શહેરોનો થશે સર્વાંગી વિકાસ, વડાપ્રધાનના હસ્તે રચાશે નવો ઇતિહાસ! –વડાપ્રધાન મોદી ૩૧ માર્ચે ગુજરાતના શહેરોને આપશે રૂ. ૫,૨૯૫ કરોડથી વધુના ૪૪ વિકાસ પ્રકલ્પોની ભેટ
ગરીબ અને મધ્યમ વર્ગના ઘરનું સપનું થશે સાકાર: હજારો પરિવારોને મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો
ઐતિહાસિક નગરી વડનગરમાં હેરિટેજ ટાઉન અને માર્ગ સૌંદર્યીકરણ પ્રોજેક્ટનું થશે લોકાર્પણ
ગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં વધુ એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૩૧ માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારીમાં વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શહેરી વિકાસને પ્રોત્સાહન આપતા રાજ્યના કુલ રૂ. ૫,૨૯૫.૫૪ કરોડના ૪૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. જેમાં અંદાજિત રૂ. ૩,૪૨૭.૧૪ કરોડના ૨૬ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧,૮૬૮.૪૦ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. ૪,૬૪૦.૧૨ કરોડના કુલ ૩૨ પ્રકલ્પો, ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ. ૩૦૪.૮૨ કરોડના ૭ પ્રકલ્પો, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂ. ૨૭૨.૮૬ કરોડના ૩ પ્રકલ્પો તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂ. ૭૭.૭૪ કરોડના બે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.
ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે રૂ. ૩૪.૪૫ કરોડના ખર્ચે ‘હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યીકરણ‘ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે . આ પ્રોજેક્ટ અંતર્ગત હાટકેશ્વર મંદિર અને સંગીત સંગ્રહાલય જેવા મુખ્ય સ્થળોએ આધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, સેન્ડ સ્ટોન સાઈનેજ અને કલાત્મક કૃતિઓથી સુશોભન કરવામાં આવ્યું છે.
સાથો સાથે, પાટણમાં વડાપ્રધાનશ્રી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. પાટણ શહેરના રહેવાસીઓની સુવિધા માટે રૂ. ૪૩.૨૯ કરોડના ખર્ચે ફાટક નંબર ૪૧-એ (LC-41A) પર ૮૯૮ મીટર લાંબો થ્રી-લેગ રેલ્વે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા હલ કરી અંદાજે બે લાખ લોકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા પૂરી પાડશે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટેના ‘પ્રધાનમંત્રી આવાસ યોજના‘ના મકાનોના લોકાર્પણને પ્રાધાન્ય આપશે, જેથી હજારો પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે. સાથે જ, અમદાવાદના નવા વિસ્તારોમાં ડ્રેનેજ અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટેના મોટા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં શહેરની કાયાપલટ કરશે.
વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર વિકાસ કાર્યો-

