VMC Commissioner Vadodara: ગુજરાતની રાજનીતિમાં મધ્ય ગુજરાતનું કેન્દ્ર ગણાતા વડોદરામાં બધું બરાબર નથી ચાલી રહ્યું. પાછલા દિવસોમાં જ્યારે પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો ત્યારે તેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) કમિશનર IAS અરુણ મહેશ બાબુનું નામ નહોતું. આ પત્રમાં ધારાસભ્યોએ વડોદરાના કલેક્ટર, ડીડીઓ, વડોદરા ગ્રામ્યના એસપી સહિત વડોદરા શહેરના પોલીસ કમિશનરનો ઉલ્લેખ કરીને કામ ન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. હવે આશ્ચર્યજનક રીતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને નિશાન બનાવવામાં આવ્યા છે. મહેશ બાબુને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઉટર વિસ્તાર (ભાયલી)માં એક રાવણ તરીકે દર્શાવતું વાંધાજનક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે ગંદુ પાણી એક તળાવમાં આવી…
Author: gujarat
અમદાવાદ, એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ કનૈયાલાલ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો કેસમાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે હાઇકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેથી કેસની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ.તે અંગ્રેજી ભાષા સિવાય અન્ય કોઈ ભાષામાં હોઈ શકે નહીં. આ કેસમાં અરજદારે એક પ્રમાણપત્રને પડકાર્યું હતું, જેમાં હાઇકોર્ટની સમિતિએ કોર્ટ સમક્ષ પક્ષકાર તરીકે તેના કેસની દલીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યાે હતો, કારણ કે તે અંગ્રેજી ભાષામાં અસમર્થ હતો.જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની બેંચે આ અરજી ફગાવી કાઢી હતી અને ઓગસ્ટ ૨૦૨૫ માં હાઈકોર્ટ સમિતિ દ્વારા જારી કરાયેલા…
Gujarat IAS Transfer 2026: ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરબદલમાં રાજ્યના ત્રણ સિનિયર IAS અધિકારીઓની બદલી કરી છે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી સંભાળતા શાલિની અગ્રવાલને સરકારે નવી જવાબદારી સોંપી છે. સરકારે તેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL), વડોદરાના MD બનાવ્યા છે. અત્યાર સુધી આ જવાબદારી IAS જેનુ દેવન પાસે વધારાના ચાર્જ તરીકે હતી. શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે, તેથી એક રીતે તેમની વડોદરા વાપસી થઈ છે. ૨૦૦૫ બેચના IAS શાલિની અગ્રવાલે બિહાર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.નાગરાજન બન્યા સુરતના કમિશનરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની…
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી ‘ગાઝા બોર્ડ ઓફ પીસ’ યોજનાને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને આ બોર્ડમાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ બોર્ડને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે તે માનવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડની સ્થાયી સદસ્યતા માટે એક બિલિયન ડૉલર (આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા)ની ફી પણ વિવાદના કેન્દ્રમાં છે. એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં આયોજિત કાર્યક્રમમાં આ બોર્ડ પર હસ્તાક્ષર કરાવવા માંગતા હતા.પરંતુ ફ્રાન્સના ઇનકારથી તેમની યોજના પર પાણી ફરી વળ્યું છે. આ નિર્ણયથી નારાજ થઈને ટ્રમ્પે ફ્રાન્સની…
Gujarat SIR News: ગુજરાતમાં મતદાર યાદીના પુનરીક્ષણને લઈને રાજનીતિ ગરમાતી જોવા મળી રહી છે. દિલ્હીના પૂર્વ અરવિંદ કેજરીવાલના પ્રવાસ બાદ બુધવારે આમ આદમી પાર્ટીએ SIR ની પ્રક્રિયામાં ગરબડના આરોપ લગાવ્યા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ હટાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક ઓડિયો પણ રાખવામાં આવ્યા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે SIR પ્રક્રિયામાં ભાજપે મોટું કાવતરું કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે 9 લાખથી વધુ નામ હટાવવાની ખોટી અરજીઓ આવી. ગઢવીએ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાંથી નામ હટાવીને લોકશાહી ખતમ કરવાની ભાજપની યોજના છે. તેમણે કહ્યું કે ઘરે-ઘરે વેરિફિકેશન બાદ…
અમદાવાદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે થયેલ હુકમ. નંબર/વિ.શા/ એ-સેક્શન/પરમીટ/પરીક્ષા/૦૫/૨૦૨૬ તા.૨૦/૦૧/૨૦૨૬ વંચાણે લીધા:- નિવાસી અધિક કલેકટરશ્રી, અમદાવાદ શહેરની કચેરીના પત્ર ક્રમાંક નં.એક્ઝામ સેલ/અન્ય પરીક્ષા/જાહેરનામું/વશી.૪૫/૨૦૨૬ તા.૧૩/૦૧/૨૦૨૬ આધારે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નવી દિલ્હી દ્વારા આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ થી ૨૪/૦૧/૨૦૨૬ અને તા.૨૮/૦૧/૨૦૨૬ તેમજ તા.૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન Joint Examination JEE (Main)2026ની પરીક્ષા અમદાવાદ શહેરના(૧) ગોલ્ડ કોસ્ટ ત્રીજે માળ વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા રોડ માધવ ફાર્મ એસ.પી. રીંગરોડ વસ્ત્રાલ અમદાવાદ (૨) શ્રી વિરેશ્વર ઈનફોટેક બીજો અને ત્રીજો માળ સિધ્ધિવિનાયક આર્કેડ બાર્સેલોના સર્કલ એસ.પી. રીંગરોડ ઓઢવ અમદાવાદ (૩) શ્રી વિરેશ્વર ઇનફોટેક ત્રીજો માળ સિધ્ધિવિનાયક આર્કેડ બાર્સેલોના સર્કલ ટી.જી.વી. હોટલ એસ.પી.રીંગરોડ ઓઢવ અમદાવાદ ખાતેના કેન્દ્રો ઉપર…
અમદાવાદ, શહેરના મેમનગર વિસ્તારમાં મહેસૂલ વિભાગની નવી સરકારી ચાવડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલના હસ્તે સરકારી ચાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અંદાજિત રૂ. 86 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ સરકારી ચાવડીથી અરજદારો તથા નાગરિકોને મહેસૂલ સંબંધિત સેવાઓ વધુ સુલભ બનશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા આ ચાવડીનું નિર્માણ થનાર છે. આ કાર્યક્રમમાં બોડકદેવ વોર્ડના કોર્પોરેટરો શ્રીમતી દિપ્તીબેન અમરકોટિયા, શ્રીમતી વાસંતીબેન પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ, એએમટીએસ ચેરમેન શ્રી ધરમશી દેસાઈ, અમદાવાદ પશ્ચિમના એસડીએમ શ્રી હિતેશ જનકાત, ઘાટલોડિયા મામલતદાર શ્રી નીતેશ પંડ્યા સહિત અધિકારીઓ…
Gujarat Politics News: મહારાષ્ટ્ર બાદ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થશે. આ ચૂંટણીઓને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાના સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. વડોદરાની વાત કરીએ તો આ શહેર દાયકાઓથી ભાજપનો અભેદ ગઢ રહ્યું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જ્યારે નરેન્દ્ર મોદી પીએમ ઉમેદવાર હતા, ત્યારે તેઓ વારાણસી સાથે વડોદરાથી પણ લડ્યા હતા અને રેકોર્ડ ૮,૪૫,૪૬૪ (૭૨.૭૫%) મતોથી જીત્યા હતા. ત્યારબાદ પેટાચૂંટણી અને ૨૦૧૯ તથા ૨૦૨૪માં પણ ભાજપને ૭૦% થી વધુ મત મળતા રહ્યા છે. હવે વડોદરાની આ જ મ્યુનિસિપલ ચૂંટણીમાં ‘જોષી’ સરનેમ ધરાવતા ત્રણ બ્રાહ્મણ નેતાઓની અગ્નિપરીક્ષા થશે.આમાં પહેલું નામ વડોદરાના સાંસદ હેમાંગ જોષીનું છે, જેઓ તાજેતરમાં…
કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડતા નિવૃત IASની પુત્રીનું કરુણ મોત(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં રહેતા નિવૃત અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્્યુરિટી ગાર્ડના બીગલ બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું.ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે બાદ ઘટનાના ચાર મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો હતો. ૧૫-૧૭ દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં શાળા અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આજથી ચાર મહિના પહેલાની વાત છે, જ્યારે શાળા સાથે જોડાયેલી મહિલા સિક્્યુરિટી ગાર્ડના સ્ટાફ પાસે રહેલા બીગલ બ્રીડના…
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2026માં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટનગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે, અમે ગુજરાત માટે નવી તકો શોધવા અહીં આવ્યા છીએ: શ્રી હર્ષ સંઘવીસ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે.ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું…
