ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે રવિવારે આસામના ઉત્તર ગુવાહાટી ક્ષેત્રમાં નવા સંકલિત ન્યાયિક અદાલત સંકુલ સામે ગૌહાટી હાઈકોર્ટ બાર એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. CJIએ રવિવારે આ સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો વિરોધ કરવા માટે “વ્યક્તિગત નિહિત હિતોને કાયદેસરનું કારણ ન હોવું જોઈએ”. ઉત્તર ગુવાહાટીમાં રંગમહેલ ખાતે સંકુલનો શિલાન્યાસ કર્યા બાદ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, “સંકલિત ન્યાયિક અદાલત સંકુલને ભાવિ આકાંક્ષાઓને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે.”
દેશના ન્યાયતંત્રના વડા તરીકે, ન્યાયાધીશ સૂર્યકાન્તે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ વ્યવસાયમાં પ્રવેશતા લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે બંધાયેલા છે. CJI એ કહ્યું કે તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે ગૌહાટી હાઈકોર્ટ બાર એસોસિએશન (GHCBA) નવા સંકલિત કોર્ટ સંકુલનો વિરોધ કરી રહ્યું છે, જેમાં ગૌહાટી હાઈકોર્ટ પણ હશે.
“નવા કોર્ટ સંકુલનો વિરોધ કરનારાઓને કાં તો ખોટી માહિતી આપવામાં આવી છે અથવા તેઓ વકીલોની નવી જરૂરિયાતોને સમજી શકતા નથી. ભાવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો વિરોધ કરવા માટે વ્યક્તિગત હિત માન્ય આધાર ન હોવો જોઈએ,” તેમણે કહ્યું. GHCBA હાઈકોર્ટ સંકુલને ગુવાહાટી શહેરના હૃદયમાંથી બ્રહ્મપુત્રા નદીના ઉત્તરી કાંઠે ખસેડવા સામે વિરોધ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે નવા કેમ્પસ માટે પસંદ કરાયેલી જગ્યા ‘વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ’ છે અને એક છત નીચે તમામ સુવિધાઓ પૂરી પાડશે.

