૮૯); ડૉ. અચ્યુત દાણી, સભ્ય, એએમએ પ્રોગ્રામ્સ કમિટી; ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર (પ્રોવોસ્ટ), જે.જી. યુનિવર્સિટી; અને શ્રી દીપાલી છટવાણી,…
રાજ્ય સરકારના એક અધિકારી ૩૭૩ પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધી જાણે છેધર્મરાજસિંહે પાઘડી બાંધવાની કલાને જીવંત રાખવા માટે પીએસઆઇને બદલે જિલ્લા યુવા વિકાસ અધિકારી બનવાનું પસંદ કર્યુંસૌથી મોટી પાઘડી તેમણે ભગવાન શ્રી સોમનાથને ચઢાવી છે. ૭ મિટરના ઘેરાવો ધરાવતા શિવલિંગને પાઘડી ચઢાવવા માટે તાબડતોબ ૨૦૦ મિટર કાપડ પ્રિન્ટ કરાવ્યું હતું અને બાદમાં ચઢાવી હતી.ગાંધીનગર, રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા ઉપર મહારથ મેળવી છે. આ અધિકારી પ્રાચીનકાલથી લઇને અર્વાચીન કાલ સુધી પ્રવર્તતી પરંપરા મુજબની ૩૭૩ પ્રકારની પાઘડીઓ બાંધી શકે છે. પોતાની આ કલાને જીવંત રાખવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલે સાંસ્કૃતિક વિભાગમાં…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર ઉજાગર કરશે સીવીડ ઉત્પાદનમાં ગુજરાતની સિદ્ધિ, ૨૦૨૩-૨૪માં કચ્છમાં સી-વીડની ૧૪ ટન ખેતી કરવામાં આવીસીવીડની ખેતી માટે દરિયાકાંઠાના સમુદાયોને આપવામાં આવે છે વિશેષ તાલીમ, કચ્છના ૧૭ ગામોમાં મોટી સંખ્યામાં લોકોને તાલીમ આપવામાં આવીગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે ૧૦ થી ૧૨ જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, ૧૦ થી ૧૩ જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે,જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ…
ØAIમાત્ર એક ક્ષેત્ર નથી,નવી ઉર્જા છે જે દરેક ક્ષેત્રને ગતિ સાથે શક્તિ આપી રહી છે,ગુજરાતAIક્રાંતિનું કેન્દ્ર બનશેØરોકાણકારો અનેAIસ્ટાર્ટઅપ્સ માટે ગુજરાત પ્લેટફોર્મ બનશે,ઉજ્જવળ ભવિષ્ય માટે લોન્ચપેડ બનશે.‘સુશાસન‘માટે હાલના સમયમાંAIસૌથી શક્તિશાળી ટૂલ્સ તરીકે પ્રસ્થાપિત: વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયામુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ગુજરાતAl Stack’નું લોન્ચિંગ અને ‘ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ2025’નું અનાવરણ કરાયુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક ઓપરેશનલાઈઝ કરીને ડિજિટલ ગવર્નન્સ વધુ સ્માર્ટ,ઝડપી અને સિટિઝન સેન્ટ્રીક બનાવવાની નેમ વ્યક્ત કરી છે.આના પરિણામે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળવા સાથે વિભાગો વચ્ચેનું ડેટા શેરીંગ ઝડપી બનવાથી યોજનાઓના આઉટ કમનું રીયલ ટાઇમ એનાલિસિસ પણ થઈ શકશે એમ તેમણે…
