પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ ન રમવાના વલણને યોગ્ય ઠેરવ્યું છે. તેણે કહ્યું છે કે બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય ખૂબ વિચારીને લેવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે આઈસીસી જે પણ નિર્ણય લેશે, બોર્ડ તે મુજબ જ લેશે.
રાજીવ શુક્લાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, ‘બીસીસીઆઈએ આ (શેહબાઝ શરીફનું નિવેદન) પર કંઈ કહેવાનું નથી. આઈસીસીએ આ અંગે નિર્ણય લેવાનો છે અને આઈસીસી જે પણ કહેશે અમે તેના નિર્ણય પ્રમાણે આગળ વધીશું.
આ પહેલા બુધવારે શાહબાઝ શરીફે ભારપૂર્વક કહ્યું હતું કે 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનારી વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય યોગ્ય છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ અંગે ‘સ્પષ્ટ વલણ’ લીધું છે.
શાહબાઝ શરીફે બહિષ્કારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, ‘અમે ટી-20 વર્લ્ડ કપને લઈને સ્પષ્ટ વલણ લીધું છે કે અમે ભારત સામેની મેચ નહીં રમીએ. અમે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી આ સ્ટેન્ડ લીધું છે.

