(પ્રતિનિધિ) નડીયાદ, નડીયાદ શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલી હિલપાર્ક સોસાયટી નજીક ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જ્વેલર્સની દુકાનેથી દાગીના સાફ કરાવીને ભત્રીજા સાથે એક્ટિવા પર પરત ફરી રહેલા વૃદ્ધાના હાથમાંથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ નડીયાદ પોલીસ મથકે અંદાજે રૂ. ૧,૬૨,૩૦૦/- ની મત્તાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ નડીયાદની જલતરંગ સોસાયટીમાં રહેતા હીનાબેન પટેલ તેમના અમેરિકા રહેતા ભત્રીજા હેમલ પટેલ સાથે સવારના સમયે શહેરના મહાગુજરાત સર્કલ પાસે આવેલી ભાનુભાઈ જ્વેલર્સની દુકાને ગયા હતા.તેઓ પોતાના જૂના સોના-ચાંદીના દાગીના સાફ કરાવવા તેમજ અમેરિકા મોકલવા માટે…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, થોડા દિવસ અગાઉ કણભાના ગ્રામ્ય વિસ્તાર બિલાસીયા ગામની સીમમાં તળાવમાં તરતી હાલતમાં મળી આવેલ એક યુવકની લાશનો ભેદ હાલ ઉકેલાઈ ગયો છે. જે મામલે એક યુવકનો જન્મદિવસ એક રિક્ષાચાલક માટે જીવનનો અંતિમ દિવસ બની ગયો હોવાના હચમચાવતા ખુલાસા થઈ રહ્યા છે.મળતી માહિતી મુજબ એક દોસ્તની જન્મદિવસની દારૂ પાર્ટીમાં બોલાચાલી બાદ ત્રણ મિત્રોએ ભેગા મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જે મામલે પોલીસે હાલ એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.વિગતે વાત કરીએ તો, ગત ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬નો દિવસ જ્યારે અમદાવાદ ગ્રામ્યના કણભામાં આવતા બિલાસીયા ગામની સીમમાં આવેલા તળાવમાંથી એક યુવકની લાશ તરતી હાલતમાં મળી આવી હતી, જે અંગે…
અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા મેનેજમેન્ટ ફેસ્ટ ૨૦૨૬ના ઉપલક્ષમાં, ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય સર્જક શ્રી રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્રારા ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાના ઉપક્રમે એક વિશેષ ‘સર્જક સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સર્જક સંવાદમાં શ્રી રતિલાલ બોરીસાગરના બહુઆયામી વ્યક્તિત્વ અને સાહિત્યિક પ્રદાન પર વિવિધ નિષ્ણાતો દ્રારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ અંતર્ગત શ્રી રતિલાલ બોરીસાગરે પોતાના સાહિત્યિક પ્રવાસના‘ભાવ-પ્રતિભાવ’રજૂ કર્યા હતા. પ્રાસંગિક ઉદબોધનડૉ. ભાગ્યેશ જહા દ્રારા કરવામાં આવ્યું હતું.શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન વિશે શ્રી મનસુખ સલ્લા,સમાજ કાર્ય વિશે શ્રી સંજય-તુલા,હાસ્ય કર્મ વિશે શ્રી ડૉ. ઉર્વીશ કોઠારી અને ભાષા કર્મ વિશે ડૉ. અશ્વિનકુમાર દ્રારા સંબોધન કરવામાં આવ્યું હતું.…
(એજન્સી)હિંમતનગર, ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જેના કારણે આગામી ફાગણ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તારીખ ૩ માર્ચ, મંગળવારના રોજ ફાગણી પૂર્ણિમાની સાથે સૂર્ય ગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સામાન્ય દિવસોની સરખામણીએ સૂર્ય ગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર તેના નિયત સમય કરતાં એક કલાક વહેલું એટલે કે સવારે ૫ઃ૦૦ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. બપોરે ૧ઃ૩૦ વાગ્યા બાદ રાત્રિના ૮ઃ૩૦ વાગ્યા સુધી ઠાકોરજી આગળની ઝાળી બંધ રાખવામાં આવશે.જોકે, ભક્તો ઝાળીની બહારથી ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે. ગ્રહણનો પ્રારંભ બપોરે…
(એજન્સી)વડોદરા, ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના વધતા કિસ્સાઓ વચ્ચે વડોદરામાં એક બેંક મેનેજરની સમયસૂચકતાને કારણે એક નિવૃત્ત સિનિયર સિટિઝન લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા છે.મુંબઈ ક્રાઈમ બ્રાંચના નકલી અધિકારી બનીને ઠગ ટોળકીએ વૃદ્ધને સતત પાંચ દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂ. ૨૦ લાખ પડાવવાનો પેંતરો રચ્યો હતો, જે બેંક મેનેજરની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર સિનિયર સિટિઝનને પાંચ દિવસ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે એક ફોન કોલ આવ્યો હતો. સામે પક્ષે બોલનાર શખ્સે ધમકાવતા કહ્યું હતું કે, તમારા નામે લેવાયેલું સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ મોટા આર્થિક કૌભાંડમાં વપરાયું છે.ધરપકડનો ડર બતાવી ઠગબાજોએ વૃદ્ધને વીડિયો કોલ દ્વારા…
અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશનઃ ૪ ઈરાની નાગરિકોની ધરપકડ; સ્મગલિંગ નેટવર્કના આંતરરાષ્ટ્રીય તાર શોધવા સુરક્ષા એજન્સીઓ સક્રિયદ્વારકાના દરિયામાંથી કરોડોની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ(એજન્સી)દ્વારકા, ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓની ઘૂસણખોરી ડામવા માટે ભારતીય કોસ્ટગાર્ડે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દેવભૂમિ દ્વારકાથી આશરે ૧૧૫ નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને કરોડોની કિંમતના વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે.કોસ્ટગાર્ડને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ જહાજ ભારતીય જળસીમામાં પ્રતિબંધિત વસ્તુઓ લઈને પ્રવેશી રહ્યું છે. આ બાતમીના આધારે મધદરિયે અત્યંત વ્યૂહાત્મક ઓપરેશન શરૂ કરાયું હતું. સુરક્ષા એજન્સીઓએ…
માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કાગધામ મજાદરમાં વિમોચન થયુંઆ પુસ્તકમાં ટેકનોલોજીનો સમન્વય:QRકોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કૃતિઓ સાંભળી શકાશેપ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક‘વાણી તો અમરત વદાં‘નું ૨૩ વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન થયું હતું.રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે‘કાગના ફળિયે કાગની વાતુ‘કાર્યક્રમના ૨૫માં મણકા નિમિતે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.આ પુસ્તકનું વિમોચન મોરારીબાપુ સાથે શ્રી,વી.એસ. ગઢવી,પુસ્તકના સંપાદકશ્રી,અંબાદાન રોહડીયા,ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ શ્રી,જયેશ દવે,શ્રી રામ ભાઈ જામંગની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.આ પુસ્તકની…
AK47- સહિતના હથિયારોનો મોટો જથ્થો જપ્ત(એજન્સી) જમ્મુ, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લોમાં સુરક્ષા દળોને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જિલ્લાના દૂરવર્તી અને કઠિન ભૂગોળ ધરાવતા ચતરુ જંગલ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે એન્કાઉન્ટર થયું. આ કાર્યવાહીમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા ઝ્રઇઁહ્લની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતાં એન્કાઉન્ટર ભડકી ઊઠ્યું. લાંબા સમય સુધી ચાલેલા ગોળીબારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી એકે-૪૭ સહિતના ઘાતક…
સુરક્ષા એજન્સીઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવીનવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ આતંકી નેટવર્કના તાર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ અને બાંગ્લાદેશ સ્થિત કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવી છે.પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદમાંથી છ વ્યક્તિઓને તમિલનાડુના તિરુપુર જિલ્લાની વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શંકાસ્પદોની ઓળખ મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જવલ તરીકે થઈ છે. આ…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)સાથે સુરતને મળશે વૈશ્વિક વેપારનો નવો વેગSurat, વૈવિધ્યતા,નવીનતા અને સક્ષમ ઉદ્યોગ પરંપરાના આધારે ભારતની નિકાસ વ્યવસ્થા નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. “વિકસિત ભારત@2047”ના વિઝન અંતર્ગત ભારતને30ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના ધ્યેય તરફ આગળ વધતાં,નિકાસ ક્ષેત્રને વિકાસના મુખ્ય ઉત્પ્રેરક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” જેવા રાષ્ટ્રીય મિશનોના પ્રભાવથી ભારત વૈશ્વિક બજારમાં પોતાની ઓળખને નવી વ્યાખ્યા આપી રહ્યું છે અને ગ્રાહક આધારિત અર્થતંત્રમાંથી આત્મનિર્ભર ઉત્પાદન શક્તિ તરીકે ઉભરતું રહ્યું છે.₹9.83લાખ કરોડની નિકાસ સાથે ગુજરાત અગ્રેસરગુજરાતે નાણાકીય વર્ષ2024-25દરમિયાન₹9.83લાખ કરોડની નિકાસ નોંધાવી દેશની કુલ નિકાસમાં27%થી વધુ યોગદાન આપીને રાષ્ટ્રીય સ્તરે અગ્રસ્થાન જાળવી રાખ્યું છે. આ…
