Author: gujarat

બાળકની કસ્ટડી માટેની પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ કરતો હાઇકોર્ટનો ચુકાદોપિતાએ પોતાની અરજીમાં ફક્ત એવો દાવો કર્યાે છે કે ૨૦૨૨માં તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છેઅમદાવાદ , પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતાં વિવાદોમાં બાળકની પરિસ્થિતિ સૌથી દયનીય હોય છે. આવા કિસ્સામાં કસ્ટડીના કેસો સૌથી વધુ દુઃખ આપનારા બની જતા હોય છે. બાળકની કસ્ટડીના એક કાનૂની જંગમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા પિતાની બાળકની કસ્ટડી માટેની અરજી ફગાવી કાઢતા એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે જૈવિક માતા જોડે બાળકની કસ્ટડીને ગેરકાયદેસર કે જોખમી કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે બાળકની કસ્ટડી માટેના કાયદા હેઠળની અરજીના બદલે પિતા તરફ હેબિયસ કોર્પસ અરજી કરવામાં…

Read More

૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’: સિવિલના તબીબોએ દુરબીનથી રમકડું બહાર કાઢી જીવ બચાવ્યોનિર્ણાયક શક્તિ અને તબીબી કૌશલ્યનો વિજય: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી દ્વારા બાળકને મળ્યું નવજીવનમાતા–પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા–રમતા આખું રમકડું ગળી ગયેલા બાળક માટે તબીબો દેવદૂત બન્યા“જો વધુ મોડું થાત તો રમકડું જઠરમાંથી આગળ જઈ આંતરડામાં પણ ફસાઈ શકત અને તેવા કિસ્સામાં આંતરડું બ્લોક થવાનો તેમજ આંતરડું ફાટવાનો પણ ભય રહેલ હતો.” – ડૉ. રાકેશ જોશી (વડા, પીડિયાટ્રિક સર્જરી વિભાગ, સિવિલ હોસ્પિટલ)અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. ૧.૫ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા–રમતા આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું…

Read More

વિશ્વ કેન્સર દિવસ: 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવારવર્ષ2025માં2.59લાખથી વધુOPDવિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને50,130થી વધુ કીમોથેરાપીઓGCRIમાં સંપન્ન થઈફક્ત 6મહિનાઓમાંGCRIમાં50રોબોટિક સર્જરીઓ,ગત3વર્ષોમાં40અત્યાધુનિકHIPECપ્રોસીજરો થઈØ2021-2025દરમિયાન અત્યાધુનિકPET-CTસ્કેન પણ1813થી વધીને6333થયાØઓક્ટોબર2021થી શરૂ થયેલ‘નો–કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગOPD’માં અત્યારસુધીમાં50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118કેન્સરના મામલાઓની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ થઈઅમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)એ ફરી એકવાર સાબિત કર્યું છે કે,તે ફક્ત ગુજરાત જ નહીં,પરંતુ સમગ્ર દેશ માટે કેન્સરની સારવાર,સંશોધન,અટકાયત અને પ્રારંભિક ઓળખ માટેનું મુખ્ય રાષ્ટ્રીય કેન્દ્ર બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે,ગુજરાતના આરોગ્ય માળખાને સુદૃઢ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએGCRIના મજબૂતીકરણ અને વિસ્તરણનો પાયો નાખ્યો હતો. તે જ દિશામાં આગળ વધતાં,આજે મુખ્યમંત્રી શ્રી…

Read More

સેલ્ફી લેવાના ચક્કરમાં ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન રાજકોટ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા રાજકોટ,રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા માલધારી ફાટક નજીક સોમવાર બપોરે હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના પ્રયાસમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૃતકો પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે જેમાં ટ્રેક પર સેલ્ફી લેતા હોય તેવા…

Read More

લોકોને હોટલમાં ખસેડ્યાસિસ્મોગ્રાફ મશીન મૂકી મોનિટરિંગ કરવાની ફરજ પડી, ૩ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યાસુરત,સુરતમાં ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા માટે હોવાથી ટીબીએમની કામગીરીથી ચાર મકાનના પાયા હચમચી ગયા હતા. સલામતીના કારણોસર બિલ્ડિંગમાં તમામ ફ્લેટ ખાલી કરાવાયા અને બિલ્ડિંગો નીચે ટેકા મૂકી સિમેન્ટથી ગ્રાઉટિંગ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં દેશ વિદેશના નિષ્ણાતો પાસે અવલોકન કરાવીને સિસ્મોગ્રાફ મશીન મૂકી વાઇબ્રેશનની તપાસ કરાવાઇ રહી છે.ચોકબજારમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBM વાઇબ્રેશનથી રહેણાંક ૪ બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં ૩ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને…

Read More

એક ભાઈ બીજાને બચાવવા જતાં તેમને પણ કરંટ લાગ્યોખેતરમાં કામ દરમિયાન અચાનક એક ભાઈનો હાથ આ હાઈ-વોલ્ટેજ તારને અડકી ગયો હતો. કરંટ એટલો તીવ્ર હતો કે તે ભાઈ ત્યાં જ તરફડવા લાગ્યા હતાડીસા, ભીલડી,ડીસા તાલુકાના તાલેગંજ ગામે ખેતરના પાકના રક્ષણ માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝટકા મશીને રક્ષકને બદલે ભક્ષકનું રૂપ ધારણ કરતા રબારી સમાજના બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. એક ભાઈને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા બીજા ભાઈને પણ વીજળીનો જોરદાર ઝટકો લાગતાં બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.ડીસાના તાલેગંજ ગામના કાનાભાઈ ધૂડાભાઈ પાનકુટા અને મોહનભાઈ ધૂડાભાઈ પાનકુટા નામના બે ભાઈઓ સોમવારે સવારે પોતાના ખેતરમાં કામ…

Read More

મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ એસીબીએ છટકું ગોઠવ્યુંવડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા ૨ લાખની લાંચ લેતો ઝડપ્યાજૂનાગઢ,ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે.મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે…

Read More

ત્રણ ફાયર ફાઈટરની ટીમે શટર તોડી કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યોપ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છેરાજકોટ,રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં આવેલા યસ બેંકના બ્રાંચમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ૨ ફેબ્›આરીની રાત્રે અંદાજે ૧૧.૩૫ વાગ્યાના સમયગાળામાં બેંકના જિલ્લા પંચાયત ચોક સ્થિત બિલ્ડિંગના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગતા જ થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બેંકની અંદર ભારે ગરમી વધતા…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની લાઈનના સમારકામને લઈને પાણીનો પુરવઠો ખોરવાઈ જતા અનેક નાગરિકોને પાણી વિના રહેવાનો વારો આવ્યો છે.આ સ્થિતિમાં દરિયાપુરમાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલ એક માત્ર ફૂટી મસ્જિદના ટ્રસ્ટીઓ અને સામાજિક કાર્યકરોએ લોકો પાણી વીના રહે નહીં તે માટે મસ્જિદનો બોર ત્રણ કલાક સુધી ચાલુ રાખી વિસ્તારના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડી માનવતાનો દાખલો બેસાડયો છે. આ અંગે વાત કરતા સ્થાનિક સામાજિક કાર્યકર અઝીઝભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પીવાના પાણીનો પુરવઠો અટવાયો છે.આ સ્થિતિમાં ફૂટી મસ્જિદની આસપાસ વસતા હિન્દુ ભાઈ-બહેનોને પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી…

Read More

શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે બ્રહ્મલીન – અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી(પ્રતિનિધિ)નડિયાદ, જન સેવા એ જ પ્રભુ સેવા માં માનનાર વિશ્વપ્રસિદ્ધ, શ્રી સંતરામ સમાધિસ્થાન, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે. બ્રહ્મલીન – અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવ , ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.૧૮૮૭ માં પ્રાતઃ સ્મરણિય અવધૂત બ્રહ્મલીન શ્રી સંતરામ મહારાજે સંધ્યા કાળે જીવિત સમાધિ લીધી. તે વખતે તૈયાર રખાયેલા બે કોડીયા આપોઆપ પ્રજ્વલીત થયા. અને આ દ્રશ્ય જોઈ આકાશમાંથી , દેવોએ પુષ્પ વર્ષા કરી હતી.તે પરંપરા મુજબ આજે ૧૯૫ માં સમાધિ મહોત્સવ નિમિત્તે , પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે સંધ્યાકાળે વર્ષ દરમિયાન થતી…

Read More