Author: gujarat

ગાંધીનગર, રાયસણ મેટ્રો સ્ટેશન સામે પંચેશ્વર તળાવના કિનારે આવેલ વિશાળ પંચેશ્વર મંદિરમાં આગામી શિવરાત્રિના દિવસે દિવ્ય શિવ આરાઘનાના વિવિધ કાર્યક્રમો દ્વારા મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિર સમિતિ અને ભક્ત સમુદાય ધ્વારા શિવરાત્રીની ભક્તિમય ઉજવણીને સાકાર સ્વરુપ આપવા તડામાર તૈયારીઓ આરંભાઈ દેવાઇ છે. રાયસણનું પંચેશ્વર મંદિર તેની આધ્યાત્મિક અને રચનાત્મક સામાજીક પ્રવૃત્તિઓના કારણે સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આગામી ૧૫ ફેબ્રુઆરી, રવિવારે મહાશિવરાત્રિના રોજ પંચેશ્વરમંદિરમાં સવારે પાંચ વાગ્યાથી જ વિશેષ શિવપૂજાનો સુભારંભ થશે. સવારે છ વાગ્યાની મંગળા આરતી પછી તરત જ શેરડીનો રસ, દાડમનો રસ, મધુ , પંચામૃત જેવા દ્રવ્યોથી પંચેશ્વર મહાદેવની વિશેષ શાસ્ત્રોક્ત રીતે મહાઅભિષેક પૂજા…

Read More

એસઓજીએ મહિલા સહિત બે પેડલરોને ૮ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે પકડાયા હતા(એજન્સી)અમદાવાદ, એસઓજીએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી ૮ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે પકડેલા જીયા પ્રજાપતી અને ચેતન પ્રજાપતી ગુજરાતના મુખ્ય સપ્લાયર અમદાવાદમાં અમન જોશી અનેસુરતના મીલન વઘાસીયા માટે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે.એસઓજીની ટીમે હવે અમન જોશી અને મીલન વઘાસીયાની ઘરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા છે. જોકે જીયા અને ચેતના ઝડપાયા બાદ બંને મુખ્ય સુત્રધાર ભુર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે અમદાવાદ ઉપરાંત સુરત પોલીસ પણ સક્રીય બની છે.ઘણા સમયથી અમદાવાદ અને સુરત એરપોર્ટ પર દરરોજ બેગકોકથી કરોડો રૂપિયાનો હાઈબ્રીડ ગાંજા ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો…

Read More

અમદાવાદમાં યુવતીને રિક્ષામાં ફરતી જોઈ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો, ફરિયાદ નોંધાઈ(એજન્સી)નડિયાદ,મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામના ૪૭ વર્ષીય ખેડૂતને પાલનપુરની એક યુવતીએ ડેટિંગ એપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ બહાને કુલ રૂ.૭પ,૬૦,૦૦૦ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસમાં નોંધાઈ છે.યુવતીએ પોતે બેÂલ્જયમમાં ફસાઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવી ખેડૂત પાસેથી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા પરંતુ ફરિયાદીએ તેને અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતી જોતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.વર્ષ ર૦રરમાં ફરિયાદી મહેશભાઈ પટેલે પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન સ્ટોલ કરી હતી જેના દ્વારા તેઓ પાલનપુરના સમર્પણ ફલેટમાં રહેતી ફાલ્ગુની દીપકભાઈ માલવીના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ બન્ને વચ્ચે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર…

Read More

માતર તાલુકાના સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ૨૦૦ લોકોને ફૂડ પોઈઝનિંગ(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ અને મીઠાઈ ખાધા બાદ અંદાજે ૨૦૦ જેટલા લોકોને ઝાડા-ઉલટીની અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામમાં ગત સાંજે એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ભોજન લીધાના ગણતરીના કલાકોમાં જ મહેમાનો અને ગ્રામજનોને શારીરિક અસ્વસ્થતા અનુભવાઈ હતી. ૧૫૦ થી ૨૦૦ જેટલા લોકોને એકાએક ઉલટી અને ઝાડાની ફરિયાદ થતા ગામના ખાનગી ક્લિનિકો અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા હતા.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભોજનમાં પીરસવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ ગ્રામપંચાયતના સત્તાધીશોએ નગરજનોને કચરો ડંપીગ સાઈડ પર નાખવા માટેની જાહેરાત કરતા નગરમાં કેટલાક ખાટકીઓ દ્રારા ડંપીગ સાઈડ પર કચરો નાંખવાને બદલે ભાથીજી મંદિર તેમજ ભુતમામાની ડેરી વચ્ચે કતલખાનાનો કચરો નાંખી જતા સ્થાનિક રહીશોમાં રોષની સાથે ધાર્મિક લાગણી દુભાતા કચરો ઠાલવી જતા ખાટકીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યા હતા.નેત્રંગ ગ્રામપંચાયત હદ વિસ્તારમાં તેમજ ગામની ચારે તરફના પ્રવેશદ્વાર પાસે દુકાધારકો,લારી ગલ્લા,ખાણી પીણીની લારીઓવાળા,હોટલ તેમજ રેસ્ટોરન્ટ વાળા અને નગરમાં ગેરકાયદેસર કતલખાના ચલાવતા ઈસમો થકી સાંજ પડે ને દિવસભરનો કચરો ગમેતેમ રોડ સાઇડ પર નાંખવામાં આવતો હોયતેવા સંજોગોમાં નેત્રંગના ઈન્ચાર્જ ટીડીઓ યોગેશ પવાર થકી કચરો રોડ સાઈડ…

Read More

(માહિતી)રાજપીપલા, મહિલા અને બાળ વિકાસ વિભાગ નર્મદા દ્વારા ગરૂડેશ્વર ખાતે નારી સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના સભ્ય સંગીતાબેન તડવી, તાલુકા પંચાયતના સભ્ય હંસાબેન, મહિલા અગેરણી શીતલબેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં મહિલાઓને નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી, શિક્ષણનું મહત્વ, ગૃહ ઉદ્યોગ અને આત્મનિર્ભરતા વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને સ્વાવલંબન તરફ આગળ વધવા માટે પ્રેરણા પુરી પાડી હતી.કાર્યક્રમ દરમિયાન નારી અદાલત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને આરોગ્ય અને પોષણ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સેજા અને આંગણવાડી કેન્દ્રોમાં ઉત્તમ કામગીરી કરનાર…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી જય ઝૂલેલાલ સોસાયટીના મઠ ખાતે પ્રેમ, જવાબદારી અને સ્વીકારનો અદભૂત પ્રસંગ સર્જાયો હતો. કિન્નર સમાજ દ્વારા દત્તક લેવામાં આવેલી પાયલ રણવીરસિંહના લગ્ન ધામધૂમથી યોજાતા સમગ્ર વિસ્તાર હર્ષોલ્લાસ અને ભાવુકતાથી ઝગમગી ઉઠ્‌યો હતો.અંદાજે દોઢ વર્ષ પૂર્વે રિંકુ દે અને સંગીતા દે નામના કિન્નરોએ પાયલને દત્તક લીધી હતી. દત્તક લીધા બાદથી પાયલનું પાલનપોષણ, શિક્ષણ અને સંસ્કારોથી ભરપૂર ઉછેરની સંપૂર્ણ જવાબદારી કિન્નર સમાજે નિભાવેલી. માતૃત્વ અને સંરક્ષણનો અર્થ રક્તસબંધોથી જ ન માપાય, તેવું જીવંત ઉદાહરણ આ પ્રસંગે સૌએ જોયું.તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ આણંદ ખાતેથી જાન ગોધરા આવી પહોંચી હતી. પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર મંડપ મહોરાયો, શુભ વેળાએ…

Read More

મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્‌યાંઅમદાવાદ, સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં વિવિધ શિવાયલો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્‌યા હતા. વહેલી જ સવારથી ભક્તોની મંદિરમાં લાંબી લાઈનો લાગી હતી. બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વહેલી સવારથી જ શિવભક્તોનું કીડીયારું ઉભરાયું હતું.‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી જયઘોષ સાથે સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની ગઈ હતી. ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના દ્વાર સળંગ ૪૨ કલાક સુધી ભક્તો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.અદભૂત શણગાર કરવામાં આવ્યો…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચનરાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારત દેશના નાગરિકોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો પ્રત્યે ગૌરવની ભાવના હોવી જરૂરી છે. તેમણે વિદેશ પ્રવાસ દરમિયાન માતૃભાષામાં વ્યક્ત થયેલા ગૌરવના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પોતાની ભાષા અને સંસ્કૃતિ જ રાષ્ટ્રીય ઓળખનું મૂળ છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપ્રથમ’ની વિચારધારા માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ જીવન…

Read More

જમાઈ ઈબ્રાહીમે પોતાની પાસે રહેલી છરીના કાઢી સસરા અઝીઝભાઈ પર આડેધડ ઘા મારવા લાગ્યો હતોઅમદાવાદ, સરખેજ, મણિનગર, વટવા બાદ હવે નારોલમાં પણ હત્યાનો બનાવ સામે શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વખતે એક યુવકે તેના ભાઈ સાથે મળીને પોતાના સસરાની હત્યા નિપજાવી છે. માતાની સારવાર અને ભાભીની ડિલિવરી માટે પિયરમાં આવેલ પત્નીને પરત સાસરીમાં લઈ જવા માટે આવતા આ યુવકને(જમાઈને) તેના સસરા સાથે બોલાચાલી થયા બાદ આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘરના મોભીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં ત્રણ-ત્રણ હત્યા બાદ ગઈકાલે રાત્રે નારોલ વિસ્તામાં બાગે કૌસર કેનાલ રોડ પર આવેલ ચિÂસ્તયા…

Read More