અમદાવાદ, એલનના કબીરે 300 માંથી 300નો પરફેક્ટ સ્કોર કર્યો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE Main 2026 જાન્યુઆરી સેશનના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ નિતિન કુકરેજાએ જણાવ્યું કે જેઇઇ મેન 2026ના પરિણામોમાં એલને ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. Allen Career Institute – 7 Out Of 12 Students With 100 Percentile In The Country Are From Allen.દેશભરમાં કુલ 12 વિદ્યાર્થીઓને ઓવરઓલ 100 પર્સેન્ટાઇલ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 8 વિદ્યાર્થી એલન ક્લાસરૂમના છે. 2026ના પ્રથમ મોટા પરિણામમાં એલનના વિદ્યાર્થીઓએ સતત ઉત્તમ પરિણામો જાળવી રાખ્યા છે અને પરફેક્ટ સ્કોર સાથે 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે.એલન કોટા…
Author: gujarat
શિવાજીના વારસાને સાચવતા વડાપ્રધાનશ્રીએ અયોધ્યાના રામ મંદિર,કાશી વિશ્વનાથ કોરિડોર અને સોમનાથ જેવા વિવિધ મંદિરોનો વિકાસ કરીને સનાતન ધર્મને વધુ બળ આપ્યું: કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીછત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર ખાતે યોજાયેલા અનાવરણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે,આ ભવ્ય પ્રતિમા વર્તમાન-આગામી પેઢીને શિવાજી મહારાજના સાહસ,વ્યૂહરચના અને‘સ્વરાજ‘ના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે. શિવાજી મહારાજની શૌર્યગાથા અને સુશાસનના પાઠ આજે પણ આપણને સતત પ્રેરણા આપે છે.ભારતીય સંસ્કૃતિના રક્ષક અને અખંડ ભારતના પ્રેરણાસ્ત્રોત એવા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આજે ગાંધીનગરના મહારાષ્ટ્ર ભવન,સેક્ટર-૨૧ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નાયબ…
હનુમાન ખિજડિયા ગામથી ગાંધીનગર અને અરવલ્લી જતા નકલી દૂધનું ટેન્કર ઝડપાયું-ટેન્કરોનો પીછો કરતા આપ નેતા યુવરાજસિંહ ઉપર જીવલેણ હુમલો થયાનો આક્ષેપવડિયા, વિસાવદર નજીક હનુમાન ખિજડિયા ગામમાંથી રોજ દૂધના બે ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હતા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકિયા, દિલીપ ભુવા સહિતના આગેવાનો દ્વારા ટેન્કરનો પીછો કરીને અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતું.યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટાપાયે ચાલી રહ્યો હોવાની શંકા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખિજડીયા ગામમાંથી રોજ દૂધના બે ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી…
ગારિયાધાર, તાલુકાના લુવારા ગામેથી પસાર થતો ગારીયાધાર-સાવરકુંડલા રોડ પર બન્ને બાજુ નવા સીસી રોડના કામ માટે ર૦ દિવસથી ખોદકામ કરીને મૂકી દેવામાં આવ્યું છે જેના કારણે અલગ અલગ પ્રકારના ત્રણ અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં વાહન પલટી મારી જતા ત્રણ મહિલા ઘાયલ થતાં ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી.ગારિયાધારના લુવારાગામની બન્ને બાજુએ આરસીસી રોડનું કામ કરવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકની એજન્સી દ્વારા ર૦ દિવસથી ખોદીને મેટલ પાથરી દેવામાં આવી હતી જે કામમાં તંત્ર દ્વારા આળસ કરવામાં આવતા આ ર૦ દિવસમાં ત્રણ અલગ અલગ પ્રકારના વાહન પલટી મારી જવાના બનાવો બન્યા હતા.જેમાં બપોરે ગારિયાધારના…
ચિખલોડને કપડવંજ તાલુકામાં યથાવત રાખવા ગામ સમિતિની પ્રબળ માંગડાકોર, ચિખલોડ ગામ સમિતિ દ્વારા મીટિંગ યોજી ચૂંટણી બહિષ્કાર અને વેરા નહીં ભરવા માટે જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત ચિખલોડ ગ્રામજનો દ્વારા જ્યારથી ચિખલોડ ગ્રામ પંચાયતને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધ ચાલુ થયો છે જ્યાં સુધી ચિખલોડ કપડવંજ તાલુકાના અંદર સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારના રાજકીય આગેવાનોને સપોર્ટ નહીં કરવામાં આવે તેમજ સાત મુદ્દા પર બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે.આ મુદ્દાઓમાં ચિખલોડ ગામમાં કોઈ નેતા સમિતિ દ્વારા જાહેર કરવામાં આવે છે. ચિખલડ ગામ સમિતિ દ્વારા આવનાર તમામ ચૂંટણીઓ માટે બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ચિખલોડ ગામનો…
વડોદરા, વડોદરા મહાનગરપાલિકામાં કરોડિયા વિસ્તારના બહુચર્ચિત આકારણી કૌભાંડે રાજકીય મોરચો મોટો ભડકો કર્યો છે. આ કૌભાંડમાં સંગઠનના હોદ્દેદારોની સંડોવણીના સંકેતો મળતા જ શહેર ભાજપ હરકતમાં આવ્યું છે. શિસ્તના આગ્રહી ગણાતા પક્ષે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના વોર્ડ નં.૮ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડા પાસેથી રાજીનામા લખાવી લેતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.કરોડિયા વિસ્તારમાં અનેક મિલકતોની એન.એ. પ્રક્રિયા પૂર્ણ થયા વગર જ તેની ગેરકાયદેસર રીતે આકારણી કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગેરરીતિ અંગે ધારાસભ્ય કેયુર રોકડીયાએ પુરાવા સાથે પાલિકા તંત્ર અને સંગઠનનું ધ્યાન દોર્યું હતું. પક્ષના જ હોદ્દેદારો દ્વારા આર્થિક હિત સાધવા માટે સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઉંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે.આ જમીન ઈદગાહની હોવાનો દાવો કરી ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ દરખાસ્ત રદ્દ જમીન પરત આપવાની માંગ કરી છે.ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનો તેમજ આ વિસ્તારના કબ્રસ્તાનના સંચાલકો સહિત મુસ્લિમ અગ્રણીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇને આવેદનપત્ર પાઠવ્યું હતુ.તેઓએ આપેલા આવેદનપત્રમા જણાવ્યા મુજબ વોર્ડ નં.૫, સી.એસ. નં.૧૫૦૬ હેઠળ આવેલી અંદાજે ૨૯૭૭ ચો.મી જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેકટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે…
દેવગઢ બારિયા સબ જેલમાંથી કેદી ફરાર, જેલ વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયુંદાહોદ, સબ જેલમાંથી અનેક વખત કેદીઓ ફરાર થવાની બનેલી ઘટનાના કારણે વગોવાયેલી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા મથકે આવેલ સબ જેલમાંથી વધુ એક કેદી ફરાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ જેલ વિભાગના હવાલે સબ જેલ ગયા બાદ આ પહેલી મોટી ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા તાલુકાના હાથિયાવન ગામનો રહેવાસી મનોજ ભરત કટારા (ઉ.રર વર્ષ) જેની સામે લીમખેડા પોલીસ મથકે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયેલ છે તેને અંદાજે છે માસ અગાઉ દેવગઢ બારિઆ સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો.ગત રોજ રાતના કોઈ…
જલાલપોર તાલુકાને સતત અન્યાય થતો હોવાના આરોપ-નવસારી BJPમાં ભડકોઃ નિમણૂંકના બીજા જ દિવસે ૪ હોદ્દેદારોના રાજીનામાવાઘને કોણ કહે તારું મોં ગંધાય છે. એવો ટોણો મારતા કયા બે નેતાઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.નવસારી, નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપી દેતા ભીતરમાં ખદબદી રહેતો અસંતોષ સપાટી પર ઉભરી આવ્યો છે.સોમવારે મોડી સાંજે નવા સંગઠનના નામનો જાહરાત કરવામાં આવી હતી. જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના જૂથને મહામંત્રી પદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.નવસારી જિલ્લા ભારતીય…
મ્યુનિ.ચુંટણીની તૈયારીઓઃ નવેસરથી મતદાર યાદી છપાવવાની પ્રક્રિયા શરૂ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજવા માટે ચુંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. અને તેના ભાગરૂપે અંદાજે ૬૦ લાખના ખર્ચે નવી મતદારયાદીઓ છાપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.મ્યુનિ. સુત્રોનાં જણાવ્યા અનુસાર શહેરનાં ૪૮ વોર્ડના મતદારોના નામસરનામાં સાથેની મુળ તથા પુરવણી મતદારયાદીઓની તૈયાર થનારી સોફટ કોપી ઉપરથી મતદારયાદી છપાવવામાં આવશે. જોકે વિધાનસભા મતદાર વિભાગે માટે એસઆઈઆર પ્રક્રિયા બાદ ૧૭મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થનારી મતદારયાદીઓ ઉપરથી અમદાવાદ મહાનગરપાલિકાનો ૪૮ વોર્ડની વોર્ડવાઈઝ મતદારયાદી તૈયાર કરવાની રહે છે.જેના માટે રાજય ચુંટણીપંચ દ્વારા વોર્ડવાઈઝ અને ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવાની કામગીરી નિયત કરેલી કંપનીને સોપવામાં આવી છે. આ કંપની પાસેથીત…
