(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના ચોરસા ગામ નજીક એક ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ ૧૩ મજૂરોમાંથી ૯ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાને લાઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારના આદિવાસી મજૂરો રોજગાર માટે વિસનગર વિજાપુર વિસ્તારમાં ઘઉં કાપણીના કામ માટે ગયા હતા. કામ પૂર્ણ થતાં તમામ મજૂરો પોતાના વતન ફતેપુરા પરત ફરી રહ્યા હતા,
ત્યારે વિરપુર તાલુકાના ચોરસા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રસ્તાથી નીચેના ભાગે પલટી ખાઈ ગયું હતું અકસ્મતાની જાણ થતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા સથાનીકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને વિરપુર પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી. ઘટના સ્થળે પહોંચી પોલીસ અને ૧૦૮ની ટીમે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી
અને તમામ ઇજાગ્રસ્તોને વિરપુર ઝ્રૐઝ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહીલા અને બાળકને વધુ સારવાર માટે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આ ગંભીર અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હોય તેવું દેખાઈ રહ્યું હતું….
ઇજા ગ્રસ્ત લોકોના નામ ઃ- (૧)ઇલાબેન રમેશભાઈ પારગી- ફતેપુરા (૨)પંકજભાઈ લલ્લુભાઇ ડામોર- કેકાસીયા (૩)રશીલાબેન ઈશ્વરભાઈ પારગી- સાલોઈ (૪)હરેશભાઇ ભજીયાભાઈ પારગી- સાલોઈ (૫)કૃણાલકુમાર પંકજભાઈ ડામોર- કેકાસણ (૬)કાળીબેન પંકજભાઈ ડામોર- કેકાસણ (૭)નરેશભાઈ જયંતીભાઈ ડામોર- (૮)કલાવતીબેન નરેશભાઈ ડામોર- (૯)રમેશભાઈ શનાભાઈ પારગી- સાલોડ

