Author: gujarat

દેશભરના પ્રોફેશનલ ઓપ્શન ટ્રેડર્સ અને રોકાણકારોનો મહાકુંભ યોજાયોભારત/સુરત; 17 ફેબ્રુઆરી, 2026 : રોકાણના ક્ષેત્રમાં વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરતી ભારતની અગ્રણી ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપની, જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે આયોજિત બે દિવસીય ઇન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ (IOC 7.0) નું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે.ઇન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ એ ભારતમાં ઓપ્શન્સ ટ્રેડિંગ શીખવા માટેનું સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ છે. આ બે દિવસીય કાર્યક્રમે દેશમાં ઝડપથી વિકસતા ડેરિવેટિવ્ઝ અને ઓપ્શન્સ ટ્રેડિંગના ઈકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. નાણાકીય રોકાણના શિક્ષણમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા આ કોન્ક્લેવે તેના સાતમા સંસ્કરણમાં જ્ઞાન અને જનભાગીદારીના નવા માપદંડો સ્થાપિત કર્યા છે.આજે ભારત…

Read More

વિધાનસભા ખાતે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પસારઆધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત શ્રમયોગીઓ,વેપારીઓ,માલિકો તથા પ્રજાજનો એમ સર્વે માટે આ સુધારા વિધેયક આશીર્વાદરૂપ: શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાØદૈનિક કામના કલાકોની મર્યાદા ૯થી વધારીને ૧૦ કલાક કરાઈØઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં કુલ ૧૨૫ કલાકથી વધારીને ૧૪૪ કલાક કરાઈØકામના સ્થળ પર મહિલાની ગરિમા,સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જોગવાઇગાંધીનગર, વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમનું સુધારા વિધેયક આજે…

Read More

વડનગરનો2500વર્ષ જૂનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવે છે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ,પ્રેરણા સંકુલ બન્યું વિશ્વનું પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્રવીજ વિભાગ અંતર્ગત અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન અને સોલરાઇઝેશન થકી વડનગરની થશે કાયાપલટØશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની અંતર્ગત ઐતિહાસિક સ્થળોનું પુન: સ્થાપન કાર્ય,રોડ-રસ્તાના વિકાસ કાર્યો,તળાવોના આંતરિક જોડાણ સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવશેØગાયોના સંરક્ષણ માટે દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌશાળાનું થશે નિર્માણ,જે ગ્રામીણ ગૌ-શાળા વિકાસનું આદર્શ મૉડલ બનશેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી,વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર,રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ2,500વર્ષ જૂની…

Read More

શિક્ષણ મંત્રીએ તાબડતોબ આ અંગે પગલાં લેવા બોર્ડના અધિકારીઓને સુચના આપી પણ અધિકારીઓ ટસના મસ ન થયા!નખશીખ સજ્જન અને કોઈ પણ ડાઘ વગરની રાજકીય કારકિર્દી ધરાવતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિક્ષિત અધિકારી પ્રદ્યુમ્ન વાજા શિક્ષણ મંત્રી બન્યા હોવા છતાં વહીવટીતંત્રમાં પોતાનો પ્રભાવ ઉભો નથી કરી શક્યા.તેનું હાજરાહજૂર ઉદાહરણ એ છે કે ગત ડિસેમ્બર-૨૦૨૫મા લેવાયેલ ટેટ-૧ની ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ૧૯ જેટલા પ્રશ્નો ભૂલ ભરેલાં અને વિવાદાસ્પદ હોવાથી ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ૧ કે ૨ માર્કથી મેરીટ લીસ્ટમાંથી નીકળી ગયા તેથી વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડને ફાઈનલ આન્સર કી રીવાઈઝ કરવા માટે વિનંતી કરવા ગયા પણ ત્યાંથી અધિકારીઓ દ્વારા જવાબ તોછડો મળ્યોએટલે…

Read More

AMA દ્રારા “અન્ડરસ્ટેન્ડિંગ જેન ઝી” વિષય પર નિષ્ણાતો દ્રારા પેનલ ડિસ્કશનનું આયોજનકરાયુંઅમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા “ડો. ટી. વી. રાવ – એએમએ ફોરમ ફોર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ”ના હેઠળ “અન્ડરસ્ટેન્ડિંગ જેન ઝી” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. ટી. વી. રાવ (ચેરમેન, ટીવીઆરએલએસ; ભૂતપૂર્વ પ્રોફેસર, આઈઆઈએમએ) જણાવ્યું હતું કે, “દરેક પેઢી એક વાર્તા લઈને આવે છે.જેન ઝીની વાર્તા હજુ લખાઈ રહી છે—વર્ગખંડોમાં, બોર્ડરૂમમાં અને ઘરોમાં. ડિજિટલ-ફર્સ્ટ દુનિયામાં જન્મેલી, ઝેન ઝી આપણે કેવી રીતે શીખીએ છીએ, વપરાશ કરીએ છીએ, કામ કરીએ છીએ અને સમાજ સાથે જોડાઈએ છીએ તેને નવો આકાર આપી રહી છે. તેમની માનસિકતાને સમજવી હવે વૈકલ્પિક…

Read More

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા “બોર્ડ પરીક્ષા સહાયક પુસ્તિકા 2025″નું વિમોચનધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે સ્પેશિયલ ગાઈડબુક ગૂગલ મેપ લિંક અને હેલ્પલાઇન નંબરોથી સજ્જઅમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા માર્ચ 2025માં યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓની સુવિધા માટે “બોર્ડ પરીક્ષા સહાયક પુસ્તિકા–2025″ બહાર પાડવામાં આવી છે. આ પુસ્તિકાનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન પડતી વહીવટી અને વ્યવહારુ મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો અને તેમને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ પુસ્તિકામાં પરીક્ષાના તમામ કેન્દ્રોના લોકેશન ગૂગલ મેપ લિંક સાથે ઉપલબ્ધ…

Read More

ભારતીય રેલવે દ્વારા ગુજરાતમાં આધુનિક રેલ સેવાઓના વિસ્તારની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરતા 16 ફેબ્રુઆરી 2026ના રોજ અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ સેવા નો શુભારંભ કરવામાં આવ્યો. આ સેવા રાજ્યમાં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસ્તરીય રેલ યાત્રાના નવા માપદંડ સ્થાપિત કરશે.હિંમતનગર સ્ટેશન પર માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, માનનીય સાંસદ શ્રી મયંક નાયક, માનનીય સાંસદ શ્રીમતી રમિલાબેન બારા તથા માનનીય પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ઉદયપુર–અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.આ જ ક્રમમાં અસારવા સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં માનનીય મેયર, અમદાવાદ શ્રીમતી પ્રતિભાબેન જૈન, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તથા માનનીય સાંસદ (રાજ્યસભા) શ્રી નરહરિ અમીન…

Read More

અમદાવાદના સરનામે બીજા શહેરમાંથી પાકું લાઈસન્સ લેવાનું કૌભાંડ -સ્પષ્ટ કારણ નહીં મળે તો લાઈસન્સ રદ કરાશે(એજન્સી)અમદાવાદ, અમદાવાદનું સરનામું ધરાવતા હોય અને ડ્રાઈવીંગ ટેસ્ટ આપ્યા વગર રાજસ્થાનમાંથી કાચું અને પાકું લાઈસન્સ મેળવવાનો ખેલ ચાલી રહયો છે. આરટીઓ દ્વારા એવાં કેટલાંક ડ્રાઈવીગ લાઈસન્સની ચકાસણી કરવામાં આવી રહી છે.તમામ લાયસન્સ ધારકનો ઓળખ કરીને તેઓને નોટીસ આપી જવાબ માગવામાં આવશે. જવાબમાં જો વાજબી કારણો નહી જાણવા મળે તો તેઓના ડ્રાઈવીગ લાયસન્સ અમદાવાદ આરટીઓ દ્વારા રદ કરવામાં આવશે. એજન્ટોના ગોઠવણથી રાજય બહારથી લોકોના ડ્રાઈવીગ લાયન્સ બનાવી લેવામાં આવે છે.અને ત્યારબાદ સરનામું બદલાવા માટેની અરજી કરી દેતા હોય છે. અમદાવાદ સહીત રાજયસભરના મોટાભાગના આરટીઓ ટેસ્ટ ટ્રેક…

Read More

(એજન્સી)ડીસા, બનાસકાંઠા સહિત સમગ્ર ડીસા તાલુકામાં હાલમાં ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે. બટાકાનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થતાં તમામ ખેતરોમાં ઉત્સવનો માહોલ છે પરંતુ બીજી બાજુ ખેડૂત જ્યારે બટાકા લઈ બજારમાં જાય છે ત્યારે પોષણક્ષમ ભાવ પણ મળી નથી રહ્યા નથી.આમ, ખેતરોમાં ઉત્સવ પણ બજારમાં મંદી જેવી સ્થિતિ ઊભી થઈ છે જે અંગે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર ગત વર્ષે ૧.૩૧ લાખ હેક્ટર સામે ચાલુ સાલે ૧.૩૯ લાખ હેક્ટર થયું છે જે ૮,૦૦૦ હેક્ટરના વધારાને દર્શાવે છે. જિલ્લામાં ૧.૧૦ લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર ચાલુ વર્ષે થયું છે જેમાં ૫૫૦૦૦થી ૬૦૦૦૦ હેક્ટર જમીનમાં બટાકાનું…

Read More

શરદી સાથે આંખ મગજના ભાગે તકલીફ હોય તો તબીબી સલાહ જરૂરી(એજન્સી)અમદાવાદ, ૧ર વર્ષની બાળકીને આંખમાંથી સતત પાણી વહેતું હોવાની સાથે આંખે ઓછું દેખાતું હતું. આ ફરીયાદ સાથે બાળકીને લઈને તેના વાલી એસજી હાઈવે સ્થિત સોલા સીવીલ હોસ્પિટલમાં ખાતેની ઓપીડીમાં આવ્યા હતા.દુરબીન અને સીટી સ્કેનથી બાળકીની તપાસ કરાતાં સાથે આવ્યું હતું. કે, બાળકીના નાક, સાયનસ, આંખ અને મગજના અમુક ભાગમાં ફંગસ ભરાઈ ગયું હતું. એ પછી બીજા દિવસે તબીબોની ટીમે સર્જરીક રીને ફંગસ ફુગ દુર કરાઈ હતી. સર્જરી દરમ્યાન દુરબીનથી નાકની અંદરની કોઈપણ ચીરા વગર નાક સાયનસ આંખ અને મગજના અમુક ભાગોમાંથી ફંગસ દૂર કરવામાં આવ્યું હતું. અત્યારે બાળકીની તબીયત સુધારા…

Read More