ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી ફરી એકવાર ગૃહમાં સપાટી પર આવી હતી.
જો કે, આ શાÂબ્દક જંગમાં અંતે હર્ષ સંઘવીનો વિજય થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વચ્ચે જુનો જંગ છે. બન્ને વચ્ચે અવારનવાર શાÂબ્દક ટપાટપી થતી રહે છે.
યુસીસી બિલ પર ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘લગ્ન નોંધણી જન્મ સ્થળ પર જ થશે’ તેવું નિવેદન આપ્યું છે. આ દાવાને હર્ષ સંઘવીએ સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો અને પડકાર ફેંક્્યો હતો કે, જો આ વાત સાચી ઠરશે તો તેઓ ગૃહમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો વાત ખોટી હશે તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડશે.
મામલો બિચકતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહના રેકોર્ડ્સ તપાસવાની સૂચના આપી હતી. તપાસના અંતે અધ્યક્ષે વિધાનસભાના રેકોર્ડના આધારે સ્પષ્ટતા કરી કે, નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, મેં રેકોર્ડ તપાસ્યા છે, તેમાં ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે તેવી કોઈ પણ બાબત નોંધાયેલી નથી. નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. નાયબ મુખ્યમંત્રીનું જન્મ સ્થળ પર જ રજીસ્ટેશન થશે તેવું નિવેદન નથી. જો કે, આખરે ગોપાલ ઇટાલીયાને માફી માંગવી પડી હતી.
સત્ય સામે આવ્યા બાદ ટ્રેઝરી બેન્ચ અને સંસદીય મંત્રી દ્વારા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ દરખાસ્ત મૂકવામાં આવી હતી કે, જો તેઓ માફી નહીં માંગે તો તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા પોતાની વાત પર મક્કમ રહ્યા હતા, પરંતુ સસ્પેન્શનની તલવાર લટકતી જોઈ અને અધ્યક્ષની કડક સૂચના બાદ તેમણે નમતું જોખ્યું હતું.
સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. લોકો કહી રહ્યા છે કે, એક વકીલ તરીકેની છાપ ધરાવતા ગોપાલ ઇટાલિયા પર હર્ષ સંઘવી ભારે પડ્યા છે. અંતે ગોપાલ ઇટાલિયાએ ગૃહની માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.SS1MS

