આગામી સમયમાં રાજકોટના શહેરીજનોને મળશે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,કન્વેન્શન સેન્ટર,આવાસો,ફિલ્ટર પ્લાન્ટ અને લાયન સફારી પાર્કની ભેટરાજકોટ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં શહેરોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. રાજ્યના મહત્વપૂર્ણ એવા રાજકોટ શહેરમાં પણ આગામી સમયમાં વિવિધ પરિયોજનાઓથી ‘ઇઝ ઓફ લિવીંગ’ ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસ,પુલ અને માર્ગ સહિતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વેગવાન બન્યું છે. તેના પરિણામે આગામી દિવસોમાં રાજકોટવાસીઓને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ફિલ્ટર પ્લાન્ટ અને લાયન સફારી પાર્ક જેવી સુવિધાઓની ભેટ મળશે.રાજકોટને મળશે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આવાસોની સુવિધાગુજરાત સરકારના શહેરી વિકાસ…
Author: gujarat
અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ-બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત ‘મામેરું’ ભરીને જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે.ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય.મામેરામાં ભારત સરકારના પૂર્વ મંત્રી સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી રાધનપુર ધારાસભ્ય લવિંગજી…
યાહા મોગી માતાના ચરણોમાં મહાશિવરાત્રિનો ઐતિહાસિક મેળો સફળતાપૂર્વક સંપન્ન-આ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળો ભરાય છે.(માહિતી) રાજપીપલા, સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું દેવમોગરા ધામ આદિવાસી આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર છે. અહીં બિરાજમાન યાહા મોગી પાંડોરી માતાજી આદિવાસી સમાજની કુળદેવી તેમજ અન્નની દેવી તરીકે પૂજાય છે. વિશ્વમાં કણી કંસારી અન્નદેવીના સ્વરૂપમાં માનવામાં આવતું આ પ્રાચીન સ્થાનક અનોખી આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. પ્રતિ વર્ષ મહાશિવરાત્રિના અવસરે યોજાતો ભાતીગળ મેળો આ વખતે તા.૧૫મીથી શરૂ થઈ ૧૯મી ફેબ્રુઆરીના રોજ સુખરૂપ સંપન્ન થયો હતો.લોકવાયકા મુજબ સાગબારાના રાજા હીરાજી સંગાજી સરકારને રાત્રે સ્વપ્નમાં માતાજીએ…
અમદાવાદ સ્થિત બિલિંગ સોફ્ટવેર કંપનીના ડેટા સેન્ટરમાંથી મેળવેલી માહિતીને આધારે રેસ્ટોરન્ટોનું બિલીંગ કૌભાંડ પકડાયુંહૈદરાબાદમાં બિરયાની રેસ્ટારન્ટનું હાઇટેક કૌભાંડ-AI ની મદદથી IT અધિકારીઓ પકડી કરોડોની ટેક્સ ચોરીરેસ્ટારાં દ્વારા બિલ બનાવવા માટે વપરાતી એક મોટી કમ્પ્યુટર સિસ્ટમનો સ્ટડી કરતાં આ ખબર પડી હતી. બિલિંગ સૉફ્ટવેઅરનો વપરાશ દેશભરમાં એક લાખથી વધુ રેસ્ટોરાંઓ કરે છે. કમ્પ્યુટર ટૂલ્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અધિકારીઓએ લગભગ ૧.૭૭ લાખ રેસ્ટોરાંના બિલિંગ રેકૉર્ડ્સ ચેક કરવા માટે ૬૦ ટૅરાબાઇટ ડેટા ફંફોસ્યો હતો.(એજન્સી) હૈદરાબાદ, હૈદરાબાદમાં ખાદ્ય અને પીણા ઉદ્યોગમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગના હૈદરાબાદ આવકવેરા તપાસ યૂનિટે બિરયાની રેસ્ટોરન્ટ ચેઇનની સંપૂર્ણ તપાસ દ્વારા દેશભરમાં હજારો કરોડ રૂપિયાના…
તંત્ર દ્વારા કામગીરી શરૂ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ટોલબંધી કરાશે (પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો શામળાજી–મોડાસા–ગોધરા સ્ટેટ હાઈવે હાલ અત્યંત બિસ્માર અને જોખમી બની ગયો છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં સળંગ રીસરફેસ કામગીરી સહિતની સુવિધાઓ આપવામાં આવતી નથી.દરરોજ હજારો વાહનચાલકો પાસેથી નિયમિત ટોલ વસૂલવામાં આવે છે, છતાં બદલામાં કોઈ જ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ માર્ગ હવે ‘મોતનો માર્ગ’ સમાન બની ગયો છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે રસ્તા પર મસમોટા ખાડા, તૂટેલા ડિવાઈડર, સાઇનબોર્ડનો અભાવ અને રોડની સાઈડો ના કારણે અકસ્માતોમાં ચિંતાજનક વધારો થયો છે. જિલ્લાના એકમાત્ર મહત્વપૂર્ણ શામળાજી રોડ રેલવે સ્ટેશન સહિત…
જામનગર, જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા ૪૧.૮૬ લાખની છેતરપીંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે એક શેર બ્રોકિંગનું કામ કરતી કંપનીના ડાયરેકટર સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડો. કિશોરભાઈ સાજનમલ મહેશ્વરીએ જામનગરના સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોતાની સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા ૪૧,૮૬,પપ૬ રૂપિયાની છેતરપિંડી કરવા અંગે આરકેડિઆ શેર અને બ્રોકર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડાયરેકટર નીતિન અમૃતલાલ તેમજ એન્ટોની સિકવેટા, પ્રેમ એન્ટોની સિકવેટા, યસ રમેશભાઈ બ્રહ્મભટ્ટ…
સુરત, સુરત જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં મતદારો ઈન્ટેÂન્સવલી રિડયુસ થયો છે. સુરત જિલ્લામાં સરની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલી અંતિમ મતદાર યાદીમાં ર૬ ટકા મતદારો ઘટી ગયા છે. આ ઘટાડાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.અગાઉ સુરત જિલ્લામાં ૧૬ બેઠકોમાં કુલ મતદાર સંખ્યા ૪૮,૭૩,પ૧ર હતી જ્યારે નવી અંતિમ યાદીમાં આ આંકડો ઘટીને ૩૬,૩૯,૦૪ર પર આવી ગયો છે. એટલે કે કુલ ૧ર,૩૪,૪૭૦ મતદારો ઘટી ગયા છે.સુરત જિલ્લામાં દરેક વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ છતાં ઘટાડા બાદ પણ ચોર્યાંસી વિધાનસભા બેઠક સૌથી મોટી રહી છે. અગાઉ અહીં ૬,૧૩,ર૭૦ મતદારો નોંધાયેલા હતા જ્યારે હવે આ સંખ્યા ૪,ર૯,૬૯૯ પર આવી છે. એટલે…
સાંજની રાજકોટ- વેરાવળ ટ્રેન નિયમિત રીતે અનિયમિતમાળિયા હાટીના, રાજકોટ- વેરાવળ વચ્ચે બીજી વધારાની બે પેસેન્જર ટ્રેન તેમજ ર ડેમુ ટ્રેન શરૂ કરવા માગણી થઈ છે. હાલ રાજકોટથી સાંજે ૬ઃરપ મિનિટે ઉપડતી રાજકોટ- વેરાવળ લોકલ પેસેન્જર ટ્રેન છેલ્લા ઘણા મહિનાથી નિયમિત રીતે અનિયમિત ચાલતા મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે.આ ટ્રેન રાજકોટથી તો નિયમિત તેના સમય પ્રમાણે ૬ઃરપ મિનિટે ઉપડી જાય છે પરંતુ ગોંડલ, વિરપુર આસપાસ આ ટ્રેન છેલ્લા ર થી ૩ મહિનાથી અનિયમિત ચાલે છે. જૂનાગઢ પહોંચવાનો સમય સાંજે ૮.૧પ આસપાસનો અને માળિયા હાટીના પહોંચવાનો સમય ૯.૩૦ આસપાસનો છે પરંતુ છેલ્લા ર થી ૩ મહિનાથી આ ટ્રેન જૂનાગઢ અને માળિયાહાટીના પોણી…
સુરત, હીરાનગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે દાણચોરો માટે હોટસ્પોટ બની રહ્યું છે. સુરત એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે બુધવારે રાત્રે એક મોટી કાર્યવાહી કરતા બેંગ્કોકથી આવેલા બે જયપુરના મુસાફરો પાસેથી કરોડની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાનો ૬.પ કરોડનો ૬.૪ કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે કસ્ટમ્સ વિભાગે બન્ને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કસ્ટમ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ૧૮ ફેબ્રુઆરીના રોજ રાત્રે બેંગ્કોકથી સુરત આવેલી એર ઈન્ડિયા એરસપ્રેસની ફલાઈટ નંબર આઈએસ-ર૬૩ના મુસાફરોનું કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા રૂટિન ચેકિંગ અને પ્રોફાઈલિંગ કરવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન જયપુરના બે પુરૂષ મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવી આકરી પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે…
વડોદરા, વડોદરાની બ્રાઈટ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકીનો મેઈલ મળ્યો હતો જેની તપાસ કરતા મેઈલ સ્કૂલના જ એક ધોરણ પના વિદ્યાર્થીએ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે જેને લઈને હાલમાં પોલીસે બાળક સહિત તેમના માતા-પિતાની પૂછપરછ શરૂ કરી છે.વડોદરા શહેર અને જિલ્લાની રપ જેટલી સ્કૂલો તથા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું હતું અને સ્કૂલમાં ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.કારેલીબાગના અમિત નગર પાસે આવેલી બ્રાઈટ સ્કૂલમાં મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં સ્વાતી પટેલ નામની યુવતીના આઈડી ઉપરથી સ્કૂલને એક મેઈલ મળ્યો હતો જેમાં સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો.બોમ્બ…
