Author: gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાતે લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી શ્રી ગિલિસ રોથ અને ડેલિગેશનવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્ય ગ્રીન એનર્જી-ગ્રીન ફાયનાંન્સિગ-ગ્રીન ગ્રોથમાં અગ્રેસરતા માટે લક્ઝમબર્ગની તજજ્ઞતાનો લાભ માટે પરામર્શ કર્યાØલોંગટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પરસ્પર સહયોગ અંગેબેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી શ્રી ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી.લક્ઝમબર્ગ 115 બેંક્સ સાથે 8 ટ્રીલિયન યુરોનું રોકાણ એસેટ મેનેજમેન્ટમાં અને 80 જેટલા દેશોમાં ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાંન્સિયલ સર્વિસસમાં પ્રેઝન્સ ધરાવે છે આ સંદર્ભમાં તેમણે ભારત-ગુજરાત સાથે નાણાંકિય સંબંધો વિસ્તારવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી.મુખ્યમંત્રી…

Read More

ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ પ્રદાન કરવા –ગુજરાત બજેટ2026-27માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ₹20કરોડની રકમની ફાળવણી₹100 કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકોસુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશેપાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશેછોડવાં અને વૃક્ષોના વાવેતર,થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશેગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ વયજૂથના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. એવા વાયબ્રન્ટ કોમ્યુનિટી સ્થળો જે મનોરંજનની સાથે સાથે સર્વાંગી સ્વાસ્થ્ય…

Read More

ચાર વર્ષમાં નિર્માણકાર્યની જોગવાઇ,સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગોને મળતી સુવિધાઓમાં વધારોગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલસાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી,હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2ઔદ્યોગિક વસાહતમાં20168.54ચોરસ મીટર (અંદાજિત5એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી22ડિસેમ્બર2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે.આ ઇ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે.3થી5સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા માટે કંપનીને ચાર વર્ષનો મોરિટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આ હોટલ સિવાય સાણંદ ઔદ્યોગિક વસાહતની3કિલોમીટર નજીક એક ફાઇવ સ્ટાર હોટલ…

Read More

ગુજરાતનું રૂ. ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ ‘વિકસિત ગુજરાત@૨૦૪૭‘નો મજબૂત પાયો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીગુજરાતનોDebt-to-GSDPરેશિયો નિયત મર્યાદા (૨૭ ટકા)થી ઘણો નીચો ૧૮.૨ ટકા; પંજાબમાંDebt-to-GSDPરેશિયો ૪૭ ટકા અને હિમાચલમાં ૪૫ ટકાNCAERના અહેવાલ મુજબ,છેલ્લા ૧૦ વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના ઐતિહાસિક અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને રાજ્ય સરકારના વિઝન અને સિદ્ધિઓને ગૃહ સમક્ષ રજૂ કરી હતી. તેમણે આ અંદાજપત્રને સાડા છ કરોડ ગુજરાતીઓના સપનાઓને સાકાર કરતો અને‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નો મજબૂત પાયો નાખતો એક જીવંત દસ્તાવેજ ગણાવ્યો હતો.મંત્રી શ્રી વાઘાણીએ દિન વિશેષની નોંધ લઈને ગુજરાતના પનોતા પુત્ર અને વીર કવિ નર્મદ તેમજ વીર…

Read More

અમદાવાદ એડ્વર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) અને ગુજરાત યુનિવર્સિટી સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ (GU-CPC)નાં સંયુક્ત ઉપક્રમે ક્રિએટિવ સ્પાર્કનું સફળ આયોજનઅમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026: ક્રિએટિવિટી, સ્પષ્ટતા અને જાગૃત વિચારશક્તિનું અનોખું સંમેલન ત્યારે સર્જાયું જ્યારે પુજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ Creative Spark 2026 દરમિયાન શક્તિશાળી મુખ્ય ભાષણ આપ્યું.વિદ્યાર્થીઓ, એડ્વર્ટાઇઝિંગ પ્રોફેશનલ્સ અને મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા સ્વામીએ જણાવ્યું કે સર્જનાત્મકતા માત્ર કલા નથી, પરંતુ સમસ્યાઓના ઉકેલ માટેનું શિસ્તબદ્ધ અને જવાબદાર અભિગમ છે. તેમણે યુવાનોને “આંખ, કાન અને મન ખુલ્લું રાખો” એવી પ્રેરણા આપી અને જણાવ્યું કે જીવનમાં પડકારો સતત આવે છે, પરંતુ દરેક સમસ્યામાં તેનો ઉકેલ છુપાયેલો જ હોય છે.તેમણે વિશ્વપ્રસિદ્ધ ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસીની આત્મકથા…

Read More

મેયર પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સ્થાપના દિવસ ૨૬ ફેબ્રુઆરી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી.આ યાત્રામાં માતાજીનો સજાવટદાર રથ, નાસિક ઢોલના તાલ, ગજરાજ, વિવિધ અખાડા, અખાડાના કલાકારોના દમદાર પ્રદર્શન, ભજન મંડળીઓના ભક્તિમય ગાન અને મોટી સંખ્યામાં જોડાયેલા વાહનોનો કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.Ahmedabad, Mayor, Pratibhaben Jain says, “Today on 26-02-2026 is Ahmedabad’s foundation day, and heartfelt greetings to all the city residents. The 6 km-long Nagar Yatra of Goddess Bhadrakali, in which local akhadas and residents are participating, is providing a spiritual experience and is a matter…

Read More

(એજન્સી)ઉના, ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ એનસીટીઈની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં એનસીટીઈ દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી.આ કૌભાંડમાં જવાબદારોએ એનસીટીઈના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ…

Read More

ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ફેક્ચર થયું હતું(એજન્સી)બોડેલી, શિક્ષણના મહત્ત્વ અને પિતા-પુત્રીના અનોખા સંબંધની એક હૃદયસ્પર્શી ઘટના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સામે આવી છે. ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા જ પગમાં ફેક્ચર થવા છતાં, પિતાના અડગ મનોબળ અને શાળા સંચાલકોના સહયોગથી એક વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર પોતાની પરીક્ષા આપી હતી.બોડેલીની શેઠ એચ.એચ. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦ની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ગંભીર ફેક્ચર થયું હતું.ચાલવામાં અસમર્થ હોવા છતાં ભૂમિકાનું વર્ષ ન બગડે તે માટે તેના પિતા આત્મારામભાઈએ મક્કમ નિર્ધાર કર્યો હતો. તેઓ પોતાની દીકરીને કારમાં…

Read More

(એજન્સી)રાજકોટ, રાજકોટના પેલેસ રોડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે આગ લાગવાની અત્યંત કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્‌લેટમાં લાગેલી આગના ધુમાડામાં ગૂંગળાઈ જવાથી વૃદ્ધા અને તેમના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદ શહેરના વેજલપુરમાં તાજેતરમાં મોડી રાતે લાગેલી આગની ઘટનામાં પિતા-પુત્રના મોત થયાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં હવે રાજકોટમાં મકાનમાં આગ લાગવાની ઘટનામાં માતા-પુત્રના મોતની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો.રાજકોટમાં મનમંદિર એપાર્ટમેન્ટના મકાનમાં શોર્ટસરકીટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે. જો કે, એફએસએલની તપાસના અંતે જ આગનું ચોક્કસ કારણ જાણી શકે છે.…

Read More

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો છે. તેમણે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ (૧૦૦ મિલિયન) ફોલોઅરનો આંકડો પાર કર્યો અને આવું કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. પીએમ મોદી ૨૦૧૪થી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને છેલ્લા ૧૦ વર્ષમાં તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ આકર્ષક પ્લેટફોર્મ બની ગયું છે.૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામમાં જોડાનારા વડાપ્રધાન મોદીના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા વધુ ફોલોઅર્સ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણી છે, જેમના હાલમાં ૪૩.૨ મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટોપ-૫ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સની સંખ્યા પીએમ મોદીની વ્યક્તિગત સંખ્યા કરતા ઓછી છે.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના ૧૫ મિલિયન ફોલોઅર્સ…

Read More