કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડતા નિવૃત IASની પુત્રીનું કરુણ મોત(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં રહેતા નિવૃત અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્્યુરિટી ગાર્ડના બીગલ બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું.ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે બાદ ઘટનાના ચાર મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો હતો. ૧૫-૧૭ દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં શાળા અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આજથી ચાર મહિના પહેલાની વાત છે, જ્યારે શાળા સાથે જોડાયેલી મહિલા સિક્્યુરિટી ગાર્ડના સ્ટાફ પાસે રહેલા બીગલ બ્રીડના…
Author: gujarat
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2026માં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટનગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે, અમે ગુજરાત માટે નવી તકો શોધવા અહીં આવ્યા છીએ: શ્રી હર્ષ સંઘવીસ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે.ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું…
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કન્વીનરોની હાજરીમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.રાજકોટ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખોડલધામ એ સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં બહોળું વર્ચસ્વ ધરાવતી એક મહત્વની સંસ્થા છે. Anar Patel Appointed President of Khodaldham Organisationરાજકોટના ખોડલધામ ખાતે બુધવારે યોજાયેલા ‘ખોડલધામ કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કન્વીનરોની હાજરીમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.આ નિમણૂક સાથે, અનાર પટેલ ખોડલધામની સમગ્ર સંગઠનાત્મક કામગીરીની દેખરેખ રાખશે…
(ટીમનાં કેપ્ટન ભાવેશ પટેલ તથા કોચ કિરીટભાઈ પટેલની મહેનત રંગ લાવી)જામનગર, 33 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ જામનગર ખાતે યોજવામાં આવી હતી. જે ટુર્નામેન્ટમાં સુરત જિલ્લા પંચાયતની ટીમ ભાવેશ પટેલની કેપ્ટનશીપમાં ચેમ્પિયન થવા પામી હતી.સદર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમ અને આણંદ જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં ટોસ જીતીને આણંદની ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી. સુરત જિલ્લા પંચાયતની ટીમે ભાવેશ પટેલની સૂઝબૂઝભરી કેપ્ટનશીપનાં પ્રભાવથી ચુસ્ત બોલિંગ તથા ફિલ્ડિંગનું પ્રદર્શન કરી આણંદ જિલ્લા પંચાયતની ટીમને 20 ઓવરમાં 120 રનનાં સ્કોર પર સીમિત કરી હતી. આખરે દિલધડક રન ચેસમાં જિલ્લા પંચાયત…
આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના શાહપુર ગામ નજીક શાહપુર રોડ પર સોમવારે સાંજના અરસામાં એકટીવા અને બાઈક સામસામે અથડાતા બંને વાહનોના ચાલકને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યા હતા. જ્યારે એકટીવાની પાછળ બેઠેલા ગોરેલ ગામના યુવકને પણ ગંભીર ઈજા થયાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.પેટલાદ તાલુકાના શાહપુર ગામે રામદેવ ચોક વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ મણીભાઈ પટેલ પોતાનું બજાજ એવીએન્જર બાઈક લઈને કોઈક કામ અર્થે પેટલાદ શહેરમાં ગયા હતા અને પેટલાદનું કામ પતાવીને પરત શાહપુર ગામે જવા નીકળ્યા હતા.સોમવારે સાંજના અરસામાં શાહપુર જવાના રોડ પર આવેલ નિર્મેશભાઈ પટેલની ખરી નજીકથી પસાર થતા હતા. આ વખતે સામેથી પુરઝડપે આવી ચઢેલ એકટીવાના ચાલક બાઇકને…
અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં પોલીસનો કોઇ ડરના હોય તે લૂખ્ખા તત્વો ઘાતક હુમલા કરી રહ્યા છે. મેઘાણીનગરમાં ધાક જમાવવા માટે અમો અહિના દાદા છીએ કહી બે નિર્દાેષ યુવકોને ચાકુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મેઘાણીનગર પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભાર્ગવ ત્રણ રસ્તા પાસે પાન પાર્લર ઉપર ઉભેલા યુવકો સાથે કોઇ કારણ વગર તકરાર કરી ગાળો બોલી હુમલો કરતાં બન્ને યુવકો સારવાર હેઠળમેઘાણીનગર વિસ્તારમાં કુબેરનગર રોડ ઉપર ભાર્ગવ ચાર રસ્તા પાસે યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અનુંપ તોમર તથા પિયુષ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦ વાગે યુવક તેના…
સુરેન્દ્રનગર, થાનગઢના અમરાપર ગૌશાળા અને મંદરિના નામે ૩.૦૯ કરોડની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટીલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે મહંત સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી. થાનગઢના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે તેમ જ મંદિરના લાભાર્થે ટિકિટનું વેચાણ કરી અને ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ આયોજકો દ્વારા ટિકિટનું વેચાણ કર્યા બાદ ડ્રો નું આયોજન કરવામાં આવવાનું હતું પરંતુ આયોજન દ્વારા કોઈ પણ પ્રકારનો ડ્રો યોજ્યો જ નહીં ડ્રોમાં ૫૫૫ ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રત્યેક ટિકિટની કિંમત ૫૦૦ રૃપિયા રાખવામાં આવી હતી.આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું…
ભાવનગર, બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યાની ચકચારી ઘટનામાં ન્યાયપાલિકાએ હત્યારા શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યાે છે. સામા પક્ષે મારામારીના કેસમાં એક પરિણીતાને બે વર્ષ કારાવાસનો હુકમ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બુધેલ ગામે કાના પોપટભાઈ રાઠોડની માતાને કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામનો યુવાન એક દિવસ માટે ભગાડી ગયો હતો. તે બાબતની દાઝ રાખી પાંચ વર્ષ બાદ કાના રાઠોડે ઘરે ધસી જઈ નીતાબેન અને તેમના ભાઈ કાળુભાઈ મકવાણાને ગાળો દઈ કાળુભાઈને છાતિના ભાગે છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.દરમિયાનમાં યુવકનું સારવારમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો…
અમદાવાદ, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં દારૂ બિયરની ડિમાન્ડ વધી છે જેના કારણે રાજસ્થાનથી અમદાવાદ થઇને બૂટલેગરો દારૂ બિયરનો જથ્થો સપ્લાય કરી રહ્યા છે.પરંતુ આ બૂટલેગરો અને દારૂ મોકલનારની અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ પાસે માહિતી હોવાથી લાખો કરોડોનો દારૂ બિયરનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં એક જ દિવસમાં ૮૩.૨૨ લાખનો દારૂ બિયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે. સોલા, અસલાલી, બગોદરા પોલીસે પકડેલો આ જથ્થો ટાઇલ્સના પાવડર, ડાંગરની કુશ્કી, પ્લાસ્ટિકના પીપડાની આડમાં લઇ જવાતો હતો.લાકડાના ભૂંસા અને ટ્રાન્સપોર્ટમાં આવેલા દારૂ બાદ હવે સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી…
