Author: gujarat

સૌથી વધારે વર્ગ ૩ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા -કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતોગાંધીનગર, આપણે રોજબરોજ લાંચ-રુશ્વત લેતા કેટલાય લોકો પકડાયા હોવાના સમાચાર મળતા હોય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભાના ગૃહમાં ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.જે અંતર્ગત તેમણે પૂછ્યું હતું કે, સરકારના લાંચ-રુશ્વત વિરોધી એટલે કે એલસીબીમાં કેટલા અધિકારી કર્મચારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા તે અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં અમિત ચાવડાએ ગૃહમાં સરકારને પૂછ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં લાંચ-રુશ્વત વિરોધી વિભાગે કેટલા સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધાયા છે?આ મુદ્દે જાણવા મળ્યું કે, કુલ ૧૮૭…

Read More

ઓખામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ જ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છેદેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરતી પોલીસ પ્રણાલીને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓખામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ જ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.મળતી વિગતો અનુસાર, આરોપી પોલીસકર્મીએ પીડિત પરિણીતા સાથે અગાઉ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી પોલીસકર્મીએ પરિણીતા સાથે મુલાકાતો વધારી હતી. જોકે, જ્યારે પરિણીતાએ તેની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે…

Read More

આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતા રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છેમહેસાણા, મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસીની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક જોવા મળી હતી. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ ભાવ હજી પણ ખેડૂતોને ફાયદાકારક જ કહી શકાય.આજે માર્કેટ યાર્ડમાં એરંડાની ૧૧૪૯ બોરીની આવક નોંધાઈ છે, ગયા અઠવાડિયા કરતા આજે આવકમાં વધારો છે. આજે માર્કેટ યાર્ડમાં ગુવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતા રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છે.આજે…

Read More

પૂર્વ મંજૂરી વિના સોલાર પેનલ માટેનું લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું-જિલ્લા કલેક્ટરની દખલ બાદ અંતે ખેડૂતને ન્યાય મળ્યો અને સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈઅમદાવાદ, સોલાર કંપની સામે હરિજ તાલુકાના રોડા ગામમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ગામના એક ખેડૂતની જમીન પર તેની પૂર્વ મંજૂરી વિના સોલાર પેનલ માટેનું લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. આ બનાવને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.માહિતી મુજબ, કંપની દ્વારા ખેડૂતને કોઈ લેખિત કે મૌખિક પરવાનગી લીધા વિના જમીન પર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતે જ્યારે આ અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને કામગીરી રોકવા રજૂઆત કરી, ત્યારે પણ કંપનીએ કામ બંધ…

Read More

પતિએ કોઈપણ કાયદેસરની પ્રક્રિયા વગર માત્ર પોસ્ટ દ્વારા ટ્રિપલ તલાક મોકલી આપીને સંબંધોનો અંત કર્યો હતોઅમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક જમાલપુર વિસ્તારમાં રહેતી એક ૨૮ વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. વર્ષ ૨૦૧૩માં લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાને તેના પતિએ કોઈપણ કાયદેસરની પ્રક્રિયા વગર માત્ર પોસ્ટ દ્વારા ટ્રિપલ તલાક મોકલી આપીને સંબંધોનો અંત કર્યો હતો. આ મામલે પીડિતાએ હિંમત દાખવીને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ કરી છે.પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નજીવનના શરૂઆતના ગાળા બાદ સાસુ અને નણંદ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. પરિણીતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેની તબિયતની દરકાર રાખવાને બદલે તેને…

Read More

બોપલ તળાવ સામે નિર્માણાધીન શિવમ ટાવરમાં શ્રમિકનું મોત -તળાવ સામે શિવમ ટાવરના બાંધકામ દરમિયાન શ્રમિક નીચે પટકાતા સ્થળ પર મોત થયું છેઅમદાવાદ, અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આજે બપોરે એક કરૂણ ઘટના સામે આવી છે. બોપલ તળાવની બિલકુલ સામે બની રહેલા ‘શિવમ ટાવર’ નામની બાંધકામ સાઇટ પર કામ કરતી વખતે એક શ્રમિક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે પટકાયેલા શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, બોપલ વિસ્તારમાં આવેલા શિવમ ટાવરના નિર્માણ કાર્ય દરમિયાન શ્રમિક ઊંચાઈ પર કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક સંતુલન બગડતા તે…

Read More

મિલકત વિવાદના કેસમાં કાનુની વારસદારો દ્વારા કરાયેલી અપીલ હાઈકોર્ટે ફગાવી દીધી(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે. કે દાવો પુનઃ સ્થાપિત કરવા મામલે કોઈપક્ષના વારસદારોને તેમની માતાની ગેરહાજરીમાં પુરતા કારણો આપ્યા વિના કે અદાલતને તે સમજાવવા વિના એકતરફી હુકમનામું એકસપાયરી ઓર્ડર રદ કરવાની માંગણી કરી શકે નહી. જસ્ટીસ દેવન એમ. દેસાઈએ મિલકત વિવાદના એક કેસમાં આપેલા ચુકાદામાં આ મુજબ ઠરાવ્યું હતું.મિલકત સંબંધી એક કેસમાં અમદાવાદ સીવીલ કોર્ટ દ્વારા એકસપાર્ટી હુકમ દ્વારા દાવો રદ કરવામાં આવ્યો હતો. જેમાં હાલના અપીલકર્તાઓની માતા વિરૂધ્ધ સીવીલ કોર્ટે આ હુકમ કર્યો હતો. માતાના નિધન બાદ અપીલકર્તાઓને ધ્યાનમાં એ વાત આવી હતી કે સીવીલ કોર્ટ…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાના નરસંડા ગામની સીમમાં સરનામું પૂછવાના બહાને સફેદ કલરની કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ બે મિત્રોને આંકડાના પાન સૂંઘાડી અર્ધબેભાન જેવી અવસ્થામાં લાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી . આ મામલે ભોગ બનનાર યુવકે વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરીમાં રહેતા વિજયકુમાર ઝવેરભાઈ પટેલ અને તેમના મિત્ર રાજેશભાઈ મંગળભાઈ પટેલ નરસંડા ગામ પાસે ઉભા હતા, ત્યારે એક સફેદ રંગની સ્કોર્પિયો જેવી ગાડી તેમની પાસે આવી ઉભી રહી હતી. ગાડીમાં સવાર શખ્સોએ નડિયાદ જવાના રસ્તા અને સંતરામ મંદિરના સરનામા અંગે પૂછપરછ કરી હતી.આ દરમિયાન ગાડીમાં બેઠેલા એક…

Read More

બિસ્માર રસ્તાઓ મુદ્દે સરકાર અને તંત્ર સામે ઉગ્ર વિરોધ(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તાઓના પ્રશ્ને મોડાસા તાલુકાના દાવલી ગામે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો. દાવલી–સરડોઈ–રખિયાલ તેમજ રખિયાલ–માલવણ–કેશાપુર માર્ગોની અત્યંત ખરાબ હાલતને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના રસ્તાઓ પરના ખાડાઓ સમયસર પૂરવામાં આવતા નથી અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે.ઘણા માર્ગોને પહોળા કરવાની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં કામ હાથ ધરાતું નથી. ચાલી રહેલા કામો સમયમર્યાદામાં પૂર્ણ થતા નથી અને માર્ગોની કામગીરીમાં મોટેપાયે ભ્રષ્ટાચાર…

Read More

ગૌ-સેવા દાન સાથે મળશે હોળી સામગ્રી, રૂ.2500ના ટોકન સાથે છાણા-સ્ટીક બોક્સ ઘરઆંગણે ડિલિવરી થશે : દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીનાં કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે.જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોળીકા દહનથી થતાં કાર્બન ડાયોક્સાઇડનાં પ્રમાણને ઘટાડવા માટે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ/કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલી વૈદિક હોળીની આ પહેલ દ્વારા નાગરિકો હોળીની વૈદિક પદ્ધતિથી ઉજવણી કરીને વાતાવરણને શુદ્ધ રાખી શકે છે.આ…

Read More