અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી શિક્ષણથી રાષ્ટ્રનિર્માણના મંત્રને સાર્થક કરી રહી છે : મુખ્યમંત્રી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ અંતર્ગત નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવન તથા સ્માર્ટ શાળાઓના લોકાર્પણ અને શ્રેષ્ઠ શાળાઓ તથા શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્કૂલ બોર્ડના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાયેલા ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરંગપુરા ખાતે…
Author: gujarat
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીના ચેરમેન પદે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ અને કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય સુરેશ કોટકને ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, ઉદય કોટક હવે ડૉ. હસમુખ અઢિયાનું સ્થાન લેશે.ઉલ્લેખનીય છે કે ડૉ. હસમુખ અઢિયા જૂન ૨૦૨૩થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. ઉદય કોટકની આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તેઓ આગામી આદેશ સુધી આ પદ પર કાર્યરત રહેશે. આ નિમણૂકના નિયમો અને શરતો સરકાર…
NH56 રાજસ્થાનના નિમ્બાહેરાથી શરૂ થાય છે અને દાહોદ જિલ્લામાંથી પસાર થઈને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં જાય છે. ત્યારબાદ તે છોટા ઉદેપુર જિલ્લા નજીકથી ફરી ગુજરાતમાં પ્રવેશે છે અને વાપી પાસે NH48 ના જંક્શન પર સમાપ્ત થાય છે.અમદાવાદ, ગુજરાતમાં રોડ કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે શનિવારે નેશનલ હાઈવે-56 ના બે સેક્શનને રૂ. 4,583.64 કરોડના ખર્ચે 4-લેન બનાવવાની મંજૂરી આપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં રાજ્યમાં ધમાસિયા-બિટડા/મોવી (47.46 કિમી) અને નાસરપોર-માલોથા (60.21 કિમી) એમ કુલ 107.67 કિમી લંબાઈના રસ્તાને 4-લેન બનાવવાનો સમાવેશ થાય છે.પ્રોજેક્ટની વિગતો: નેશનલ હાઈવે-56 રાજસ્થાનના નિમ્બાહેરાથી શરૂ થાય છે…
પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ–આદીપુર વચ્ચે 8.96 કિમી લાંબા ખંડ પર ચૌહરિકરણ (Quadrupling) તથા અત્યાધુનિક સિગ્નલિંગ પ્રણાલીનું કામ સફળતાપૂર્વક કમિશન કર્યું છે. આ કામ હેઠળ ગાંધીધામ બી બ્લોક કેબિન અને આદીપુર જંક્શન સહિત ત્રણ ઇન્ટરલોક્ડ લેવલ ક્રોસિંગ ગેટ (એલસી નં. 3, 3X અને 4) ને આઈબીએસ (Intermediate Block Signalling) સાથે જોડવામાં આવ્યા છે.મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે વરિષ્ઠ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી આ કામની દેખરેખ રાખી. આ ચોથી લાઇનિંગ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ તબક્કો હતો, જેમાં નવી લાઇનો, સિગ્નલિંગ અને પોઇન્ટ્સને સુરક્ષિત રીતે હાલની પ્રણાલી સાથે એકીકૃત કરવામાં આવ્યા.આ દરમિયાન જરૂરી તકનીકી સુધારાઓ અને પરીક્ષણો દ્વારા નવી રચનાના સુરક્ષિત…
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અમદાવાદ સંયુક્ત ખેતી નિયામક કચેરી દ્વારા ધોળકામાં ખેડૂતોને અપાયું પાયાનું માર્ગદર્શનધોળકામાં પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે ઓર્ગેનિક પાકોનું અવલોકન અને વિસ્તૃત ચર્ચાઅમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને મજબૂત બનાવવાના હેતુથી ઉચ્ચ કૃષિ અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ વિભાગના માનનીય સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ડૉ. મીનાબહેન ત્રિવેદી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ. આઇ. પટેલ સહિતના અધિકારીઓએ ફાર્મ પર થઈ રહેલી ખેતી પદ્ધતિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીશ્રીઓએ ખેતરમાં લહેરાતા પ્રાકૃતિક ઘઉં, હળદર, ડુંગળી, લસણ, વરિયાળી અને એરંડાના પાકોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પાકની…
અમદાવાદ, મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આયોજિત ભવનાથ મહાદેવના મેળામાં સહભાગી થવાનું સૌભાગ્ય ભાજપના જગદીશભાઈ વિશ્વકર્માને પ્રાપ્ત થયું.તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢના ખૂણે ખૂણે ગુંજતો હર હર મહાદેવનો નાદ અને સાધુ-સંતોની દિવ્ય ઉપસ્થિતિથી અહીંનું વાતાવરણ ખરેખર અલૌકિક ઊર્જાથી સભર છે. આ પાવન અવસરે વિવિધ અખાડાના સંતો-મહંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.તેમજ, શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નક્ષેત્રની મુલાકાત લઈ, સ્વયંસેવકો સાથે સેવામાં સહભાગી થઈ ભક્તોની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’ના મણિપુરના પ્રતિનિધિઓ સાથે આત્મીય સંવાદ કર્યોભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશની સૌથી મોટી શક્તિ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અસમ રાઈફલ્સ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત આયોજિત‘રાષ્ટ્રીય એકતા યાત્રા‘હેઠળ મણિપુરથી આવેલા નાગરિક સમાજ સંગઠનો (CSOs)અને યુવાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રીય એકતા,સાંસ્કૃતિક સમન્વય અને ઉત્તર-પૂર્વ તથા પશ્ચિમ ભારત વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.રાજ્યપાલશ્રીએ મણિપુરના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે,મણિપુરનું નૈસર્ગિક સૌદર્ય અને તેની સંસ્કૃતિ જ્યારે ગુજરાતની ઉદ્યમશીલતા સાથે મળે છે,ત્યારે ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’ના દર્શન થાય છે. તેમણે કહ્યું કે,આ માત્ર એક પ્રવાસ…
કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વે શહેરની મોબિલિટીને મજબૂત બનાવવાની AMCની પહેલઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા રિવરફ્રન્ટ હાઉસનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સ્તરે અમદાવાદની ઓળખ મજબૂત બનાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આ પરિપ્રેક્ષ્યમાં એએમસી દ્વારા ‘AmdavadNXT’નું આયોજન કરવામાં આવ્યું છે, શહેર તેની દીર્ઘકાલીન વિકાસની જર્ની તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે એએમસી…
આ યોજના હેઠળ ૭૦થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખનું પ્રોત્સાહક ઇનામઅમદાવાદ, રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત,નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી ૨૫૮ ગ્રામ પંચાયતને એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રૂ. ૫.૧૬ કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે તેમ,પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.પાણી પુરવઠા…
