(એજન્સી)અમદાવાદ, શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે તાજેતરમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફ્રોડની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ વખતે સાયબર ઠગોએ દેશની રક્ષા કરતા ભારતીય સેનાના એક જવાનને પોતાનો શિકાર બનાવ્યો છે.જવાનનો મોબાઈલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સોએ તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.૭૫,૦૦૦ની રકમ સેરવી લીધી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. લલિતકુમાર જીવનસિંહ પ્રજાપતિ (ઉં.વ. ૩૨), જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ અમદાવાદમાં હનુમાન કેમ્પ ખાતે ભારતીય સેનામાં ‘નાયક’ તરીકે ફરજ બજાવે છે, તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે.લલિતકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનું…
Author: gujarat
યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીકેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા,કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામમાં કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહાસિવરાત્રીના પાવન પ્રસંગે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો.આ તકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામલોકોએ ૧૨ જયોર્તિલિંગના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. ૧૨ જયોર્તિલિંગના દર્શન કરવાનો લ્હાવો ગામમાં જ મળી રહે છે.નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને…
ગાંધીનગર, રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર,જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને કમિશનર શાળાઓની કચેરી,ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે,આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર,સુપ્રીમ કોર્ટના તા. ૦૭/૧૧/૨૦૨૫નાSuo Moto Writ Petition (CIVIL) No:5/2025 આદેશ મુજબ,તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.જેથી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ,ગાંધીનગરના તા. ૦૩/૦૨/૨૦૨૬ના પત્રથી સુપ્રિમ કોર્ટના આદેશોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાના હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્પિટલો,બસ સ્ટેશન અને અન્ય જાહેર કચેરીઓના કેમ્પસમાં રખડતા શ્વાનોનો સર્વે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના આયોજન અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈGandhinagar, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં…
મહાશિવરાત્રી મેળામાં આવતા યાત્રિકોના પરિવહનને વધુ સરળ બનાવવા જરૂર પડે તો વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે.મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા,સુરક્ષા સહિત મેળાની તમામ વિગતો માટે ખાસ‘પિંક બૂથ‘ઊભા કરાયા –મેળામાં જવા માટે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે ઓટો રિક્ષા અને ખાસ વ્હીલચેરની વ્યવસ્થામહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા‘મીની કુંભ‘મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે.મેળા દરમિયાન જૂનાગઢ,પોરબંદર અને…
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ૧૬મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી બપોરે ૧૨ વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવશે. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદી નામ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.પૂર્ણેશ મોદી અગાઉ કેબિનેટ મંત્રી તરીકે માર્ગ-મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્્યા છે. વિધાનસભાની કાર્યવાહી અને નિયમો પર…
ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા-કારીગરોને આપ્યો ગૌરવમય મંચ-ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસોબજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ –પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશેગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન,પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી,કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધનભારતના વૈજ્ઞાનિકોને આધુનિક યુગના યોગી સમાન ગણાવતા રાજ્યપાલશ્રીઅમદાવાદ કેન્દ્રના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રવેશ દ્વારનું રાજ્યપાલશ્રીના હસ્તે ઉદ્દઘાટનરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ2026કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપ,અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપ,ઈનોવેશન,ડેટા સર્વિસ,ઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ…
શ્વાસનળી અને ધોરી નસ વચ્ચેથી રસ્તો કાઢી તબીબોએ દર્દીને નવજીવન આપ્યુંગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાના ગળામાંથી ૪૦૦ ગ્રામ થાઈરોડની ગાંઠનુ સફળ ઓપરેશન કરી ઈએનટી વિભાગે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્વાસનળી અને ધોરી નસ વચ્ચેથી રસ્તો કાઢી તબીબોએ નવજીવન આપતા દર્દીના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી હતી.આશરે ૧પ દિવસ પહેલા ૬૦ વર્ષના મહિલા દર્દી ગળામાં મોટી ગાંઠની ફરિયાદ સાથે સિવિલની ઈએનટી ઓપીડીમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ સીટી સ્કેન અને એફએનએસી જેવા રિપોટર્સ કરાવતા જણાયુ હતું કે, આ ગાંઠ થાઈરોઈડ ગ્રંથિની હતી અને તેમાં કેન્સર હોવાની પણ શક્યતા હતી.ગાંઠનું કદ આશરે ૧ર૮૯ સેમી હતું અને વજન અંદાજે ૪૦૦ ગ્રામ હતું. ગાંઠ…
(એજન્સી)ગાંધીનગર, આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલાં જ ભડકો થયો છે. પક્ષના વર્તમાન અને પુર્વ નેતાએ એકબીજા ઉપર ગંભીર આક્ષેપો કરી રહયા છે.આપમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ કહયું હતું કે મને જેલમાંથી બહાર લાવવાના બદલે ફસાવી દેવા આપતા બે પ્રદેશ નેતાઓને પ્રયાસ કર્યા હતા અને ત્યાં સુધી આપ આગળ નહી આવે. તો આપના ધારાસભ્ય ઈટાલીયાએ વળતો પ્રહાર કરતા કહયું હતું કે રાજુ કરપડા મારા પર આરોપો ન લગાવ્યા હોત તો એમની જેલની સજા પાકકી હતી.આપનો ખેડૂતોનો નેતા તરીકે ચહેરો ગણાતા કરપડાએ પાર્ટી છોડયા બાદ ઈટાલીયન અને પક્ષના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર પણ બેફામ આક્ષેપો કર્યા છે.…
