સુરત, ગજેરા બંધુઓની શાંતિ રેસિડેન્સીસ પ્રાઈવેટ લિમિટેડમાં ચાલી રહેલા મેનેજમેન્ટ વિવાદ અને નાણાંકીય ગેરરીતિઓના મામલે હવેક કાયદાકીય ગાળિયો કસાયો છે.કંપનીના મુખ્ય શેરહોલ્ડર પ્રવિણ દેવકીનંદન અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ સુરચની આઈસીઆઈસીઆઈ બેન્કને પત્ર લખીને કંપનીના કરંટ એકાઉન્ટમાંથી તમામ પ્રકારના ડેબિટ વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની તાકીદ કરી છે. અન્યથા બેન્ક પણ કાનૂની રીતે મુશ્કેલીમાં મૂકાઈ શકે તેમ છે. આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને પોલીસને તાત્કાલિક એફઆઈઆર નોંધવા નિર્દેશ આપ્યો છે.મુંબઈ સ્થિત શાંતિ રેસિડેન્સીસ પ્રાઈવેટ લિમિટેડના શેરહોલ્ડર પ્રવિણ અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે કંપનીમાં મોટાપાયે છેતરપિંડી, દસ્તાવેજોમાં ફેક સહીઓ અને બેન્કીંગ સાધનોનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. કંપનીમાં અંદાજે ૪ર%…
Author: gujarat
ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ મહિના ઉપરાંત શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી.ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ…
હોમગાર્ડ જવાનો પોલીસ જેવા લાભો મેળવવા માટે હકદાર નથીઃ હાઈકોર્ટ-‘સમાન કામ, સમાન વેતન’ મુદે દાદ માગતી ઢગલાબંધ રીટ કોર્ટે ફગાવી(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે રાજયન હોમગાર્ડઝ દેશમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને પોલીસ કર્મચારીઓની જેમ જ પગાર સહીતના લાભો આપવા દાદ માંગતી ઢગલાબંધ રીટ અરજીઓ ધરાર ફગાવી દીધી હતી. જસ્ટીસ મૌલીક જે.શેલતે હોમગાર્ડ જવાનોને પોલીસ કર્મચારીઓના જેવો પગાર અને અન્યો લાભ આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.અને જણાવ્યું હતું કે, રાજયના હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મચારીઓની ફરજ પર અને કાર્યોની પ્રકૃતિ એકસમાન નથી કે તેમાં સમાનતા નથી. તેથી હોમગાર્ડ જવાનોના કિસ્સામાં સમાન કામ માટે સમાન પગારનો સિધ્ધાંત લાગુ કરી…
અમદાવાદની નવ શાળાઓમાં આરટીઈનાં બાળકોને સવાર પાળીમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરિયાદ -તપાસમાં જ પોલપોલ, બે ખાનગી શાળામાં આરટીઈના બાળકોની સંખ્યા જ નહીં, ‘કેટલાક’ શબ્દનો પ્રયોગ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની ૯ જેટલી ખાનગી સ્કુલોમાં આરટીઆઈના બાળકોને સવાર પાળીમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરીયદો વિધાનગૃહની પ્રશ્નોતરીમાં સાથે આવી છે. વિપક્ષે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે ફરીયાદો ખોટી હોવાનો દાવો કર્યો હતો.સરકારે તેના જવાબમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગની તપાસમાં સ્કુલો દ્વારા સવાર અને બપોર એમ બંને પાળીમાં વિધાર્થીઓને પ્રવેશ અપાતો હોવાનું જણાવ્યું છે. ફરીયાદો બાદ ઘરેથી તપાસમાં જ પોલંપોલ જોતા મળી હોવાની આક્ષેપ થયો છે.કારણ કે, અમદાવાદ શહેરની ૯ ખાનગી સ્કુલોની ફરીયાદ આવ્યા બાદ…
ચાઈલ્ડ ટ્રાફિકીંગની ફરિયાદના આરોપીને ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યો-આરોપી લગભગ છ મહીનાથી કસ્ટડીમાં છે. આરોપીની ઉંમરને પણ ધ્યાને લેવી જોઈએ અને તેને રેગ્યુલર જામીન પર મુકત કરવો જોઈએ.(એજન્સી)અમદાવાદ, ચાઈલ્ડ ટ્રાફીકની ફરીયાદના આરોપીને હાઈકોર્ટે જામીન પર મુકત કરવાનો આદેશ કર્યો છ.ે નોધનીય છેકે આરોપીને ધોળકાની કોર્ટે જામીન આપવાના ઈન્કાર કર્યો હતો. અને એવું અવલોકન કર્યું હતું કે આરોપી વિરૂધ્ધ ગંભીર પ્રકારના ગુના નોધાયા છે.અલબત હાઈકોટે એવું અવલોકન કર્યું હતું કે આરોપીની ગુનામાં કોઈ સીધી સંડોવણી નથી અને તેણે તેની પત્નીના દોરીસંચાર મુજબ કૃત્ય કર્યું હતું. આરોપી ર,૦૮,ર૦રપથી કસ્ટડીમાં છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. જેને ધ્યાનમાં લેતા આરોપીને…
(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નગરપાલિકાની હદમાં આવેલ મોતીપુરા,જૂની સિવીલ સહિત અન્ય સ્થળે આવેલા સર્કલ પર મૂકાયેલી પ્રતિમાઓ બાદ આવા સર્કલોમાં સુધારો કરી સુંદર બનાવવા હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સૂચન કર્યું હતુંત્યારબાદ મોતીપુરા સહિતના સર્કલોને કેવી રીતે સુશોભિત બનાવાય તેમજ શહેરના પ્રવેશ દ્વાર સમા મોતીપુરા સર્કલનુ વિસ્તૃતિકરણ કેવી રીતે કરી શકાય તે માટે ધારાસભ્યએ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી સૂચનો કર્યા હતા. જેને લઈ નગરપાલિકાએ તાજેતરમાં કેનાલફ્રન્ટ નજીક આવેલ હાલના એન્જીનીયર સર્કલનું રૂ. ૧૬ લાખના ખર્ચે વિસ્તૃતીકરણ કરવાનું કામ શરૂ કરાયું છે.જેથી આગામી દિવસોમાં એન્જીનીયર સર્કલ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરશે.આ અંગે નગરપાલિકા પાસેથી પ્રાપ્ત થયેલ…
સરકારી યુનિ.ઓમાં પ્રોફેસરની ભરતીમાં અધ્યાપક સહાયક તરીકેનો શૈક્ષણિક અનુભવ માન્ય ગણાશે(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલી રહેલી અનુભવની ગણતરી અંગેની દ્વિધાનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક નિર્ણય લેતાં જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં હવે ‘અધ્યાપક સહાયક’ તરીકેના ૫ વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્ર પાઠવી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેમાં સમાનતા જાળવવા માટે હવે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ કરવો. એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં…
ઇન્ડિયાAIઇમ્પેક્ટ સમિટ –2026ને પગલે ગુજરાત સરકારની પહેલL&T વ્યોમા25હજાર કરોડનું રોકાણ પ્રોજેક્ટમાં કરશે – સંભવત:2028સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થશે*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટેક ટેલેન્ટનું કેન્દ્ર બની રહેલા ભારતમાં ગુજરાતેAIઅને ડિજિટલ ગવર્નન્સ માટે બજેટમાં રૂ.850કરોડની ફાળવણી કરીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયાAIઇમ્પેક્ટ સમિટ2026અંતર્ગત ગુજરાતેAIક્ષેત્રે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. કર્યા છે.આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ એમ.ઓ.યુ. ધોલેરાSIRખાતે250મેગા વોટના હાઇ પર સ્કેલ,ગ્રીનAIરેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે.વન,પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા એમ.ઓ.યુ. દ્વારાL & Tવ્યોમાં રૂ.25હજાર કરોડનું રોકાણ આ…
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા આવનારા હોળી તહેવાર દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અસારવા થી આગ્રા કૅન્ટ માટે પણ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:ટ્રેન નંબર09425/09426સાબરમતી–હરિદ્વાર–સાબરમતી સ્પેશિયલ (10ફેરે)ટ્રેન નંબર09425સાબરમતી–હરિદ્વાર સ્પેશિયલ23ફેબ્રુઆરી અને02, 09, 16, 23માર્ચ2026ના રોજ સાબરમતીથી સાંજે18:45વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે20:30વાગ્યે હરિદ્વાર પહોંચશે.તે જ રીતે ટ્રેન નંબર09426હરિદ્વાર–સાબરમતી સ્પેશિયલ24ફેબ્રુઆરી અને03, 10, 17, 24માર્ચ2026ના રોજ હરિદ્વારથી રાત્રે21:45વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે22:30વાગ્યે સાબરમતી પહોંચશે.માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા,પાલનપુર,આબુ રોડ,પિંડવાડા,જવાઈ બાંધ,ફાલના,રાની,મારવાડ,બ્યાવર,અજમેર,કિશનગઢ,જયપુર,ગાંધીનગર–જયપુર,બાંદીકુઈ,અલવર,રેવાડી,ગુડગાંવ,દિલ્હી કૅન્ટ,દિલ્હી,ગાઝિયાબાદ,મેરઠ,મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં…
