Author: gujarat

સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયોરાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં4લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ.820કરોડથી વધુની સહાય આપીઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી ::Øવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યુ છે.Øદિવ્યાશા કેન્દ્રો દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ બન્યાં.Øદિવ્યાંગ ખેલાડીઓ વિશ્વકક્ષાની રમતોમાં વધુ મેડલ મેળવે તેની તાલીમ માટે ગાંધીનગરમાં રૂ.316કરોડના ખર્ચે પેરા એથલિટ્સ હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે.Ø‘સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત’ના વિઝન સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા10વર્ષોમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.વડાપ્રધાન…

Read More

ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ‘બ્લેક બર્થડે’નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી,યોગીતા પટેલ,ચેતન દૈયા,જિતેન્દ્ર ઠક્કર,ધ્રુવી સોની,સ્મિત જોશી,મગન લુહાર,કલ્પેશ પટેલ,ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ હાઈ-વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે,જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ13ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહી છે.ટ્રેલર લિંક-https://youtu.be/f6g6FdmD9NA?si=5sEANxCA7-fkjGY3ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે‘બ્લેક બર્થડે’એ એક એવી રહસ્યમયી વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં…

Read More

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્‌સની સમીક્ષા ગાંધીનગર,ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્‌સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ ૨૦૨૬-૨૭નું અંદાજ પત્ર રજૂ કરશે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે ૨૫ માર્ચ સુધી ચાલશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આગામી…

Read More

ભાભરમાં હાર્ટ એટેકથી ૪ લોકોના મોત-શિયાળામાં યોગ અથવા કસરત કરતી વખતે ઓછામાં ઓછા બે સ્તરના ગરમ કપડાં પહેરવા, ધીમે ધીમે વોર્મઅપ કરવું અને શરીરના સંકેતોને અવગણવા નહીં(એજન્સી)ભાભર, ગુજરાતભરમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે અને તેમના અચાનક મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતના અનેક સ્થળોએથી રોજબરોજ આવા કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મોત થઈ જાય.આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળીએ કે વાંચીએ છીએ કે કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્‌યું, તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા…

Read More

પતિની ઉશ્કેરણીથી પત્નીનું આત્મઘાતી પગલું- પતિની ધરપકડ કરાઈ(એજન્સી)સુરત, સુરત શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઈચ્છાપોર વિસ્તારમાં એક પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવતા, સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.મૂળ બિહારની અને હાલ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય પ્રતિમાદેવીના લગ્ન આશરે ત્રણ વર્ષ અગાઉ રંજિત દિલીપ સાથે થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ પ્રતિમાદેવી માટે તેનું સાસરું નર્ક સમાન બની ગયું હતું. પતિ રંજિત અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમાદેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.ઘટનાના દિવસે પતિ-પત્ની…

Read More

બે બાળકો બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી(એજન્સી)સુરત, સુરત શહેરમાં વધુ એક પતંગની કાતિલ દોરીએ ૮ વર્ષના બાળકનો ભોગ લીધો છે. જહાંગીપુરા વિસ્તારમાં આનંદ વિલામાં સાયકલ સવાર બાળકના ગળામાં દોરી વાગતા મોત નિપજ્યું. બે બાળકો બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર સમગ્ર ઘટનાના હચમચાવતાં સીસીટીવી પણ સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ, આનંદ વિલા સોસાયટીના કમ્પાઉન્ડમાં બે બાળકો સાયકલ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પતંગની કાતિલ દોરી સાયકલ સવાર બાળકના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે બાળકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જોતજોતામાં લોહીલુહાણ…

Read More

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધીગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આઇકોનિક અટલબ્રિજની મુલાકાત લીધી હતી.‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો,નૃત્ય શૈલીઓ,બાળકોનું ભારત,શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.ખાસ કરીને,ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી…

Read More

ઑક્ટોબર2022થી ડિસેમ્બર2025દરમિયાન11.50કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરીવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત11 જાન્યુઆરીએમહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતોઅમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી,સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.હજારો કર્મચારીઓ,વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને થશે લાભપ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત,અક્ષરધામ મંદિર અને…

Read More

મેઈક ઈન ઈન્ડીયા મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સાકાર કરતુ ગુજરાતનું વધુ એક નક્કર કદમ:12હજાર લોકોને સંભવિત રોજગાર અવસર મળશે::મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના એમ.ડી. શ્રીયુત હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ –નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેક ઇન ઇન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડના ધ્યેયને સાકાર કરવાની દિશામાં દેશના વિકાસ રોલમોડલ સ્ટેટ ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક નક્કર કદમ ભર્યું છે.મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાયેલી1750એકર જમીન પર35હજાર કરોડ રૂપિયાના…

Read More

બાળકો ગોખણિયા શિક્ષણને બદલે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ‘જાદુઈ પીટારા‘થકી બાળકોને રમત,કલા,સંગીત,નવાચાર,પ્રવૃત્તિ- પ્રોજેક્ટ,સહપાઠી શિક્ષણ,મહાવરો,મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ પેડાગોજી શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્યઆજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ,પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ૭૪ હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના ૧૨.૩૫ લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના…

Read More