5.08કરોડ ફોર્મ પૈકી74લાખથી વધુ અનકલેક્ટેડ ફોર્મના વેરિફીકેશન માટે બેઠકોની શૃંખલા33જિલ્લાઓમાં4.21લાખથી વધુ સિનિયર સિટીઝન મતદારોની ઓળખ, 11.58લાખથી વધુDSE (ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રી)ની ચકાસણી કરાશેઅમદાવાદ, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જBLOસ્તરથી લઈનેCEOકચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી છે,જેના પરિણામે ગણતરીના તબક્કાની99.76 %કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજીટાઈઝેશનની કામગીરી સુપેરે કરવામાં આવી છે.SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં5.08કરોડ મતદારોને…
Author: gujarat
જે નિર્દોષ ખાતાધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય તેમનું વેરિફિકેશન કરવું,બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈસાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાGandhinagar, સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો…
ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદીGandhinagar, ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં આવી હતી. રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧,૭૦૦ કરોડથી વધુનું વેચાણ કરીને સ્વદેશી અભિયાનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે રૂ. ૬૮૩ કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે,ખાદી ઉત્પાદન પ્રવૃત્તિ ક્ષેત્રે સંકળાયેલા હજારો કાંતનાર-વણનાર કારીગરોને સતત રોજગારી મળી રહી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
અમદાવાદ, મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં યુવકની હત્યા થઇ હતી. આ કેસમાં એક આરોપીને મેઘાણીનગર પોલીસે ગઇકાલે ઝડપી લઇ તપાસ આદરી હતી. જેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આરોપીએ અગાઉ તેના જ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી પોલીસે આરોપી સામે દુષ્કર્મની નવી ફરિયાદ નોંધી તપાસ આદરી છે. હવે પોલીસ તબક્કાવાર બન્ને કેસમાં આરોપીની ધરપકડ કરશે.મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ચંદ્રશેખર તોમરની હત્યા થઇ હતી. આ કેસમાં પોલીસે આરોપી રામકુમારસિંગ ઉર્ફાે છોટુ રામનરેશસિંહ તોમરની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરી ત્યારે આરોપીએ તેના જ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા પર ઓગસ્ટ ૨૦૨૫માં દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થઇ હતી.…
Real Estate Slowdown: રાજ્યમાં હોમ લોન લેતા લોકોની સંખ્યા વધતી હોવા છતાં, ઘર ખરીદવાની તૈયારીમાં ઝડપ જોવા મળતી નથી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે હોમ લોન વિતરણમાં વર્ષ દર વર્ષની સરખામણીમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. વિતરણ રૂ. 14,266 કરોડથી વધીને રૂ. 16,264 કરોડ થયું છે, પરંતુ લોન લેનારાની સંખ્યા માત્ર 7 ટકા જેટલી વધીને 95,532થી 1.02 લાખ સુધી પહોંચી છે. આ અંતર સ્પષ્ટ કરે છે કે લોકો નવી પ્રોપર્ટી ખરીદવામાં સાવધ દેખાઈ રહ્યા છે.મોટા શહેરોમાં ધિરાણ વધારે છતાં નવા ઘરોની માંગ ઓછીસૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં સર્વાધિક…
દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ કર્યુ-સ્વબચાવમાં પીઆઈએ આરોપીના પગમાં મારી ગોળી(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન બપોરે ૧૨.૧૫ થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગુનાના રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ રાઠોડ પર હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.આરોપી…
Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ મંગળવારે જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં. આ પછી કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારને નિશાને લીધી. કેજરીવાલે કહ્યું કે, “ગુજરાતની તાનાશાહ ભાજપ સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાથી રોક્યો.” તેમણે કહ્યું કે રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવા માટે મેં અરજી કરી હતી, પરંતુ ક્રૂર સરકારે મંજૂરી ન આપી. તેમણે આરોપ લગાવ્યો કે “એક તરફ ભાજપ સરકારના દમનથી ખેડૂતો દુઃખી છે તો બીજી તરફ લોન લઈને ભણતા બાળકો પેપર લીકથી બેરોજગાર છે.”કેજરીવાલે કહ્યું કે “રાવણ-કંસની જેમ અહંકારમાં ડૂબેલી ભાજપ સરકાર પોતાની વિરુદ્ધ ઉઠનારા…
અમદાવાદ સહિત ગુજરાતમાં ફલાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવતઅમદાવાદ, દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી સ્ટાફની અછતની કટોકટીનો સોમવારે (૮ ડિસેમ્બર) છઠ્ઠો દિવસ છે. પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે ગુજરાતના હવાઈ નેટવર્ક પર મોટી અસર પડી છે. રાજ્યના મુખ્ય ઍરપોટ્ર્સ પરથી ઇન્ડિગોની અંદાજિત ૨૬ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.અમદાવાદ ઍરપોર્ટ પર પરિસ્થિતિ વિકટ બની છે. ઍરપોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આજની દિવસભરની આવતી અને જતી મળીને કુલ ૪૪ ફ્લાઇટ્સ પર અસર પડી છે. જેમાં સવારના ૯ વાગ્યા સુધીમાં જ ૧૮ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. અચાનક ફ્લાઇટ રદ થતાં ઍરપોર્ટ પર મુસાફરો પરેશાન જોવા મળ્યા…
Saffron Cultivation in Gujarat: કાશ્મીરી કેસરની ખેતી માટે ઠંડી આબોહવાની જરૂર હોય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે ફૂલો માટે હળવા સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે. ગુજરાતના વડોદરામાં વૈભવ અને આસ્થા પટેલ નામના કપલે એડવાન્સ્ડ એરોપોનિક્સ ટેક્નોલોજી નો ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. આ કપલે કેસરની ખેતીમાં વિશેષજ્ઞતા હાંસલ કર્યા પછી હવે નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વર્ષે તેમણે કેસરની ખેતીની સુવિધાઓને બમણી કરી દીધી છે. તેમને આ વખતે વધુ સારા પ્રોડક્શનની અપેક્ષા છે.ટેકનિકની મદદથી ઉગાડે છે કેસરગુજરાતના વડોદરા જિલ્લામાં આ પટેલ દંપતીએ મોર્ડન ખેતીમાં નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ એડવાન્સ્ડ ટેક્નોલોજી નો ઉપયોગ કરીને…
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના શહેરાભાગોળ રેલ્વે ફાટક પાસે ચાલી રહેલી અન્ડર બ્રિજની કામગીરી મંથરગતિ થતા વિસ્તારનાં રહીશો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. મહિનાઓથી ચાલતું કામ પૂર્ણ ન થતા રોજિંદી અવરજવર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજન અને રોજિંદા મજૂરોને લાંબો ચક્કર મારીને જવું પડતું હોવાને કારણે લોકોમાં રોષનો માહોલ સર્જાયો છે.અન્ડર બ્રિજનું કામ શરૂ થયા બાદ ફાટક વિસ્તાર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે, જેના કારણે શહેરાભાગોળથી શહેરના અન્ય વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી વધી ગઈ છે. સ્થાનિકો કહે છે કે કામની ગતિ અત્યંત ધીમી છે અને તંત્ર તરફથી કામ ઝડપે પૂર્ણ કરવા કોઈ ખાસ પ્રયત્નો નજરે નથી…
