કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન સારવાર બાદ યુવક સંપૂર્ણ સ્વસ્થ(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના ર૬ વર્ષીય યુવક ક્રિમીનલ-કોગો હેમરેજીગક ફીવર સીસીએચએફ નામના જીવલેણ બની શકે એવા વાયરજન્ય રોગમાંથી કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન અને તાત્કાલીક સારવારથી સ્વસ્થ થયો છે.ગાંધીનગરમાં રવી પટેલ નામ બદલ્યું છે કેને તીવ્ર તાવ, અતીશય નબળાઈ મુંઝવણ અને ઝડપથી બગડતી તબીયત સાથે કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આવા લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરસજન્ય તાવ જેવા લાગે છે. પરંતુ ડોકટરોને પ્લેટલેટસમાં ઝડપી ઘટાડો લીવરકાર્યમાં અસમાન્યતા અને લોહી જામવાની પ્રક્રિયામાં ખલેલ જેવા ગંભીર સંકેતો દેખાતા સીસીએચએફઅંગે શંકા ઉભી થઈ હતી.ક્રિમીનલ-કોગો હેમરીજીક લીવર એક દુર્લભ વાયરજન્ય રોગ છે. જેમાં મૃત્યુદર ખુબ ઉંચો હોય છે. સમયસર ઓળખ…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં માનવતા અને કોમી એકતાની હૃદયસ્પર્શી મિસાલ સામે આવી છે. મુસ્લીમ બહુમતીવાળા આ મહોલ્લામાં છેલ્લા ૪પ વર્ષથી હળીમળી ને રહેતા એકમાત્ર હિન્દુ પરીવારના વયોવૃદધ સભ્ય ૭૦ વર્ષીય રાજારામ શાહનું નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો.મુળ બિહારના વતની અને કર્મભુમી અમદાવાદ બનાવનાર રાજારામ શાહ કડીયા કામના કુશળ કારીગર હતા છેલ્લા કેટલાંક સમયથી શરીર સાથ ન આપતા તેઓ ગંભીર બીમારીમાં સપડાયા હતા.તેમની સાથે તેમની ૬પ વર્ષીય ધર્મપત્ની પણ આ જ મહોલ્લામાં રહેતા હતા. નિધન બાદ તેમના કોઈ નજીક સગા સંબંધીઓ હાજર ન હોઈ અંતિમવિધિ કેવી રીતે થશે તેની ચિંતા પત્નીને સતાવી રહી હતી. પરંતુ…
ગાંધીનગર, દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફટ સિટીમાં ૨૦ વર્ષ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી.કેન્દ્રીય બજેટની જાહેરાતો અનુસાર, GIFT સિટીમાં સ્થપાયેલા એકમો હવે ૨૦ વર્ષના ટેક્સ હોલિડે (કર મુક્તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના ૧૦ વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્સ બિલમાં જણાવ્યા મુજબ, આ ટેક્સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર ૧૫% ના રાહત દરે ટેક્સ લાગશે.કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરની સ્પર્ધાત્મકતા વધારવા માટે, સેક્શન ૧૪૭ હેઠળ કપાતનો સમયગાળો વધારીને ૨૫ વર્ષમાંથી…
અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય બનાવી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને સાયબર છેતરપિંડી સામે મેગા ઓપરેશન હાથ ધર્યું છે.આ ઓપરેશન અંતર્ગત, ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ રેકેટ ચલાવવા અને જનતાને છેતરવા બદલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ, ફેસબુક પેજ અને વિવિધ વેબસાઇટ્સ સહિત ૧૨૦ ઓનલાઇન એકમો (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલ્ડર્સ) સામે ઔપચારિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સુંવાળા સાથની લાલચ આપી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા પણ પડાવવામાં આવ્યા છે, આ બેન્ક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે.શહેરમાં ચાલતી આ ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. આગામી દિવસોમાં આ…
અમદાવાદ, નરોડા રોડ નજીક આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય ધીરુભાઈ પટેલ પોતાના એક દીકરા અને બે દીકરીઓ સાથે વસવાટ કરે છે. ધીરુભાઈનો દીકરો ભાવેશ ભાડેથી વાહન ચલાવી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતો હતો.સોસાયટીમાં રહેતા કમિટી સભ્યો સંજય બાલધા અને ગિરીશ બાલધા બંને ભાઈ પાણીની લાઈનના મેન્ટેનેન્સની રકમ વસૂલવાની જવાબદારી સંભાળતા હતા.છેલ્લા છ મહિનાથી ધીરુભાઈના મકાનનું પાણીની લાઈનનું બિલ બાકી હોવાથી કમિટીના બંને સભ્યો વારંવાર તેમના ઘરે આવી કડક રીતે ઉઘરાણી કરતા હતા.વૃદ્ધ ધીરુભાઈ અને તેમના દીકરા ભાવેશે થોડા દિવસોમાં રકમની વ્યવસ્થા કરીને ચૂકવી દેવાની વાત કરી હોવા છતાં, સંજય અને ગિરીશ અપમાનજનક ટિપ્પણીઓ કરતા હોવાનો આરોપ છે.ફરિયાદ મુજબ, તેમણે…
અમદાવાદ, શહેરભરમાંથી એકત્ર કરાતાં હજારો ટન ઘનકચરામાંથી વીજળી ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં અત્યાર સુધીમાં ત્રણેક લાખ ટન કચરાનાં ઉપયોગ કરીને ૧૨૩૪ લાખ યુનિટ વીજળી ઉત્પાદન કરવામાં આવી છે.મ્યુનિ.સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ વેસ્ટ ટૂ એનર્જી પ્રોજેક્ટની સફળતાની વિગતો આપતાં કહ્યું કે, ભાજપનાં શાસનમાં પીરાણા ડમ્પ સાઇટ ખાતે ડુંગર બની ગયેલાં ઘનકચરાનાં નિકાલને અગ્રતા આપવામાં આવી છે અને કચરાને રિસાયકલ, રિયુઝ અને રિડ્યુસ સૂત્ર થકી પર્યાવરણની જાળવણી કરવાની સાથે શહેરને કચરા મુક્ત બનાવવામાં સફળતા મળી છે.તેમાંય ખાસ કરીને કચરાનો ઉપયોગ કરીને વીજ ઉત્પાદન કરવાનાં પ્રોજેક્ટ થકી અનેક લાભ મેળવવામાં આવી રહ્યાં છે. ઓક્ટોબર ૨૦૨૪માં કાર્યરત થયેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ આગામી વર્ષાેમાં શહેરી…
અમદાવાદ, શહેરના ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી પરિવારજનો સાથે જનોઇ પ્રસંગમાં રાજકોટ ગયા હતા. આ દરમિયાન ઘરમાંથી સોના-ચાંદીના ૧૩.૦૩ લાખના દાગીનાની ચોરી થઈ હતી. વેપારીએ તપાસ કરતા ચોર ધાબા પરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ઘરમાં ઘૂસીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. ૨૨ જાન્યુઆરીએ સંકેતભાઇ પરિવારજનો સાથે રાજકોટ ખાતે મામાની દીકરીના દીકરાની જનોઈના પ્રસંગમાં ગયા હતા. જે બાદ ૨૫ જાન્યુઆરીએ તે સાંજે ઘરે આવ્યા હતા. ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા…
૧૩ દિવસ પહેલાં જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકગાંધીનગર, ગાંધીનગર નજીક સુઘડ ગામે રહેતા અને બિલ્ડરનો પુત્ર ઋષભ પટેલ રપ જાન્યુઆરીએ રહસ્યમય રીતે ગુમ થયો હતો. તે પછી તેની લાશ કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ૧૩ દિવસ પહેલા જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.ઋષભના નાના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે તા.રપમીએ ડભોડા પોલીસમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જાણવાજોગ મુજબ રપ જાન્યુઆરીના રોજ બપોરે ૧ર.૩૦ વાગ્યે ઋષભ કરાઈ ખાતે પોતાની કન્સ્ટ્રકશન સાઈટ પર જવા ઘરેથી નીકળ્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યે તેણે તેની કાર સર્વિસમાં આપી…
ગાંધીનગર, કલોલના છત્રાલ ખાતે ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા વેપારીને બોગસ પોલિસી આપી મુંબઈના બે એજન્ટ રૂ.૪.૯૬ લાખ પડાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. વાહનને અકસ્માત થવાથી વીમા કંપનીમાં કલેમ કર્યો ત્યારે સામે આવ્યું હતું કે પોલિસી બોગસ છે જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.છત્રાલમાં દિવ્યા ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવતા યશવંતરામ યાદવનો સંપર્ક વર્ષ ર૦૧૬માં મુંબઈના ભીવંડી ખાતે ઓફિસ ધરાવતા શ્રીકાંત શંકર ગાજેગી સાથે થયો હતો. શ્રીકાંતે પોતે આરટીઓ અને વીમાના કામકાજનો એકસપર્ટ હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષમાં શ્રીકાંત અને તેના સાથીદાર શ્રીધરે છેતરપિંડીનો કારસો રચ્યો હતો.આ બંને શખ્સોએ ટ્રાન્સપોર્ટરની પાંચ ગાડીના વીમા…
